ગુજરાતમાં ફરી એક વાર અનામતનુ ભૂત ધુણ્યું છે. એલઆરડીની ભરતીમાં અનામત મુદ્દે માલધારી ઉમેદવારો કડકડતી ઠંડીમાં આમરણાંત ઉપવાસ પર બેઠાં છે. આજે વધુ એક મહિલાની તબીયત બગડતાં તેને ગાંધીનગર સિવિલ લઇ જવાઇ હતી. માલધારી ઉમેદવારો ટસથી મસ થવા તૈયાર નથી. આદિવાસીઓ ખોટા પ્રમાણપત્ર મેળવી ઘણી જ્ઞાાતિ અનામતનો લાભ મેળવે છે જેથી ખોટા પ્રમાણપત્ર રદ કરો તેવી માંગ સાથે આંદોલન કરી રહ્યાં છે.આ આંદોલનને ભાજપના સાંસદો પરબત પટેલ,પૂનમ માડમ,કિરીટ સોલંકી,રાજ્યસભાના સભ્ય જુગલજી ઠાકોર સમર્થન આપી ચૂક્યાં છે ત્યારે આજે ભાજપના વધુ એક સાંસદ રાજેશ ચુડાસમાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને આંદોલનને સમર્થન આપ્યું છે. જેથી પ્રદેશ ભાજપ નેતાગીરી-સરકાર ચિંતામાં મૂકાઇ છે. દરમિયાન, 12મી ફેબુ્રઆરીએ પાટીદાર,ક્ષત્રિય અને બ્રહ્મ સમાજ સહિત અન્ય સમાજના પ્રતિનીધીઓની એક ચિંતન શિબીરનુ ય આયોજન કરાયુ છે જેમાં અનામતનો લાભ મળતો નથી તે મુદ્દે વિસ્તૃત ચર્ચા કરીને આગળની રણનિતી ઘડવામાં આવશે.
Related Posts
ભારતીય કોસ્ટ ગાર્ડ અને એટીએસ દ્વારા સંયુક્ત રીતે શસ્ત્રો, દારૂગોળો અને નાર્કોટિક્સ સાથેની પાકિસ્તાની બોટ પકડાઈ જીએનએ અમદાવાદ: ભારતીય તટરક્ષક…
દેડીયાપાડાના કંકાલા ગામ પાસેથી ભેંસ તથા પાડિયા કુલ 8 પશુઓ ભરેલ પીકઅપ ઝડપાઇ.
ભેંસ અને 7 નાના પાડીયા મળી કુલ 8 પશુઓ ખીચોખીચ ભરી ઘાસચારા પાણીની સુવિધા નહીં રાખી આરટીઓના પાસ પરમીટ વગર…
ભારત માતા ના વીર જવાન જે જમ્મુ કાશ્મીર બોર્ડર પર શહીદ થયા છે તેમના દિવ્ય આત્માને પરમાત્મા શાંતિ આપે અનુસંધાન માં આજે પંડિત દિનદયાળ વિભાગ-1 વિવેકાનંદ નગર સોસાયટીમાં શહિદો માટે શ્રદ્ધાંજલિ અર્પણ નો કાર્યક્રમ રાખેલ
આપણા ભારત માતા ના વીર જવાન જે જમ્મુ કાશ્મીર બોર્ડર પર શહીદ થયા છે તેમના દિવ્ય આત્માને પરમાત્મા શાંતિ આપે…
