નવી દિલ્હી: રાજધાનીમાં 576 સરકારી બંગલાઓ પર નિવૃત અધિકારીઓ અને પૂર્વ સાંસદોના ગેરકાયદે કબ્જાને લઈને દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. કોર્ટે બે સપ્તાહની અંદરમાં આ બંગલા ખાલી કરાવવાનો આદેશ આપતા કહ્યું કે કબજેદારો પાસેથી બાકી ભાડું પણ વસૂલવામાં આવે. સાથે કોર્ટે એમ પણ કહ્યું કે, જો કોઈ અધિકારી કે સાંસદ બંગલા ખાલી કરવાની મનાઈ કરે તો 2 સપ્તાહમાં તેમનો સામાન રસ્તા પર મૂકી દેવામાં આવે.ચીફ જસ્ટિસ ડી.એન.પટેલ અને જસ્ટિસ સી હરિ શંકરે કહ્યું કે, સરકાર આ લોકો પાસેથી બાકી ભાડું વસૂલ કરે અને અત્યાર સુધી રિકવરી શરું નહીં કરવા મામલે પણ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી.
Related Posts
*બાળપણની ‘મીઠાશ’ છીનવતી મજૂરીમાંથી દસ વર્ષના બાળકને મુક્ત કરાવવામાં આવ્યો*
*બાળપણની ‘મીઠાશ’ છીનવતી મજૂરીમાંથી દસ વર્ષના બાળકને મુક્ત કરાવવામાં આવ્યો* અમદાવાદ, સંજીવ રાજપૂત: તહેવારો અને ખુશીના પ્રસંગોમાં જે મીઠાઈઓ આપણા…
*ભારતીય સેના દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે રાજ્યમાં મેગા સ્વચ્છતા અને જાગૃતિ અભિયાનનું કરાયું આયોજન*
*ભારતીય સેના દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે રાજ્યમાં મેગા સ્વચ્છતા અને જાગૃતિ અભિયાનનું કરાયું આયોજન* અમદાવાદ, સંજીવ રાજપૂત: ગાંધી જયંતિના…
જિલ્લામાં ચોમાસામાં ઉભી થનાર ફલડની સ્થિતી સામે રાહત અને બચાવ કામગીરી અંગે પ્રિમોન્સુન પ્લાન તૈયાર કરવા સબંધિત અધિકારીઓ સાથે જિલ્લા કલેકટરશ્રીએ બેઠક યોજી.
ગાંધીનગર : જિલ્લા કલેકટરશ્રી ડૉ.કુલદીપ આર્યએ પ્રિમોન્સુન પ્લાન તૈયાર કરવા સબંધિત જિલ્લા અધિકારીઓની બેઠકયોજી હતી જેમાં પ્રારંભે જિલ્લા અધિકારીઓેને કોરોના…
