આઈએસઆઈએસ (ISIS)ના કથિત આતંકી અબૂ મૂસાએ રોજ કલકત્તાની એક કોર્ટમાં સુનાવણી દરમિયાન જજ પર બૂટ ફેંક્યું હતું. UAPA કાયદા અંતર્ગત તેની વિરુદ્ધ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જો કે, આ બૂટ જજને લાગ્યું નહોતું.આ આતંકીના બૂટના નિશાને જજની જગ્યાએ NIAના વકીલ તમલ મુખર્જી આવી ગયા હતા. મુખર્જીએ દાવો કર્યો છે, તેઓ બૂટ વાગવાથી ઘાયલ થયા છે.આઈએસઆઈએસ અને જમાત ઉલ મુઝાહિદ્દીન બાંગ્લાદેશ સાથે કથિત રીતે જોડાવા બદલ 2016માં ધરપકડ કરાયેલા મૂસા કાયદાની પકડમાં છે. યુવાનોને કટ્ટર બનાવવાની કથિત ભૂમિકામાં તેના વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે.આ આરોપી અગાઉ પણ જેલમાં આવું હિંસક વર્તન કરી ચુક્ય છે, તેણે બૂટ ફેંકતા પહેલા કોર્ટમાં બૂમો પાડતા કહ્યું હતું કે, તે માણસો માટે બનાવેલા કાયદામાં વિશ્વાસ કરતો નથી. તેને કાયદામાં વિશ્વાસ નથી, તેને ન્યાય નહીં મળે. વર્ષ 2018માં મૂસાએ પ્રેસીડેંસી જેલમાં એક જેલ વોર્ડન પર હુમલો કરી ઘાયલ કર્યો હતો.
Related Posts
15 करोड़ लोगों का टीकाकरण करने वाला पहला राज्य बना यूपी, कोविड की बूस्टर डोज में भी बनाया रिकार्ड
વૈશ્વિક સંદર્ભમાં ભારત ભૂમિકા ભજવી શકે ? વૈશ્વિક સંદર્ભમાં ભારતની ભૂમિકા કેવી અને શું હોઈ શકે ? આ વિષય પર ભારતનાં સૌથી મોટા હિંદુ સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સરસંઘચાલક શ્રી મોહન ભાગવતનાં વિચારો.
માધવ સ્મૃતિ ન્યાસ કર્ણાવતી દ્વારા દર વર્ષે ગુરુજી વ્યાખ્યાનમાળા અંતર્ગત રાષ્ટ્રીય વિચારોનો પ્રચાર અને પ્રસાર થાય તે હેતુ થી પ્રાસંગિક…
*7 હજાર સીસીટીવી સાથે વિશ્વાસ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો પૂર્ણ. અત્યાર સુધી 6200થી વધુ ગુના ઉકેલાયા.* *જીએનએ ગાંધીનગર* ટ્રાફિક મેનેજમેન્ટ…
