દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગામમાં બિહારની આયુર્વેદિક ડિગ્રી લઇને એલોપેથી પ્રેક્ટીસ કરી રહેલા વધુ એક તબીબ સામે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી હતી. ચોંકાવનારી બાબત એ હતી કે ક્લિનિકમાં ધોરણ-10 ચોપડી ભણેલો કમ્પાઉન્ડર દર્દીઓને ઇંજેક્શન આપવાનું અને બોટલ આપવાનું કામ કરતો હતો.થોડા દિવસ અગાઉ પાંથાવાડાના ડી.કે.પટેલ નામના અરજદારે જિલ્લા આરોગ્ય અધિકારીને અરજી કરી હતી. જેમાં ડો.વિનોદ પટેલ એલોપેથી પ્રેક્ટિસ કરી ઇન્જેક્શન બોટલ ચડાવી માનવ જિંદગી સાથે ચેડા કરતો હોવાની ફરિયાદ કરી હતી.જે અરજી બાદ જિલ્લા આરોગ્ય અધિકારીએ તાલુકા હેલ્થ કચેરીને વિનોદ પટેલની ક્લિનિકમાં તપાસ કરવાનું જણાવતા ગુરુવારે દાંતીવાડા તાલુકા હેલ્થ ઓફિસરએ દરોડો પાડી પ્રાઇવેટ પ્રેક્ટિસ અટકાવી હતી. સ્થળ પર દર્દીઓના નિવેદન લેવાયા હતા. તેમજ દર્દીઓની સારવાર કરી રહેલા સુરેશ પટેલ નામના 20 વર્ષીય કમ્પાઉન્ડરનું નિવેદન ટાંક્યું હતું. જેમાં તેણે જણાવ્યું કે ‘તે 6 માસથી અહીં દવા ઇન્જેક્શન આપવાનું કામ કરે છે અને 10 ચોપડી ભણેલો છે
Related Posts
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં ગુટખા તમાકુ પર પ્રતિબંધ હોવા છતાં પણ ચોરી છૂપીથી કેટલીક જગ્યાએ ગુટખાનું વેચાણ થઈ રહ્યું હોવાની પોલીસને બાતમી મળતા પ્રદેશ પોલીસની ટીમે સેલવાસ અને આસપાસના વિસ્તારોમાં સંખ્યાબંધ રેડ કરી હતી
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં ગુટખા તમાકુ પર પ્રતિબંધ હોવા છતાં પણ ચોરી છૂપીથી કેટલીક જગ્યાએ ગુટખાનું વેચાણ થઈ રહ્યું…
*કુંભમાં નાસભાગને લઈ યુપીના સીએમ આદિત્યનાથ યોગીએ આપી પ્રથમ પ્રતિક્રિયા*
*કુંભમાં નાસભાગને લઈ યુપીના સીએમ આદિત્યનાથ યોગીએ આપી પ્રથમ પ્રતિક્રિયા* એબીએનએસ યુપી: પ્રયાગરાજમાં સ્થિતિ સામાન્ય છે. પીએમ મોદી થી 4…
ગોંડલ રોડ પરથી ગાયબ થયેલો રપ લાખની રોકડ સાથેનો થેલો પોલીસે શોધી માલીકને પરત કર્યો
મહેસાણાના શિક્ષક મહેન્દ્રભાઇ વાઘેલા એડવોકેટને મળવા માટે કારપાર્ક કરવા ગયાને થેલો ગુમ થયો’તોઃ ભકિતનગર પોલીસે રોકડ ભરેલો થેલો શોધી પરત…
