નવસારીઃ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ભરૂચ સંચાલિત અંકલેશ્વરના અમૃતપુરાની પ્રાથમિક શાળાના બાળકોનો સાપુતારાનો પ્રવાસ યોજાયો હતો. શિક્ષણ વિભાગનો પરિપત્ર હોવા છતાં સવારે ચાર વાગ્યા આસપાસ પ્રવાસની લક્ઝરી બસ અંકલેશ્વરથી સાપુતારા જવા નીકળી હતી. દરમિયાન સવારે 5ઃ30 વાગ્યા આસપાસ ચીખલી નજીક પલટી મારી ગઈ હતી. જેના પગલે બસમાં સવાર વિદ્યાર્થીઓ સહિત 23 ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં 3 વિદ્યાર્થીની હાલત ગંભીર હોવાથી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.પરિપત્ર પ્રમાણે બસ સવારે છ વાગ્યા બાદ નીકળવી જોઈતી હતી જો કે પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે, એક દિવસનો પ્રવાસ હોય વાલીઓની મંજૂરી સાથે તેઓ નીકળ્યાં હતાં
Related Posts
સરસપુર સુલેમાન રોજની ચાલી પાસે બાટલો ફાટ્યો
અમદાવાદ સરસપુર સુલેમાન રોજની ચાલી પાસે બાટલો ફાટ્યો ત્રણ લોકો ઘવાતા હોસ્પિટલ ખસેડાયા શારદાબેન હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા
પીએસઆઇના ત્રાસથી યુવકે આપઘાત કર્યાનો આક્ષેપ
પીએસઆઇના ત્રાસથી યુવકે આપઘાત કર્યાનો આક્ષેપ ગીતામંદિર મજૂરગામ પાસે રહેતા ૪૦ વર્ષના યુવકે આજે મોડી રાત્રે દવા પીને આપઘાત કર્યો…

રાજપીપળા મા 447 એકરમાં એરપોર્ટ સહિત રનવે બનશે. તડામાર તૈયારીઓ શરૂ.
દેશના વિવિધ રાજ્યો માંથી ડોમેસ્ટિક ચાર્ટર પ્લેન રાજપીપલા ઉતરશે આજે ગુજરાત એવિએશિયાન અને કેન્દ્રીય એવિએશની ટીમ રાજપીપલા ખાતે આવી સર્વે…