ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સનાં એન.સી.સી. યુનીટનો ઓરીએન્ટેશન પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો.ભારત દેશના વડાપ્રધાને પણ હમણાંજ એન.સી.સીનાં વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે તેઓએ કોરોના વોરીઅર્સ તરીકેની ભૂમીકા ભજવવી જોઈએ તથા કોરોના સંદર્ભની સાચી માહિતી સમાજમાં પહોચાડવી જોઈએ. આ વાતનો સ્વિકાર વિદ્યાર્થીઓએ કર્યો હતો. કોલેજનાં પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે એન.સી.સી.નાં યુવાનોએ દેશભક્તીની સાથે એક જાગૃત નાગરીક તરીકે ભૂમીકા અદા કરવી જોઈએ. પ્રિ.વકીલે વધુમાં કહ્યું હતુ કે દેશની બધીજ શૈક્ષણીક સંસ્થાઓએ વિદ્યાર્થીઓને મિલીટરી ટ્રેઈનીંગનાં બેઝીક પાઠ શીખવવા જોઈએ. જેથી યુવાનોમાં એક ખમીર ઉભું થાય છે જેનાથી તેનો આત્મવિશ્વાસ વધે છે તથા દેશ પ્રત્યેની વફાદારી તથા નિષ્ઠા ઉભી થાય છે. એન.સી.સી. ઓફીસર પ્રા.વસાવાએ પ્રાસંગોચિત વક્તવ્ય આપ્યું હતુ.
Related Posts
36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ ત્રણ દિવસ લંબાવાયો
રાત્રિ કર્ફ્યૂ ત્રણ દિવસ લંબાવાયું36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ ત્રણ દિવસ લંબાવાયોમંગળ, બુધ અને ગુરુવારે પણ રાત્રિ કર્ફ્યૂદિવસે પણ બજારો બંધ…
*રાષ્ટ્રીય વેક્સિન દિવસ વિશેષ: લોકજાગૃત્તિ અર્થે 70 વર્ષના પિતા અને 90 વર્ષના દાદા-દાદીને રસી અપાવતા અમદાવાદની સિવિલ હોસ્પિટલના તબીબો
અમદાવાદ: રાષ્ટ્રીય રસીકરણ દિવસના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી (પીડિયાટ્રીક સર્જરી) વિભાગના તબીબ ડૉ. જયશ્રી રામજીએ પોતાના ૯૦ વર્ષના…
गांधीनगर कमलम में विधायक दल की बैठक हुई शुरू।
गांधीनगर कमलम में विधायक दल की बैठक हुई शुरू। कार्यकारी सीएम रुपाणी, डिप्टी सीएम पहोचें बैठक में। सीएम की रेस…
