પંજાબના તરણતારણમાં નગર કીર્તન માટે ભક્તોને લઈ જઇ રહેલા એક ટ્રેક્ટરની ટ્રોલીમાં વિસ્ફોટ થયો, જેમાં 3 લોકોનાં મોત નીપજ્યાં છે, 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને 15 થી 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે.. નગર કીર્તન માટે ટ્રેક્ટર ટ્રોલીમાં ફટાકડા લઈને જઈ રહ્યા હોવાનું જણાવાયું છે. તે દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠી અને ધમાકો થયો હતો.પોલીસબળની સાથે સાથે અન્ય અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. પોલીસનું કહેવું છેકે, હાલમાં ધ્યાન રાહત અને બચાવ કાર્ય પર કેન્દ્રિત છે.આ ધમાકા બાદ નાસ-ભાગ મચી ગઈ હતી. ઘાયલોને હોસ્પિટલમાં પહોચાડવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે, બાબા દીપ સિંહનો જન્મદિવસ ઉજવવા માટે આ લોકો જઈ રહ્યા હતા.
Related Posts
*રામેશ્વરમ્ના દરિયા પર રેલવે બ્રીજ તૈયાર, પીએમ મોદી કરશે લોકાર્પણ*
*રામેશ્વરમ્ના દરિયા પર રેલવે બ્રીજ તૈયાર, પીએમ મોદી કરશે લોકાર્પણ* સંજીવ રાજપૂત, એબીએનએસ: રામેશ્વરમ્ના દરિયા પર રેલવે બ્રીજ તૈયાર થઈ…
*ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર જિલ્લા દ્વારા સદસ્યતા અભિયાનની કરાઈ શરુઆત*
*ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર જિલ્લા દ્વારા સદસ્યતા અભિયાનની કરાઈ શરુઆત* જામનગર, સંજીવ રાજપૂત: ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર /…
નર્મદા જિલ્લાના સાગ બારા તાલુકાના ભવરિસાવર ગામનીભવરિસાવર આશ્રમ શાળાના બે શિક્ષક કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી જવા પામી છે.
નર્મદા બ્રેકીંગ નર્મદા જિલ્લાના સાગ બારા તાલુકાના ભવરિસાવર ગામનીભવરિસાવર આશ્રમ શાળાના બે શિક્ષક કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી જવા પામી…
