સુરત જિલ્લામાંથી મોટા પ્રમાણમાં નશીલા પદાર્થની ગોળીઓના જથ્થા સાથે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જિલ્લાના બારડોલી અને તાતીથૈયામાં નશીલી ગોળીઓનું વેચાણ કરતા બે દુકાનદારને ત્યાં પોલીસે છાપો માર્યો હતો અને મોટી માત્રામાં નશીલા પ્રદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ગોળીઓનું વેચાણ કરીયાણા સ્ટોર્સ પર ચોકલેટ જેવા રેપરમાં કરવામાં આવે છે. આ રેપર પર તરંગ વિજયાવટી આયુર્વેદિક ઔષધી લખેલું જોવા મળે છે. એસઓજીની ટીમે 87 કિલો વજનની નશીલી ગોળી સહિત 5.20 લાખનો મુદ્દામાલ કબજે કરી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
Related Posts
*📍કારગીલ અને આંદામાનમાં ભૂકંપનાં આંચકા, તીવ્રતા 3.4 અને 4.3 હતી*
*📍કારગીલ અને આંદામાનમાં ભૂકંપનાં આંચકા, તીવ્રતા 3.4 અને 4.3 હતી* શનિવારે મોડી રાત્રે લદ્દાખ અને આંદામાનમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા.…
*સુરત : સાડા 8 કરોડના GST કૌભાંડના આરોપી કમલ અગ્રવાલને દેશ ન છોડવાની શરતે જામીન* 4 જુલાઈએ GST વિભાગે…
*અમૃતકાળની પ્રથમ અને ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો શાનદાર પ્રારંભ કરાવતા પીએમ મોદી*
*અમૃતકાળની પ્રથમ અને ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો શાનદાર પ્રારંભ કરાવતા પીએમ મોદી* ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ…
