ગુજરાતમાં ફરી એક વાર અનામતનુ ભૂત ધુણ્યું છે. એલઆરડીની ભરતીમાં અનામત મુદ્દે માલધારી ઉમેદવારો કડકડતી ઠંડીમાં આમરણાંત ઉપવાસ પર બેઠાં છે. આજે વધુ એક મહિલાની તબીયત બગડતાં તેને ગાંધીનગર સિવિલ લઇ જવાઇ હતી. માલધારી ઉમેદવારો ટસથી મસ થવા તૈયાર નથી. આદિવાસીઓ ખોટા પ્રમાણપત્ર મેળવી ઘણી જ્ઞાાતિ અનામતનો લાભ મેળવે છે જેથી ખોટા પ્રમાણપત્ર રદ કરો તેવી માંગ સાથે આંદોલન કરી રહ્યાં છે.આ આંદોલનને ભાજપના સાંસદો પરબત પટેલ,પૂનમ માડમ,કિરીટ સોલંકી,રાજ્યસભાના સભ્ય જુગલજી ઠાકોર સમર્થન આપી ચૂક્યાં છે ત્યારે આજે ભાજપના વધુ એક સાંસદ રાજેશ ચુડાસમાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને આંદોલનને સમર્થન આપ્યું છે. જેથી પ્રદેશ ભાજપ નેતાગીરી-સરકાર ચિંતામાં મૂકાઇ છે. દરમિયાન, 12મી ફેબુ્રઆરીએ પાટીદાર,ક્ષત્રિય અને બ્રહ્મ સમાજ સહિત અન્ય સમાજના પ્રતિનીધીઓની એક ચિંતન શિબીરનુ ય આયોજન કરાયુ છે જેમાં અનામતનો લાભ મળતો નથી તે મુદ્દે વિસ્તૃત ચર્ચા કરીને આગળની રણનિતી ઘડવામાં આવશે.
Related Posts
*રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું ખંભાળિયા સર્કિટ હાઉસ ખાતે ઉમળકાભેર સ્વાગત કરાયું*
*રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું ખંભાળિયા સર્કિટ હાઉસ ખાતે ઉમળકાભેર સ્વાગત કરાયું* એબીએનએસ દેવભૂમિ દ્વારકા: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે દિવસ દરમિયાન…
*ભાદરવી પૂનમનો મહામેળો સોળે કળાએ જામ્યો: અંબાજીમાં ભક્તિ અને શ્રદ્ધાનું ઉમટયું ઘોડાપૂર*
*ભાદરવી પૂનમનો મહામેળો સોળે કળાએ જામ્યો: અંબાજીમાં ભક્તિ અને શ્રદ્ધાનું ઉમટયું ઘોડાપૂર* અંબાજી, સંજીવ રાજપૂત: વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ…
गांधीनगर* मनपा का 2022-23 का 512 करोड़ का बजट हुआ मंजूर।
गांधीनगर* मनपा का 2022-23 का 512 करोड़ का बजट हुआ मंजूर।
