પ્રવાસીઓ માટે આનંદના સમાચાર
બેમાસ થી બંધ પડેલી કૃઝ બોટ ફરી શરૂ કરાતા પ્રવાસીઓ મા આનંદની લાગણી
શનિ રવિ અને સોમવારની ત્રણ દિવસની રજામાં 1 લાખથી વધુ પ્રવાસીઓ ઉમટશે
નર્મદા ઘાટ તરીકે વિકસાવવાની કામગીરીમા
પાયાનું કામ કરવા માટે પાણી નિયંત્રીત કરવુ જરૂરી બન્યું હોવાથી બંધ રહી હતી
બોટ ચાલુ કરવા માટે નર્મદામા પાણી છોડાયું
રાજપીપલા,તા 28
સ્ટેચ્યુ ઓફ યુનિટી ના પ્રવાસીઓ માટે આનંદના સમાચાર છે.છેલ્લા બેમાસ થી બંધ પડેલી કૃઝ બોટ ફરી શરૂ કરાતા પ્રવાસીઓ મા આનંદની લાગણીજોવા મળી છે.
શનિ રવિ અને સોમવારની ત્રણ દિવસની રજામાં 1 લાખથી વધુ પ્રવાસીઓ ઉમટે એવી સાંભવના હોવાથીપ્રવાસીઓ હવે કૃઝ બોટની મઝા માણી શકશે.
હાલ નર્મદા ઘાટ વિકસાવવાની કામગીરીચાલતી હોઈ
પાયાનું કામ કરવા માટે પાણી નિયંત્રીત કરવુ જરૂરી બન્યું હોવાથીબોટ બંધ રહી હતીહવે ઘાટ પણ બની ગયો છે ત્યારે
બોટ ચાલુ કરવા માટે હવે નર્મદામા પાણી છોડવામાં આવ્યું છે. અને બોટ સુવિધા શરૂ કરાતા પ્રવાસીઓમા આનંદની લાગણી જોવા મળી છે.
એ ઉપરાંત ચાલુ સાલે વરસાદ પૂરતો પડયો ન હોઈ નર્મદા નદી સુકાઈ જવાનેનદીમાં પાણી ન હોવાથી કારણે ક્રુઝ બોટ બંધ કરવામાં આવી હતી.નર્મદામાં પાણી નહીં હોયતો ક્રુઝ બોટ
પણ ચાલી નહિ શકે. હવે 4થી સપ્ટેમ્બર થી ક્રુઝ બોટ ફરીથી શરૂ થવા જઈ રહી છે ત્યારે
ક્રુઝ બોટ દ્વારા નર્મદાની શેર અને સ્ટેચ્યુ પાસેથી પસાર થઈને પાણીમાથી સ્ટેચ્યુ નો નજારો સાથે ક્રુઝ બોટમા ડાન્સ ડિનર ની પણ મઝા માણવાની પ્રવાસીઓ ને તક મળશે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા
