દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગામમાં બિહારની આયુર્વેદિક ડિગ્રી લઇને એલોપેથી પ્રેક્ટીસ કરી રહેલા વધુ એક તબીબ સામે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી હતી. ચોંકાવનારી બાબત એ હતી કે ક્લિનિકમાં ધોરણ-10 ચોપડી ભણેલો કમ્પાઉન્ડર દર્દીઓને ઇંજેક્શન આપવાનું અને બોટલ આપવાનું કામ કરતો હતો.થોડા દિવસ અગાઉ પાંથાવાડાના ડી.કે.પટેલ નામના અરજદારે જિલ્લા આરોગ્ય અધિકારીને અરજી કરી હતી. જેમાં ડો.વિનોદ પટેલ એલોપેથી પ્રેક્ટિસ કરી ઇન્જેક્શન બોટલ ચડાવી માનવ જિંદગી સાથે ચેડા કરતો હોવાની ફરિયાદ કરી હતી.જે અરજી બાદ જિલ્લા આરોગ્ય અધિકારીએ તાલુકા હેલ્થ કચેરીને વિનોદ પટેલની ક્લિનિકમાં તપાસ કરવાનું જણાવતા ગુરુવારે દાંતીવાડા તાલુકા હેલ્થ ઓફિસરએ દરોડો પાડી પ્રાઇવેટ પ્રેક્ટિસ અટકાવી હતી. સ્થળ પર દર્દીઓના નિવેદન લેવાયા હતા. તેમજ દર્દીઓની સારવાર કરી રહેલા સુરેશ પટેલ નામના 20 વર્ષીય કમ્પાઉન્ડરનું નિવેદન ટાંક્યું હતું. જેમાં તેણે જણાવ્યું કે ‘તે 6 માસથી અહીં દવા ઇન્જેક્શન આપવાનું કામ કરે છે અને 10 ચોપડી ભણેલો છે
Related Posts
*સુરતમાં અઠવાગેટના વિમાનને 14 ફૂટ લાંબુ માસ્ક પહેરાવાયું*
સુરતઃ સુરતીઓ કોરોના વાઈરસથી ગભરાય નહીં અને જરૂરી સાવચેતી રાખે તે માટે અઠવાલાઇન્સ ખાતે આવેલા પ્લેન સર્કલ ખાતે મૂકાયેલા પ્લેનને…
સત્તાના દૂર ઉપયોગ મુદ્દે તત્કાલીન સરપંચ સહિત 2 લોકો સામે રાજકોટ એસીબીએ નોંધ્યો ગુનો.
રાજકોટ: બનાવની વિગત જોતા સને ૨૦૧૧ થી સને ૨૦૧૫-૧૬ ના સમયગાળા દરમ્યાન ગોંડલ તાલુકાના પીપળીયા ગ્રામ પંચાયતના તત્કાલીન સરપંચ કાન્તીભાઇ…
કડી સર્વ વિશ્વવિદ્યાલય અને સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સર્વ નેતૃત્વ પ્રોગ્રામ મોમેન્ટો આપી સન્માનિત કરવા આવ્યાં.
*કડી સર્વ વિશ્વવિદ્યાલય* અને *સર્વ વિદ્યાલય કેળવણી મંડળ* દ્વારા સંસ્થા ના ચેરમેન સાહેબ ના માર્ગદર્શન હેઠળ ચાલતા *સર્વ નેતૃત્વ પ્રોગ્રામ*…
