નવસારીઃ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ભરૂચ સંચાલિત અંકલેશ્વરના અમૃતપુરાની પ્રાથમિક શાળાના બાળકોનો સાપુતારાનો પ્રવાસ યોજાયો હતો. શિક્ષણ વિભાગનો પરિપત્ર હોવા છતાં સવારે ચાર વાગ્યા આસપાસ પ્રવાસની લક્ઝરી બસ અંકલેશ્વરથી સાપુતારા જવા નીકળી હતી. દરમિયાન સવારે 5ઃ30 વાગ્યા આસપાસ ચીખલી નજીક પલટી મારી ગઈ હતી. જેના પગલે બસમાં સવાર વિદ્યાર્થીઓ સહિત 23 ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં 3 વિદ્યાર્થીની હાલત ગંભીર હોવાથી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.પરિપત્ર પ્રમાણે બસ સવારે છ વાગ્યા બાદ નીકળવી જોઈતી હતી જો કે પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે, એક દિવસનો પ્રવાસ હોય વાલીઓની મંજૂરી સાથે તેઓ નીકળ્યાં હતાં
Related Posts
*અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૪૨ મું અંગદાન*
*અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૪૨ મું અંગદાન* ….. *આ વર્ષે ગુપ્ત અંગદાન ની સિવિલ હોસ્પિટલ માં બીજી ઘટના* પરીવારજનો એ…
બુલેટ ટ્રેનના જમાનામાં બળદગાડાની ગતિએ ચાલતી રાજપીપળા થી અંકલેશ્વર ની દોડતી નર્મદાની રુકરુક ટ્રેન.
62 કિ.મી.નું અંતર કાપવા આ ટ્રેનને ત્રણથી ચાર કલાક જેટલો સમય લાગે છે જેથી 10 ડબ્બાની ટ્રેન હાલમાં 2 ડબ્બા…
ગુજરાત રાજ્યના કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ ભરતભાઈ સોલંકી અત્યારે નવલ કોવિડ-19 ની ટ્રીટમેન્ટ માટે અમદાવાદ ખાતે આવેલ CIMS હોસ્પિટલના આઈસીયુમાં દાખલ.
જાણકાર વર્તુળોના કહેવા પ્રમાણે ભરતભાઈ સોલંકી કોરોના ની ટ્રીટમેન્ટ માટે બરોડા ખાતે આવેલ પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થયા હતા ગઈકાલે સાંજે…
