ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ. તથા એન.સી.સી. ધ્વારા આજરોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજનાં પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે કોઈપણ લોકશાહી દેશમાં મતદાતા એ દેશનું ભાવી નક્કી કરે છે. દેશનું સુકાન કોને સોપવુ તે દેશનો નાગરીક નક્કી કરે છે.આદર્શ લોકશાહી ટકાવવી હોય તો મતદાન કરવુ ખુબજ જરૂરી છે. લોકશાહી એટલે જ લોકો ધ્વારા,લોકો વડે તથા લોકોથી ચાલતુ રાજ્ય. જેટલો મતદાતા જાગૃત એટલો દેશ સલામત. દરેક મતદાતાએ જ્ઞાતી, જાતી કે ધર્મને ધ્યાનમાં લીધા વીના તટસ્થપણે માત્ર દેશની પ્રગતી તથા સલામતીને ધ્યાનમાં રાખીને મતદાન કરવું જોઈએ. કાર્યક્રમના અંતે કોલેજનાં વિદ્યાર્થીઓએ શપથ લીધા હતા કે “હું તટસ્થપણે મતદાન કરીશ તથા મારા કુટુંબીજનો તથા મિત્રો તથા પાડોશીઓને પણ મતદાન કરવા પ્રેરીશ.” એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફીસર પ્રા.ચૌધરી તથા એન.સી.સી. કોઓર્ડીનેટર પ્રા.વસાવાએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત લીધી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રા.ચેતન મેવાડાએ કર્યું હતુ.
Related Posts
સ્વ. સુશાંત સિંઘ રાજપુતની યાદમાં ઝી અનમોલ ફરીથી લાવી રહ્યું છે, પવિત્ર રિશ્તા
~ બે સામાન્ય વ્યક્તિની હૃદયસ્પર્શી પ્રેમકથા, આ ચેનલ પ્રસારિત કરશે આ સુંદર પ્રેમ અને આશાની વાર્તા કારણકે તે સ્વર્ગવાસી અભિનેતાને…
કોંગ્રેસ સમિતિ દ્વારા આરોગ્ય બચાવ અભિયાન અંતર્ગતરેલી અને ધરણાં વિરોધ પ્રદર્શન
ડેડીયાપાડા ખાતેનર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આરોગ્ય બચાવ અભિયાન અંતર્ગતરેલી અને ધરણાં વિરોધ પ્રદર્શન ભાજપની સરકાર કોરોનામા દર્દીઓને બચાવવા સમય…
*સુરત ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘સુરત’ યુદ્ધજહાજના ચિહ્નનું અનાવરણ કરાયું*
*સુરત ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘સુરત’ યુદ્ધજહાજના ચિહ્નનું અનાવરણ કરાયું* સુરત, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નૌકાદળના વડા…
