ગુજરાતમાં ફરી એક વાર અનામતનુ ભૂત ધુણ્યું છે. એલઆરડીની ભરતીમાં અનામત મુદ્દે માલધારી ઉમેદવારો કડકડતી ઠંડીમાં આમરણાંત ઉપવાસ પર બેઠાં છે. આજે વધુ એક મહિલાની તબીયત બગડતાં તેને ગાંધીનગર સિવિલ લઇ જવાઇ હતી. માલધારી ઉમેદવારો ટસથી મસ થવા તૈયાર નથી. આદિવાસીઓ ખોટા પ્રમાણપત્ર મેળવી ઘણી જ્ઞાાતિ અનામતનો લાભ મેળવે છે જેથી ખોટા પ્રમાણપત્ર રદ કરો તેવી માંગ સાથે આંદોલન કરી રહ્યાં છે.આ આંદોલનને ભાજપના સાંસદો પરબત પટેલ,પૂનમ માડમ,કિરીટ સોલંકી,રાજ્યસભાના સભ્ય જુગલજી ઠાકોર સમર્થન આપી ચૂક્યાં છે ત્યારે આજે ભાજપના વધુ એક સાંસદ રાજેશ ચુડાસમાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને આંદોલનને સમર્થન આપ્યું છે. જેથી પ્રદેશ ભાજપ નેતાગીરી-સરકાર ચિંતામાં મૂકાઇ છે. દરમિયાન, 12મી ફેબુ્રઆરીએ પાટીદાર,ક્ષત્રિય અને બ્રહ્મ સમાજ સહિત અન્ય સમાજના પ્રતિનીધીઓની એક ચિંતન શિબીરનુ ય આયોજન કરાયુ છે જેમાં અનામતનો લાભ મળતો નથી તે મુદ્દે વિસ્તૃત ચર્ચા કરીને આગળની રણનિતી ઘડવામાં આવશે.
Related Posts
*મોરબીના રવાપર ગામે દબાણ હટાવાની કામગીરી* 25 વીઘા સરકારી જમીન પરથી દબાણ હટાવાયું દોઢ માસ અગાઉ જમીન ખુલ્લી કરવા અપાઇ…
ઔધ્યોગિક પાણી નદીમા છોડતુ અટકાવવામા એએમસી નિષ્ફળ
સાબરમતી નદીમાં હજારો માછલીઓના મોત અચાનક માછલીઓના મોત પાછળ કારણ અકબંધ ઔધ્યોગિક પાણી નદીમા છોડતુ અટકાવવામા એએમસી નિષ્ફળ ઇન્ડસ્ટ્રીયલ પાણી…
*શ્રી આપાગીગાના ઓટલા દ્વારા આયોજીત સર્વે પીતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ* *”રોટલો અને ઓટલાથી મોટું સત્કાર્ય જગતમાં…
