ધોરાજી નજીક ફાયરીંગ કરી લાખોની આંગડીયા લૂંટ ચલાવનાર માસ્ટર માઈન્ડને પોલીસે ઉત્તરપ્રદેશથી દબોચી લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ અંગે મળતી વિગતો આ પ્રમાણે છે કે દોઢ વર્ષ પૂર્વે ધોરાજીના સુપેડી નજીક આંગડીયા પેઢીની કારને ફાયરીંગ કરી આંતરી પેઢીના સ્ટાફને માર મારી સોનાના દાગીના સહિત લાખોની લૂંટ ચલાવી હતી. આ ઘટનામાં આરોપીઓને પોલીસે પકડી પાડ્યા હતા પણ માસ્ટર માઈન્ડ અને લૂંટના ગુનાને અંજામ આપનાર મુખ્ય આરોપી એવો અનીલ રામાદીન યાદવ વારંવાર પોલીસને હાથતાળી આપી નાસતો ફરતો હતો. આ સુપેડી આંગડીયા લૂંટના મુખ્ય આરોપી અંગે ધોરાજી પોલીસના મથકના પી.આઈને જાણકારી મળતા ધોરાજી પોલીસની સર્તકતા રાખી ૧૬ કલાક વાહન ચલાવીને મહામહેનતે આરોપી કોર્ટમાંથી છૂટ્યો કે તુરત જ પકડી પાડ્યો હતો. આરોપીને ધોરાજી પોલીસ સ્ટેશનના કડવા લીમડાની સુગંધ ખવડાવેલ અનેવઅન્ય કેટલા ગુનાઓ કર્યાં છે તે અંગે ધોરાજીના પી.આઈ તપાસ ચલાવી રહ્યા છે.
Related Posts
લવ જેહાદ મુદ્દે ભાજપી સાંસદ મનસુખ વસાવાનુ નિવેદન- લવ જેહાદ માટે ખાસ તાલીમ અપાય છે અને ભોળીહિન્દુ યુવતીઓને જાળમાં ફસાવાય છે.
લવ જેહાદ મુદ્દે ભાજપી સાંસદ મનસુખ વસાવાનુ નિવેદન- લવ જેહાદ માટે ખાસ તાલીમ અપાય છે અને ભોળીહિન્દુ યુવતીઓને જાળમાં ફસાવાય…
દુઃખદ સમાચાર. : સુરતનાં કીમ માંડવી રોડ પર 14 લોકો કચડાયા ટ્રકચાલકે 14 શ્રમજીવીઓને કચડયા ફુટપાથ પર સુતેલા શ્રમજીવીઓને કચડયા કુલ 18 પૈકી 14 શ્રમજીવીઓનાં મોત.
દુઃખદ સમાચાર. : સુરતનાં કીમ માંડવી રોડ પર 14 લોકો કચડાયા ટ્રકચાલકે 14 શ્રમજીવીઓને કચડયા ફુટપાથ પર સુતેલા શ્રમજીવીઓને કચડયા…
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૧મા જ્ન્મદિવસે અમદાવાદ પૂર્વના લાલ બહાદુર શાસ્ત્રી તળાવમાં ૭૧ હજાર વૃક્ષારોપણ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૧મા જ્ન્મદિવસે અમદાવાદ પૂર્વના લાલ બહાદુર શાસ્ત્રી તળાવમાં ૭૧ હજાર વૃક્ષારોપણ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અમદાવાદ: મુખ્યમંત્રી…
