બેંક ખાતા ધારકોને જેની ખાસ આશા હતી એ આશા ઉમ્મીદ સે જ્યાદા ફળી છે. થોડા વખત પહેલાની પીએમસી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓ.બેંક બેંકની કટોકટી બાદ અનેક ખાતા ધારકોના નાણાં અટવાયા ત્યારે બેંકમાં મૂકાયેલા નાણાં કેટલા સુરક્ષિત છે એ સવાલ ઊઠયા હતા અને એ સમયે બેંકમાં મૂકાયેલી-જમા કરાયેલી રકમ કેટલી પણ હોય તેનું વીમા રક્ષણ માત્ર એક લાખ રૂપિયા જેટલું જ છે. અર્થાત બેંક ડૂબે કે નાદાર થાય તો ધારકને માત્ર એક લાખ રૂપિયા સુધીની રકમ વીમા પેટે પાછી મળતી. આ રકમ લગભગ અઢી દાયકાથી એની એ જ રહી હતી. આ વખતના બજેટમાં આ વીમા રક્ષણની રકમ વધારીને પાંચ લાખ રૂપિયા કરી દેવાઈ છે. જે અત્યારસુધી માત્ર એક લાખ રૂપિયા હતી. આ મર્યાદા રૂ. બે લાખ સુધી વધવાની ધારણા કે આશા હતી, જેની સામે નાણાં પ્રધાને પાંચ લાખ કરીને બેંક ખાતા ધારકોને મોટી રાહત આપી છે.
Related Posts
ITBP પેરા મિલિટરીમાં 21 વર્ષ દેશ સેવા આપી પરત ફરતા જવાન ચૌહાણ કિશોર નો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો.
ITBP પેરા મિલિટરીમાં 21 વર્ષ દેશ સેવા આપી પરત ફરતા જવાન ચૌહાણ કિશોર નો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો ચૌહાણ કિશોરભાઈ…
સવાલ 7 કરોડ ડોઝ જાય છે ક્યા
સવાલ 7 કરોડ ડોઝ જાય છે ક્યા દેશની જાણીતી ફાર્મા કંપની બાયોકોનનાં ચેરમેન કિરણ મજમુદાર શોએ દેશમાં કોવિડ-19ની વેક્સિનની અછત…
માસ્ક પહેર્યો ન હોવાથી પોલીસે તેમને દંડ ભરવાનું કહેતાં, યુવકોએ પોલીસ સાથે ઝગડો કરી ગાળાગાળી કરી હતી. દરમિયાન પાંચેય યુવકોએ પોલીસ કર્મચારી દિગ્વિજયસિંહ લક્ષ્મણસિંહને ઘેરી ગડદાપાટુ અને ફેંટો મારી હતી. જેથી અન્ય પોલીસ કર્મચારીઓએ પાંચેયને ઝડપી લીધા હતા.
ગુજ.યુનિ.પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.કે.ચૌધરી પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલે સાંજે 6.30 વાગ્યે પાંજરાપોળ પાસેની જ્હાનવી રેસ્ટોરન્ટની ગલીમાં પહોંચ્યા ત્યારે ત્યાં 5 યુવકો…
