મોરબીના ટંકારામાં પાણીમાં ડૂબી જવાથી ત્રણ યુવાનોના મોત થાવથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. રવિવારની રજા અને ફ્રેન્ડશીપ-ડે હોવાથી આ ત્રણ યુવાનો ટંકારાના ભીમનાથ મહાદેવ મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડ્યા હતા અને ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના તરવૈયાઓ દ્વારા ત્રણેય યુવાનોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં હતા. ત્રણ આશાસ્પદ યુવાનોના મોત નિપજતા આ દુર્ઘટનાથી ત્રણ-ત્રણ પરિવારોમાં શોકનું મોજું પ્રસર્યું છે. સુરેન્દ્રનગરના દૂધરેજમાં પણ આવી જ ઘટના સામે આવી છે.ફ્રેન્ડશીપ ડે હોવાથી દુધરેજ નજીક કેનાલ પાસે પાણીના ખાડામાં ન્હાવા પડેલા એક યુવાનનું ડૂબી જવાથી મોત થયું છે. આમ ફ્રેન્ડશીપ ડે દૂધરેજ અને ટંકારામાં યુવાનો માટે કાળ બનીને આવ્યો હતો.
Related Posts
આઇ.સી.યુ.માં આંખ ખૂલી ત્યારે ખબર પડી એ “હાર્ટ અટેક” હતો…..!!
*૨૯ સપ્ટેમ્બર :“વિશ્વ હ્યદય દિવસ” આઇ.સી.યુ.માં આંખ ખૂલી ત્યારે ખબર પડી એ “હાર્ટ અટેક” હતો…..!! અમદાવાદ: આઇ.સી.યુ.માં જ્યારે આંખ ખૂલી…
ગુજરાત પોલીસે લોકડાઉનમાં હજારો વાહનો જપ્ત કર્યા હતા
ગુજરાત પોલીસે લોકડાઉનમાં હજારો વાહનો જપ્ત કર્યા હતા ગુજરાત પોલીસે લોકડાઉન દરમિયાન હજારો વાહનો જપ્ત કર્યા હતા, જેમણે મોટો દંડ…
ડેડીયાપાડા વિસ્તારમાંથી વિસ્ફોટક પદાર્થ સાથે ત્રણ આરોપીઓ ઝડપાયા
વિસ્ફોટક પદાર્થ જીલેટીન સ્ટીક નંગ -૦૯ તથા ડીટોનેટર નંગ-૧૪ તથા ભૂરા રંગના બે સેફ્ટી ફ્યુઝ (જામગરી) નાટુકડાઓ સહીત ગુનામાં વપરાયેલ…
