મોરબીના ટંકારામાં પાણીમાં ડૂબી જવાથી ત્રણ યુવાનોના મોત થાવથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. રવિવારની રજા અને ફ્રેન્ડશીપ-ડે હોવાથી આ ત્રણ યુવાનો ટંકારાના ભીમનાથ મહાદેવ મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડ્યા હતા અને ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના તરવૈયાઓ દ્વારા ત્રણેય યુવાનોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં હતા. ત્રણ આશાસ્પદ યુવાનોના મોત નિપજતા આ દુર્ઘટનાથી ત્રણ-ત્રણ પરિવારોમાં શોકનું મોજું પ્રસર્યું છે. સુરેન્દ્રનગરના દૂધરેજમાં પણ આવી જ ઘટના સામે આવી છે.ફ્રેન્ડશીપ ડે હોવાથી દુધરેજ નજીક કેનાલ પાસે પાણીના ખાડામાં ન્હાવા પડેલા એક યુવાનનું ડૂબી જવાથી મોત થયું છે. આમ ફ્રેન્ડશીપ ડે દૂધરેજ અને ટંકારામાં યુવાનો માટે કાળ બનીને આવ્યો હતો.
Related Posts
#BREAKING પેશાબ કાંડ’: નિયમોનાં ઉલ્લંઘન બદલ DGCAએ Air Indiaને ફટકાર્યો રૂપિયા 30 લાખનો દંડ ફ્લાઇટ નાં પાઇલટ-ઇન-કમાન્ડનું લાયસન્સ…
રાજુલા પો.સ્ટે.ના વાવેરા ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ-૦૮ કિ.રૂ.૨૪,૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી…
કુમકુમ મંદિર દ્વારા “તાઉન્તે ના વાવાઝોડા”માંથી ભગવાન સૌને ઉગારે તે માટે પ્રાર્થના કરવામાં આવી.
*કુમકુમ મંદિર દ્વારા “તાઉન્તે ના વાવાઝોડા”માંથી ભગવાન સૌને ઉગારે તે માટે પ્રાર્થના કરવામાં આવી.***તાઉન્તે ના વાવાઝોડાની મહા ઉપાધિ આવી પડી…
