મોરબીના ટંકારામાં પાણીમાં ડૂબી જવાથી ત્રણ યુવાનોના મોત થાવથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. રવિવારની રજા અને ફ્રેન્ડશીપ-ડે હોવાથી આ ત્રણ યુવાનો ટંકારાના ભીમનાથ મહાદેવ મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડ્યા હતા અને ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના તરવૈયાઓ દ્વારા ત્રણેય યુવાનોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં હતા. ત્રણ આશાસ્પદ યુવાનોના મોત નિપજતા આ દુર્ઘટનાથી ત્રણ-ત્રણ પરિવારોમાં શોકનું મોજું પ્રસર્યું છે. સુરેન્દ્રનગરના દૂધરેજમાં પણ આવી જ ઘટના સામે આવી છે.ફ્રેન્ડશીપ ડે હોવાથી દુધરેજ નજીક કેનાલ પાસે પાણીના ખાડામાં ન્હાવા પડેલા એક યુવાનનું ડૂબી જવાથી મોત થયું છે. આમ ફ્રેન્ડશીપ ડે દૂધરેજ અને ટંકારામાં યુવાનો માટે કાળ બનીને આવ્યો હતો.
Related Posts
*27 જુલાઈ – વર્લ્ડ હેડ એન્ડ નેક કેન્સર ડે*
*27 જુલાઈ – વર્લ્ડ હેડ એન્ડ નેક કેન્સર ડે* *દેશભરમાં મોં અને ગળાના કેન્સરના દર્દીઓ માટે આશાનું સોનેરી કિરણ…
અંબાજી પાલનપુર હાઈવે ગમખ્વાર અકસ્માત સર્જાયો.
બનાસકાંઠા અંબાજી પાલનપુર હાઈવે ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્માત સર્જાતા હાઇવે પર ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા. મહિન્દ્રા સ્કોર્પિયો, મારુતિ અલ્ટો…
ગુજરાત માં કોરોના નો બૉમ્બ વધુ ફાટ્યો 24 કલાક માં 1640 કેસ
ગુજરાત માં કોરોના નો બૉમ્બ વધુ ફાટ્યો 24 કલાક માં 1640 કેસ
