સુરેન્દ્રનગરના મેઈન રોડ પર આવેલી માધા મગન આંગડિયા પેઢીમાં ધોળા દિવસે લૂંટની ઘટના ઘટી છે. આંગડિયા પેઢીના કર્મચારીને માર મારી બે અજાણ્યા શખ્સોએ રોકડ રકમની લૂંટ ચલાવી નાશી ગયા છે. જો કે લૂંટની રકમ કેટલી છે તે અંગે કોઈ ખુલાસો થયો નથી પરંતુ લાખો રકમની લૂંટ થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. લૂંટની જાણ થતાં જ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્ત કર્મચારીને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત કર્મચારીનું નામ અરજણભાઈ રબારી હોવાનું સામે આવ્યું છે.
Related Posts
જામનગરમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત તા.2 થી 13 સુધી શહેરના ચોકે – ચોકે શેરી નાટક યોજાશે જીએનએ જામનગર: જામનગર…
પેરુ જેવા અત્યંત પછાત વિસ્તારમાં સોના પર અદભૂત નકશીકામ થતું, અત્યંત સુંદર પથ્થરનું નકશીકામ પણ થતું….. (લેખન અને સંકલન) Deval Shastri 🌹
હજારો વર્ષ પહેલાં ભારત સહિત એશિયા અને અમેરિકા વચ્ચે વ્યવહાર હતો પણ ધીમે ધીમે કોઇ કારણોસર વ્યવહાર ખતમ થતાં અમેરિકા…
વર્લ્ડ બેંકના 12 સભ્યોની ટીમ 6 દિવસ સુરતમાં રોકાશે*
