ભાવનગરઃ આ શહેરનું એક હુલામણું નામ છે, અને એ છે “ભાવેણું” આ શબ્દ મૂળ એક કાઠીયાવાડી શબ્દ છે કે જેનો અર્થ થાય છે ભાવ(અંતરના) વાળું. આ શહેરની દરેક પ્રવૃત્તિમાં ભાવ હોય છે અને આ શહેરના ભાવમાં ક્યારેય અભાવ નથી હોતો. પછી પ્રવૃત્તિ કલાની હોય, સાહિત્યની હોય કે પછી સામાજિક હોય. જે થાય તે દિલથી થાય.આવી એક સુંદર પ્રવૃત્તિ એટલે પુસ્તક દાનનું અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું. પુસ્તક દાન જેવી પ્રવૃતિઓ કે કાર્યક્રમો ખૂબ ઓછા થતા જોવા મળે છે. આવું કંઈક અલગ ભાવનગરને જ સુઝે અને એને કરી પણ દેખાડે. ત્રણ વર્ષમાં એક લાખથી વધુ પુસ્તકોનું દાન આપવુંએ સામાન્ય તો નથી જ. ભાવનગરના નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા આ કાર્ય થયું છે. ભાવનગરના ઉદય દવે, ચિતાર્થ ઓધારીયા, હિતેન્દ્રસિંહ ગોહિલ સહિતનાં સાત યુવાનો આ ટ્રસ્ટ ચલાવે છે.
Related Posts
સુશાંતની મોત પછી ઘણા લોકોની જિંદગીમાં મુશ્કેલીના વાદળો ઘેરાયા છે.જેમાં કંગના રનોટ કે મહારાષ્ટ્ર સરકારનો પુત્ર આદિત્ય ઠાકરે પણ બાકાત નથી. ભાવિની નાયક.
સુશાંતની આત્મહત્યાનો કેસ સી.બી.આઈ ને સોંપવા માટે બિહાર સરકાર અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે આનાકાનીઓ ચાલી રહી છે. બિહાર સરકારનું માનવું…
‘’હું માનવસેવાની મારી ફરજ ચૂંકું તો મારી માનવતા લાજે’’- વાસંતીબેન. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ વાસંતીબેનનું સેવાકાર્ય સરાહનીય..
*‘’હું માનવસેવાની મારી ફરજ ચૂંકું તો મારી માનવતા લાજે’’- વાસંતીબેન. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ વાસંતીબેનનું સેવાકાર્ય સરાહનીય..*…
જિંદગી સતત પસંદ-નાપસંદ માર્ગ પર ચાાલે છે. માણસજાત ભગવાન બદલતા ખચકાટ નથી, તો ઇન્સાન ક્યા ચીજ હૈ…. Deval Shastri
માણસ અને સંજોગો અનુકૂળ હતાં, તો બધી બાબતો પસંદ હતી. જે વસ્તુ કે વિચાર માટે જન્મજાત નફરત હતી તે પણ…
