મોરબીના ટંકારામાં પાણીમાં ડૂબી જવાથી ત્રણ યુવાનોના મોત થાવથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. રવિવારની રજા અને ફ્રેન્ડશીપ-ડે હોવાથી આ ત્રણ યુવાનો ટંકારાના ભીમનાથ મહાદેવ મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડ્યા હતા અને ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના તરવૈયાઓ દ્વારા ત્રણેય યુવાનોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં હતા. ત્રણ આશાસ્પદ યુવાનોના મોત નિપજતા આ દુર્ઘટનાથી ત્રણ-ત્રણ પરિવારોમાં શોકનું મોજું પ્રસર્યું છે. સુરેન્દ્રનગરના દૂધરેજમાં પણ આવી જ ઘટના સામે આવી છે.ફ્રેન્ડશીપ ડે હોવાથી દુધરેજ નજીક કેનાલ પાસે પાણીના ખાડામાં ન્હાવા પડેલા એક યુવાનનું ડૂબી જવાથી મોત થયું છે. આમ ફ્રેન્ડશીપ ડે દૂધરેજ અને ટંકારામાં યુવાનો માટે કાળ બનીને આવ્યો હતો.
Related Posts
કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહેલ ભારત માટે એક સારા સમાચાર સામે આવ્યા છે
કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહેલ ભારત માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ડીઆરડીઓની એક લૈબ ઈસ્ન્ટીટ્યુટ ઓફ…
કોરોનાકાળમાં નાળિયેરની માંગ વધતા ભાવ પણ વધ્યા.
કોરોનાકાળમાં નાળિયેરની માંગ વધતા ભાવ પણ વધ્યા. 30 થી 35 રુપિયામાં મળતા નાળિયેરના ભાવ હવે 70 થી 80 રૂપિયા થયા.
*📍दिल्ली: राष्ट्रीय राजधानी में कोहरे की पतली परत देखी गई, शीतलहर जारी है।*
*📍दिल्ली: राष्ट्रीय राजधानी में कोहरे की पतली परत देखी गई, शीतलहर जारी है।* दिल्ली में कोहरे के कारण कई…
