ઉન્નાવથી ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની વિધાનસભાનું સભ્યપદ સમાપ્ત કરી નાખ્યું છે. આ અંગે ઉત્તર પ્રદેશ વિધાનસભા સચિવાલયે એક જાહેરનામુ પણ બહાર પાડ્યું છે. વિધાનસભાના મુખ્ય સચિવ પ્રદીપ કુમાર દુબે તરફથી જાહેર કરાયેલી નોટિસમાં જણાવ્યું છે કે, સેંગરનું ધારાસભ્ય પદ ત્યારે જ ખતમ થઈ ગયું હતું, જ્યારે તેને રેપ કેસમાં સજામાં સંભળાવવામાં આવી હતી. 20 ડિસેમ્બર 2019ના રોજ જાહેર કરાયેલી નોટિસમાં જણાવ્યા પ્રમાણે ઉન્નાવ જિલ્લાના બાગરમઉ વિધાનસભા સીટ ખાલી હોવાનું જાહેર કર્યું હતું. ઉન્નાવ દુષ્કર્મ કેસમાં કુલદીપ સેંગર આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યા છે. ત્યાર બાદ ભારતીય જનતા પાર્ટીએ પણ તેને પાર્ટીમાંથી બહાર કરી દીધો હતો.
Related Posts
અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકની મોટી જાહેરાત
#અમરેલી 302 સહકારી મંડળીઓને અંદાજીત 4 કરોડ ઉપરાંતની વ્યાજ રાહતની જાહેરાત સમગ્ર દેશમાં એક માત્ર મધ્યસ્થ સહકારી બેંક દ્વારા સૌપ્રથમ…
KIIT के डॉ सामंत के साथ मिलकर बार काउंसिल ऑफ इंडिया बनाने जा रही है (Indian Institute of Law) देश की अनोखी कानून संस्थान.
भुवनेश्वर,10 फरवरी: बार काउंसिल ऑफ इंडिया देश में विधि शिक्षा और विधि व्यवसाय को नियमित/ Regulate करने और विधि-शिक्षा के…
જામનગરની વિકાસ ગાથા સાથે બીજેપી દ્વારા મનપા માટે જાહેર કરાયો મેનોફેસટો.
જામનગરની વિકાસ ગાથા સાથે બીજેપી દ્વારા મનપા માટે જાહેર કરાયો મેનોફેસટો. વિકાસના કાર્યોને અપાશે વેગ. જામનગર: – રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય…
