નવસારીઃ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ભરૂચ સંચાલિત અંકલેશ્વરના અમૃતપુરાની પ્રાથમિક શાળાના બાળકોનો સાપુતારાનો પ્રવાસ યોજાયો હતો. શિક્ષણ વિભાગનો પરિપત્ર હોવા છતાં સવારે ચાર વાગ્યા આસપાસ પ્રવાસની લક્ઝરી બસ અંકલેશ્વરથી સાપુતારા જવા નીકળી હતી. દરમિયાન સવારે 5ઃ30 વાગ્યા આસપાસ ચીખલી નજીક પલટી મારી ગઈ હતી. જેના પગલે બસમાં સવાર વિદ્યાર્થીઓ સહિત 23 ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં 3 વિદ્યાર્થીની હાલત ગંભીર હોવાથી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.પરિપત્ર પ્રમાણે બસ સવારે છ વાગ્યા બાદ નીકળવી જોઈતી હતી જો કે પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે, એક દિવસનો પ્રવાસ હોય વાલીઓની મંજૂરી સાથે તેઓ નીકળ્યાં હતાં
Related Posts
“વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ” નિમિત્તે રાજકોટ રેલ્વે મંડળના 5 રેલ્વે સ્ટેશનો પર પ્રદર્શનનું આયોજન આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર…
કેઆઇઆઈટી યુનિવર્સિટીમાં હર્ષોલ્લાસ સાથે છઠ પર્વની ઉજવણીનું કરાયું. આયોજન. ઉજવણીમાં ડો. સામંતા પણ ઉપસ્થિત રહ્યા જીએનએ : ઉત્તર ભારતના સૌથી…
રાજપીપલા સહીત નર્મદામા ભાજપાના કાર્યકરો સહિત આમ લોકો પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મનકીબાત ના કાર્યક્રમ મા જોડાયા
રાજપીપલા સહીત નર્મદામા ભાજપાના કાર્યકરો સહિત આમ લોકો પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મનકીબાત ના કાર્યક્રમ મા જોડાયા રાજપીપલામા મહિલા મોરચાની…
