રિવરફ્રન્ટ રોડ આજ 22 ઓગષ્ટથી ચાર દિવસ સાંજે વાહનો માટે બંધ રહેશે.75માં સ્વતંત્રતા દિન અંતર્ગત બીએસએફના જવાનો દ્વારા 25 ઓગસ્ટે સાંજે રિવરફ્રન્ટ ખાતે બાઈક રોડ શો યોજવામાં આવશે. જેનું રિહર્સલ 22, 23 અને 24 ઓગસ્ટે સાંજે રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવશે. જેથી 22 થી 24 ઓગસ્ટ સુધી સાંજે 4 વાગ્યા થી 7 વાગ્યા સુધી રિવરફ્રન્ટ પશ્ચિમ પોલીસ સ્ટેશનથી આંબેડકર બ્રિજ નીચેના રિવરફ્રન્ટ રોડ સુધી બંધ રહેશે. વાહનચાલકોએ રિવર ફ્રન્ટ પશ્ચિમ પોલીસ સ્ટેશનથી, એનઆઈડી સર્કલ અને ત્યાથી પાલડી ચાર રસ્તાની ડાબી બાજુ વળી અંજલી ચાર રસ્તા તરફ અવર જવર કરી શકશે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રિવરફ્રન્ટ રોડ બંધ કરાતા આશ્રમ રોડ પર 2 કલાકથી વધુ સમય સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. ત્યારે વધુ એક વાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય શકે છે.
Related Posts
અમદાવાદના નરોડા હંસપુરા સ્મશાન તોડવા આવતા સ્થાનિકો દવારા કરવામાં આવ્યો વિરોધ.
અમદાવાદના નરોડા હંસપુરા સ્મશાન તોડવા આવતા સ્થાનિકો દવારા કરવામાં આવ્યો વિરોધ.વિરોધના પગલે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત.એ.એમ.સી દ્વારા કોઈપણ જાતની નોટિસ નહીં…
દાણીલીમડા- અમદાવાદના કાર્યકર્તાઓએ સાંસદ ડો. કિરીટભાઈ સોલંકીના ૭૨મા જન્મદિવસની ઉજવણી કરી
દાણીલીમડા- અમદાવાદના કાર્યકર્તાઓએ સાંસદ ડો. કિરીટભાઈ સોલંકીના ૭૨મા જન્મદિવસની ઉજવણી કરી અમદાવાદ: ડો કિરીટભાઈ સોલંકી, સાંસદ શ્રી અમદાવાદ પશ્ચિમ, લોકસભા…
કેન્દ્રીયમંત્રી અર્જુન રામ મેઘવાલ, સંસદીય, સાંસ્કૃતિક મંત્રી /પેનલ સ્પીકર લોકસભા ડૉ. કિરીટભાઈ સોલંકી સાહેબનો 19/ 8 /2021 ના રોજનો પાટણ તરફ પ્રવાસ રૂટ કાર્યક્રમ
કેન્દ્રીયમંત્રી અર્જુન રામ મેઘવાલ, સંસદીય, સાંસ્કૃતિક મંત્રી /પેનલ સ્પીકર લોકસભા ડૉ. કિરીટભાઈ સોલંકી સાહેબનો 19/ 8 /2021 ના રોજનો પાટણ…
