નવસારીઃ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ભરૂચ સંચાલિત અંકલેશ્વરના અમૃતપુરાની પ્રાથમિક શાળાના બાળકોનો સાપુતારાનો પ્રવાસ યોજાયો હતો. શિક્ષણ વિભાગનો પરિપત્ર હોવા છતાં સવારે ચાર વાગ્યા આસપાસ પ્રવાસની લક્ઝરી બસ અંકલેશ્વરથી સાપુતારા જવા નીકળી હતી. દરમિયાન સવારે 5ઃ30 વાગ્યા આસપાસ ચીખલી નજીક પલટી મારી ગઈ હતી. જેના પગલે બસમાં સવાર વિદ્યાર્થીઓ સહિત 23 ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં 3 વિદ્યાર્થીની હાલત ગંભીર હોવાથી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.પરિપત્ર પ્રમાણે બસ સવારે છ વાગ્યા બાદ નીકળવી જોઈતી હતી જો કે પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે, એક દિવસનો પ્રવાસ હોય વાલીઓની મંજૂરી સાથે તેઓ નીકળ્યાં હતાં
Related Posts
બીજે દિવસે મંગળવાર 25 ફેબ્રુઆરી 2020
સવારે 10:00 કલાકે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ ભવનમાં થશે સ્વાગત સવારે 10:30 કલાકે રાજધાટ પર મહાત્મા ગાંધીની સમાધી પર માલા અર્પણ…
*ભાજપના ધારાસભ્યોના રાજીનામા અંગે જીતુ વાઘાણીએ આપ્યું નિવેદન*
ભાજપના ધારાસભ્યએ રાજીનામું આપ્યાના સમાચારો વહેતા થયા બાદ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, ભાજપના…
*અર્જુન મોઢવાડીયાના ટ્વિટને લઇને કોંગ્રેસમાં હડકંપ*
કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાના ટ્વિટને લઇને કોંગ્રેસમાં હડકંપ મચ્યો છે. કોંગ્રેસના નેતાએ ગુજરાતના દિલ્હીમાં બેઠેલા નેતાઓને ટ્વિટ દ્વારા આડે હાથ…
