બેંક ખાતા ધારકોને જેની ખાસ આશા હતી એ આશા ઉમ્મીદ સે જ્યાદા ફળી છે. થોડા વખત પહેલાની પીએમસી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓ.બેંક બેંકની કટોકટી બાદ અનેક ખાતા ધારકોના નાણાં અટવાયા ત્યારે બેંકમાં મૂકાયેલા નાણાં કેટલા સુરક્ષિત છે એ સવાલ ઊઠયા હતા અને એ સમયે બેંકમાં મૂકાયેલી-જમા કરાયેલી રકમ કેટલી પણ હોય તેનું વીમા રક્ષણ માત્ર એક લાખ રૂપિયા જેટલું જ છે. અર્થાત બેંક ડૂબે કે નાદાર થાય તો ધારકને માત્ર એક લાખ રૂપિયા સુધીની રકમ વીમા પેટે પાછી મળતી. આ રકમ લગભગ અઢી દાયકાથી એની એ જ રહી હતી. આ વખતના બજેટમાં આ વીમા રક્ષણની રકમ વધારીને પાંચ લાખ રૂપિયા કરી દેવાઈ છે. જે અત્યારસુધી માત્ર એક લાખ રૂપિયા હતી. આ મર્યાદા રૂ. બે લાખ સુધી વધવાની ધારણા કે આશા હતી, જેની સામે નાણાં પ્રધાને પાંચ લાખ કરીને બેંક ખાતા ધારકોને મોટી રાહત આપી છે.
Related Posts
હવે 24મા સપ્તાહે પણ ગર્ભપાત થઇ શકશેઃ કેબિનેટમાં મંજૂરી
નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રીમંડળે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી બિલ 2020ને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી સાથે મેડિકલ ટર્મિનેશન ઓફ…
RTE પ્રવેશ પ્રક્રિયા 2022-23નાં બીજા રાઉન્ડ માટે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુન: પસંદગી કરવાની તક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની…
કોરોનાકાળમાં શ્વાસથી સ્મશાન સુધી વિહિપની જનસેવા: અમદાવાદમાં 10 નિઃશુલ્ક શબવાહીનીની સેવા શરૂ કરવામાં આવી.
કોરોનાકાળમાં શ્વાસથી સ્મશાન સુધી વિહિપની જનસેવા: અમદાવાદમાં 10 નિઃશુલ્ક શબવાહીનીની સેવા શરૂ કરવામાં આવી. વિહિપના હેલ્પલાઇન નંબર નીચે મુજબ છે.…
