મોરબીના ટંકારામાં પાણીમાં ડૂબી જવાથી ત્રણ યુવાનોના મોત થાવથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. રવિવારની રજા અને ફ્રેન્ડશીપ-ડે હોવાથી આ ત્રણ યુવાનો ટંકારાના ભીમનાથ મહાદેવ મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડ્યા હતા અને ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના તરવૈયાઓ દ્વારા ત્રણેય યુવાનોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં હતા. ત્રણ આશાસ્પદ યુવાનોના મોત નિપજતા આ દુર્ઘટનાથી ત્રણ-ત્રણ પરિવારોમાં શોકનું મોજું પ્રસર્યું છે. સુરેન્દ્રનગરના દૂધરેજમાં પણ આવી જ ઘટના સામે આવી છે.ફ્રેન્ડશીપ ડે હોવાથી દુધરેજ નજીક કેનાલ પાસે પાણીના ખાડામાં ન્હાવા પડેલા એક યુવાનનું ડૂબી જવાથી મોત થયું છે. આમ ફ્રેન્ડશીપ ડે દૂધરેજ અને ટંકારામાં યુવાનો માટે કાળ બનીને આવ્યો હતો.
Related Posts
પ્રમુખશ્રીઓ અને હોદ્દેદારો સાથે કોરોના સંક્રમણ અને નિયંત્રણ અંગેના સંવાદનો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રારંભ.
*ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ,…
રાજ્યના ૨૯ શહેરોમાં રાત્રિ કરફ્યુ ઉપરાંત વધારાના નિયંત્રણો મૂકવાની રાજ્ય સરકારની જાહેરાત.
• રાજ્યના ૨૯ શહેરોમાં રાત્રિ કરફ્યુ ઉપરાંત વધારાના નિયંત્રણો મૂકવાની રાજ્ય સરકારની જાહેરાત. • આ નિયંત્રણ તા. ૨૮મી એપ્રિલ-૨૦૨૧ બુધવારથી…
tiktok સામે ભારતની ચિનગારી એપ મેદાનમાં આવી.
tiktok સામે ભારતની ચિનગારી એપ મેદાનમાં આવી. લોકોએ tiktokને ડિલિટ કરીને ચિનગારી કરી ડાઉનલોડ. દર કલાકે એક લાખ લોકો ડાઉનલોડ…
