ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સનાં એન.સી.સી. યુનીટનો ઓરીએન્ટેશન પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો.ભારત દેશના વડાપ્રધાને પણ હમણાંજ એન.સી.સીનાં વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે તેઓએ કોરોના વોરીઅર્સ તરીકેની ભૂમીકા ભજવવી જોઈએ તથા કોરોના સંદર્ભની સાચી માહિતી સમાજમાં પહોચાડવી જોઈએ. આ વાતનો સ્વિકાર વિદ્યાર્થીઓએ કર્યો હતો. કોલેજનાં પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે એન.સી.સી.નાં યુવાનોએ દેશભક્તીની સાથે એક જાગૃત નાગરીક તરીકે ભૂમીકા અદા કરવી જોઈએ. પ્રિ.વકીલે વધુમાં કહ્યું હતુ કે દેશની બધીજ શૈક્ષણીક સંસ્થાઓએ વિદ્યાર્થીઓને મિલીટરી ટ્રેઈનીંગનાં બેઝીક પાઠ શીખવવા જોઈએ. જેથી યુવાનોમાં એક ખમીર ઉભું થાય છે જેનાથી તેનો આત્મવિશ્વાસ વધે છે તથા દેશ પ્રત્યેની વફાદારી તથા નિષ્ઠા ઉભી થાય છે. એન.સી.સી. ઓફીસર પ્રા.વસાવાએ પ્રાસંગોચિત વક્તવ્ય આપ્યું હતુ.
Related Posts
*રાહુલ ગાંધી પાસે RSS વિશે સંપૂર્ણ માહિતી નથી* RSSમાં મહિલા પાંખ, દુર્ગા સેના છે. અમે કોઈપણ કાર્યક્રમની શરૂઆત ભારત માતા…
*સાંતલપુરના ધોકાવાડા ગામમાં UGVCLની ઘોર બેદરકારી આવી સામે..જીવંત વીજ વાયર સાથે વીજપોલ મકાન પર પડ્યો..*
*સાંતલપુરના ધોકાવાડા ગામમાં UGVCLની ઘોર બેદરકારી આવી સામે..જીવંત વીજ વાયર સાથે વીજપોલ મકાન પર પડ્યો..* એબીએનએસ, પાટણ: સાંતલપુર તાલુકાના ધોકાવાડા…
મધ્યપ્રદેશના ઉપરવાસમાં સારો વરસાદ થતાં નર્મદા ડેમની સપાટીમાં વધારો
બ્રેકીંગ ન્યૂઝ નર્મદા : મધ્યપ્રદેશના ઉપરવાસમાં સારો વરસાદ થતાં નર્મદા ડેમની સપાટીમાં વધારો નર્મદા ડેમમા નવા નીર આવ્યાનર્મદા ડેમમાં 22772…
