ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ. તથા એન.સી.સી. ધ્વારા આજરોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજનાં પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે કોઈપણ લોકશાહી દેશમાં મતદાતા એ દેશનું ભાવી નક્કી કરે છે. દેશનું સુકાન કોને સોપવુ તે દેશનો નાગરીક નક્કી કરે છે.આદર્શ લોકશાહી ટકાવવી હોય તો મતદાન કરવુ ખુબજ જરૂરી છે. લોકશાહી એટલે જ લોકો ધ્વારા,લોકો વડે તથા લોકોથી ચાલતુ રાજ્ય. જેટલો મતદાતા જાગૃત એટલો દેશ સલામત. દરેક મતદાતાએ જ્ઞાતી, જાતી કે ધર્મને ધ્યાનમાં લીધા વીના તટસ્થપણે માત્ર દેશની પ્રગતી તથા સલામતીને ધ્યાનમાં રાખીને મતદાન કરવું જોઈએ. કાર્યક્રમના અંતે કોલેજનાં વિદ્યાર્થીઓએ શપથ લીધા હતા કે “હું તટસ્થપણે મતદાન કરીશ તથા મારા કુટુંબીજનો તથા મિત્રો તથા પાડોશીઓને પણ મતદાન કરવા પ્રેરીશ.” એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફીસર પ્રા.ચૌધરી તથા એન.સી.સી. કોઓર્ડીનેટર પ્રા.વસાવાએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત લીધી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રા.ચેતન મેવાડાએ કર્યું હતુ.
Related Posts
*📌ઈસરો ચેરમેન એસ. સોમનાથને આમંત્રણ*
*📌ઈસરો ચેરમેન એસ. સોમનાથને આમંત્રણ* PDEUનો 11મો પદવીદાન સમારોહ 2 ડિસેમ્બરે યોજાશે મુકેશ અંબાણી સંબોધન કરશે
એચ.એ. કોલેજમાં મોટીવેશનલ સ્પીચ યોજવામાં આવી.
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સનાં એન.એસ.એસ. વિભાગ તથા એન.સી.સી. યુનીટ ધ્વારા “જીવન જીવવાની કળા” વિષય ઉપર મોટીવેશનલ સ્પીચ…
વિશ્વ ફોટોગ્રાફી દિવસ: એક સલામ પ્રેસ ફોટોગ્રાફીની સાહસિક અને યાદગાર તસ્વીર સાથે તેઓના અનુભવના વર્ણનનો ચિતાર આપતા ગુજરાતના વરિષ્ઠ ફોટોગ્રાફર કે એમ શર્માજીને
વિશ્વ ફોટોગ્રાફી દિવસ: એક સલામ પ્રેસ ફોટોગ્રાફીની સાહસિક અને યાદગાર તસ્વીર સાથે તેઓના અનુભવના વર્ણનનો ચિતાર આપતા ગુજરાતના વરિષ્ઠ ફોટોગ્રાફર…
