નવી દિલ્હીઃ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના રાજ્યસભાના સંસદસભ્ય સુબ્રમણિયમ સ્વામીએ દાવો કર્યો છે કે એઆઇસીસીના અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા ટૂંક સમયમાં જતી રહેશે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા હૈદરાબાદ યુનિવર્સિટીમાં આયોજિત ‘CAA- એક સમકાલીન રાજનીતિ સે પરે ઐતિહાસિક અનિવાર્યતા’ પર લેક્ચર આપતાં તેમણે કહ્યું હતું કે સોનિયા અને રાહુલ ગાંધીની ફાઇલ ગૃહપ્રધાન અમિત શાહના ટેબલ પર છે અને ટૂંક સમયમાં કોંગ્રેસના આ દિગ્ગજો તેમની નાગરિકતા ગુમાવી દેશે. ભારતીય સંવિધાનનો હવાલો આપીને તેમણે કહ્યું હતું કે જે લોકો ભારતમાં રહેવા છતાં બીજા દેશોની નાગરિકતા ધરાવે છે, તેમની નાગરિકતા ઓટોમેટિક પૂરી થઈ જશે.
Related Posts
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો.
*મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો*. *તારીખ ૧૧ જૂન ૨૦૨૧ના સવારે ૬ વાગ્યાથી કેટલાક…
ગુજરાત સાબરકાંઠા પોળો અભાપુરના જંગલમા પ્રવાસીઓ માટે પ્રતિબંધ
શનિવાર, રવિવારે બહારથી આવતા મુલાકાતીઓ માટે લગાવ્યો પ્રતિબંધ કોરોના સંક્રમણ વધતા અને પોળો ના જંગલમાં ભીડ વધતા નિર્ણય
મહેસાણાના બહુચરાજી ખાતે કોંગ્રેસના બે જૂથ વચ્ચે મારામારી
મહેસાણાના બહુચરાજી ખાતે કોંગ્રેસના બે જૂથ વચ્ચે મારામારી મેન્ડેટ ફાડી નાખવા બાબતે બે જૂથ વચ્ચે મારામારી બહુચરાજી કોંગ્રેસના ધારાસભ્ય ભરત…
