ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ. તથા એન.સી.સી. ધ્વારા આજરોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજનાં પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે કોઈપણ લોકશાહી દેશમાં મતદાતા એ દેશનું ભાવી નક્કી કરે છે. દેશનું સુકાન કોને સોપવુ તે દેશનો નાગરીક નક્કી કરે છે.આદર્શ લોકશાહી ટકાવવી હોય તો મતદાન કરવુ ખુબજ જરૂરી છે. લોકશાહી એટલે જ લોકો ધ્વારા,લોકો વડે તથા લોકોથી ચાલતુ રાજ્ય. જેટલો મતદાતા જાગૃત એટલો દેશ સલામત. દરેક મતદાતાએ જ્ઞાતી, જાતી કે ધર્મને ધ્યાનમાં લીધા વીના તટસ્થપણે માત્ર દેશની પ્રગતી તથા સલામતીને ધ્યાનમાં રાખીને મતદાન કરવું જોઈએ. કાર્યક્રમના અંતે કોલેજનાં વિદ્યાર્થીઓએ શપથ લીધા હતા કે “હું તટસ્થપણે મતદાન કરીશ તથા મારા કુટુંબીજનો તથા મિત્રો તથા પાડોશીઓને પણ મતદાન કરવા પ્રેરીશ.” એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફીસર પ્રા.ચૌધરી તથા એન.સી.સી. કોઓર્ડીનેટર પ્રા.વસાવાએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત લીધી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રા.ચેતન મેવાડાએ કર્યું હતુ.
Related Posts
‘છાંયડી ફાઇન્ડેશન’ દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે પ્રજ્ઞાચક્ષુઓને નિ:શુલ્ક ‘સ્માર્ટ સ્ટીક’ ભેટ આપશે જીએનએ જામજોધપુર: ‘છાંયડી ફાઇન્ડેશન’ દ્વારા દિપાવલી પર્વ નિમિત્તે…
*“રામકૃષ્ણ આશ્રમ દ્વારા કોરોના રાહત કામગીરીના પગલે પારેવડા ના ૧૮૦ વાદી પરિવારોને જીવનજરૂરી કીટનું વિતરણ”*
કોરોના વાયરસ ને અટકાવવા માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના પગલે રામકૃષ્ણ આશ્રમ ,રાજકોટ દ્વારા તારીખ ૩૦ માર્ચ સોમવારના રોજ રાજકોટની ભાગોળે આવેલા…
ભારતીય તટરક્ષક દળે ગુજરાતના ઉમરગામમાં ડુબી રહેલા MV કંચન પરથી 12 ક્રૂને બચાવ્યા
ભારતીય તટરક્ષક દળે ગુજરાતના ઉમરગામમાં ડુબી રહેલા MV કંચન પરથી 12 ક્રૂને બચાવ્યા પ્રતિકૂળ હવામાનમાં વીજળીના અભાવે MV કંચન પાણીમાં…
