ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ. તથા એન.સી.સી. ધ્વારા આજરોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજનાં પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે કોઈપણ લોકશાહી દેશમાં મતદાતા એ દેશનું ભાવી નક્કી કરે છે. દેશનું સુકાન કોને સોપવુ તે દેશનો નાગરીક નક્કી કરે છે.આદર્શ લોકશાહી ટકાવવી હોય તો મતદાન કરવુ ખુબજ જરૂરી છે. લોકશાહી એટલે જ લોકો ધ્વારા,લોકો વડે તથા લોકોથી ચાલતુ રાજ્ય. જેટલો મતદાતા જાગૃત એટલો દેશ સલામત. દરેક મતદાતાએ જ્ઞાતી, જાતી કે ધર્મને ધ્યાનમાં લીધા વીના તટસ્થપણે માત્ર દેશની પ્રગતી તથા સલામતીને ધ્યાનમાં રાખીને મતદાન કરવું જોઈએ. કાર્યક્રમના અંતે કોલેજનાં વિદ્યાર્થીઓએ શપથ લીધા હતા કે “હું તટસ્થપણે મતદાન કરીશ તથા મારા કુટુંબીજનો તથા મિત્રો તથા પાડોશીઓને પણ મતદાન કરવા પ્રેરીશ.” એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફીસર પ્રા.ચૌધરી તથા એન.સી.સી. કોઓર્ડીનેટર પ્રા.વસાવાએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત લીધી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રા.ચેતન મેવાડાએ કર્યું હતુ.
Related Posts
🔴 *”કોરોના ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૩૧/૩/૨૦૨૧) *ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે મોટા વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત….* નવા કેસ:- ૨,૩૬૦ ડીસ્ચાર્જ:-૨,૦૦૪ મૃત્યુ:- ૯
🔴 *”કોરોના ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૩૧/૩/૨૦૨૧) *ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે મોટા વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત….* નવા…
*અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૪૨ મું અંગદાન*
*અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૪૨ મું અંગદાન* ….. *આ વર્ષે ગુપ્ત અંગદાન ની સિવિલ હોસ્પિટલ માં બીજી ઘટના* પરીવારજનો એ…
કોરોના-કોવિડ19 સંક્રમણથી માતાપિતા ગુમાવનારા અનાથ-નિરાધાર થયેલા બાળકને રાજ્ય સરકાર માસિક રૂપિયા 4000 ની સહાય આપશે*.
*મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીનો અનાથ-નિરાધાર થયેલા બાળકો માટે મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય*• *કોરોના-કોવિડ19 સંક્રમણથી માતાપિતા ગુમાવનારા અનાથ-નિરાધાર થયેલા…
