ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સનાં એન.સી.સી. યુનીટનો ઓરીએન્ટેશન પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો.ભારત દેશના વડાપ્રધાને પણ હમણાંજ એન.સી.સીનાં વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે તેઓએ કોરોના વોરીઅર્સ તરીકેની ભૂમીકા ભજવવી જોઈએ તથા કોરોના સંદર્ભની સાચી માહિતી સમાજમાં પહોચાડવી જોઈએ. આ વાતનો સ્વિકાર વિદ્યાર્થીઓએ કર્યો હતો. કોલેજનાં પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે એન.સી.સી.નાં યુવાનોએ દેશભક્તીની સાથે એક જાગૃત નાગરીક તરીકે ભૂમીકા અદા કરવી જોઈએ. પ્રિ.વકીલે વધુમાં કહ્યું હતુ કે દેશની બધીજ શૈક્ષણીક સંસ્થાઓએ વિદ્યાર્થીઓને મિલીટરી ટ્રેઈનીંગનાં બેઝીક પાઠ શીખવવા જોઈએ. જેથી યુવાનોમાં એક ખમીર ઉભું થાય છે જેનાથી તેનો આત્મવિશ્વાસ વધે છે તથા દેશ પ્રત્યેની વફાદારી તથા નિષ્ઠા ઉભી થાય છે. એન.સી.સી. ઓફીસર પ્રા.વસાવાએ પ્રાસંગોચિત વક્તવ્ય આપ્યું હતુ.
Related Posts
નર્મદા જિલ્લાને પ્રાપ્ત થયેલો વધુ ૨૦૦ ઓક્સિજન સિલિન્ડરનો જથ્થો
નર્મદા જિલ્લાને પ્રાપ્ત થયેલો વધુ ૨૦૦ ઓક્સિજન સિલિન્ડરનો જથ્થો જિલ્લાને પ્રાપ્ત થયેલ વધુ ૨૦૦ ના જથ્થા પૈકી સાગબારા CHC ને-૫૦,…
*ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી એસઓયુ ખાતે ઐતિહાસિક પ્રદર્શન માટે મુકવામાં આવી*
*ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી એસઓયુ ખાતે ઐતિહાસિક પ્રદર્શન માટે મુકવામાં આવી* નર્મદા, સંજીવ રાજપૂત: પ્રતિષ્ઠિત આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની…
*📍મેરઠ: ગંગનહેરમાં સ્નાન કરતી વખતે કાકા-ભત્રીજાનું મોત*
*🗯️ BREAKING 🗯️* *📍મેરઠ: ગંગનહેરમાં સ્નાન કરતી વખતે કાકા-ભત્રીજાનું મોત* ➡️ બંને દિલ્હીથી મેરઠ જૈન મંદિરમાં દર્શન કરવા આવ્યા…
