હિન્દુ ધર્મમાં અન્નદાનને સૌથી મોટું દાન માનવમાં આવે છે. ભૂખ્યાને ભોજન કરાવવામાં આવે તો તેનું પુણ્ય મરણોપરાંત રહે છે. એટલે જ શાસ્ત્રોમાં પણ અન્નદાન કરવાનું જણાવવામાં આવેલ છે.
અમદાવાદમા રહેતા મૂળ પાલનપુરના રહેવાસી રાજેન્દ્રભાઈ જોશી ડીસા અને પાલનપુરમાં જુદી જુદી જગ્યાઓ પર અન્નપૂર્ણા રથ ચલાવી રહ્યા છે તેમાં તેઓ માત્ર ૨ રૂપિયા ટોકન લઈને રોજ લગભગ ૮૦૦૦ ભૂખ્યા લોકોને શુધ્ધ અને સાત્વિક કઢી-ખીચડી ભોજન જમાડે છે.
આ ગુજરાતી ભૂદેવે ગરીબીમાં દિવસો પસાર કરેલા છે માટે તેઓ ગરીબ અને ભૂખ્યા લોકો માટે આ સેવકાર્ય કરી રહ્યા છે. કોઈપણ જાતની અપેક્ષા વગર તેઓ આ કાર્ય કરે છે અને આ માટે તેમણે દિલથી નમન કરવાનું મન થાય છે.
તેઓએ આ અન્નપૂર્ણા રથ તા.૩૦/૦૯/૨૦૧૬ ના રોજ તેમના માતા-પિતાના શ્રાદ્ધના દિવસથી તેમની યાદમાં શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ૨ રૂપિયાના ટોકન દરથી કઢી અને ખીચડી જમાડવામાં આવે છે. આ મોંઘવારીના સમયમાં ૩૦ થી ૪૦ રૂપિયાનો સામાન્ય ખર્ચ પણ નાસ્તો કરવા જઈએ તો થાય છે ત્યારે તેઓએ આ ખર્ચો એક સામાન્ય પગારદાર વ્યક્તિને ના પોસાય તેથી આ નજીવી રકમ લઈને ભરપેટ જમાડવાની આ સેવા શરૂ કરવાનો વિચાર તેમણે આવ્યો.
આ સેવા શરૂ કરવાની સાથે સાથે તેઓએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું હતું કે કોઈના ધંધા પર આની માઠી અસર ના થાય એટલા માટે તેઓએ કઢી અને ખીચડીનું વિતરણ કરવાનું વિચાર્યું. કારણ કે, કોઈ લારી કે ધંધાવાળો કઢી-ખીચડીનું વેચાણ કરતો નથી આથી કોઈના ધંધાને અસર કરે નહીં. તેમનો આ વિચાર પણ ધન્યવાદને પાત્ર છે.

લોકોના મનમાં જરૂર વિચારે આવે છે કે સસ્તું છે એટલે જેવુ તેવું હશે પણ એવું નથી આ ભોજન દરેક વ્યક્તિ જેમકે, બાળકો, યુવાન અને વૃધ્ધ દરેક વ્યક્તિ કરતાં હોવાથી હેલ્ધી અને સાત્વિક ભોજન જ આપવામાં આવે છે. આ સાથે ચોખ્ખાઈનો પણ ખુબજ ખ્યાલ રાખવામા આવે છે. ૧૦૦૦ સ્વચ્છ સ્ટીલની વાટકી, ચમચી અને પીવાનું પાણી તથા કચરાપેટી અન્નપૂર્ણા રથમાં રાખવામા આવેલ છે.
ભોજન માટે વપરાતા વાસણોનો ઉપયોગ થયા પછી ગરમ પાણીમાં ધોવાય છે અને ત્યારબાદ જ ફરી તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય ત્યાં તેમનો સાથે આપતા સ્ટાફના મિત્રોના હાથમાં પણ મોજા, અપ્રોન ને માથા પર કેપ પહેરવામાં આવે છે.

