બેંક ખાતા ધારકોને જેની ખાસ આશા હતી એ આશા ઉમ્મીદ સે જ્યાદા ફળી છે. થોડા વખત પહેલાની પીએમસી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓ.બેંક બેંકની કટોકટી બાદ અનેક ખાતા ધારકોના નાણાં અટવાયા ત્યારે બેંકમાં મૂકાયેલા નાણાં કેટલા સુરક્ષિત છે એ સવાલ ઊઠયા હતા અને એ સમયે બેંકમાં મૂકાયેલી-જમા કરાયેલી રકમ કેટલી પણ હોય તેનું વીમા રક્ષણ માત્ર એક લાખ રૂપિયા જેટલું જ છે. અર્થાત બેંક ડૂબે કે નાદાર થાય તો ધારકને માત્ર એક લાખ રૂપિયા સુધીની રકમ વીમા પેટે પાછી મળતી. આ રકમ લગભગ અઢી દાયકાથી એની એ જ રહી હતી. આ વખતના બજેટમાં આ વીમા રક્ષણની રકમ વધારીને પાંચ લાખ રૂપિયા કરી દેવાઈ છે. જે અત્યારસુધી માત્ર એક લાખ રૂપિયા હતી. આ મર્યાદા રૂ. બે લાખ સુધી વધવાની ધારણા કે આશા હતી, જેની સામે નાણાં પ્રધાને પાંચ લાખ કરીને બેંક ખાતા ધારકોને મોટી રાહત આપી છે.
Related Posts
AMC દ્વારા રૂ,૨૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ ૧૯ PSA ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ મુખ્યમંત્રી*
*અમદાવાદ: કોરોનાની ત્રીજી લહેરના સામનાની તૈયારીના ભાગરૂપે દરેક રાજ્યોને ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવા માટે ભારત સરકાર તરફથી સૂચના આપવામાં આવી…
ઇકો સેન્સિટીવ ઝોનમાં આવતા નર્મદાના 121 ગામોના સરપંચોને ભાજપના માજી ધારાસભ્ય મોતીલાલ વસાવા એ પત્ર લખ્યો.
ઇકો સેન્સિટીવ ઝોનમાં આવતા નર્મદાના 121 ગામોના સરપંચોને ભાજપના માજી ધારાસભ્ય મોતીલાલ વસાવા એ પત્ર લખ્યો. 28 12 થી 6/1…
⭕ *ગુજરાતમાં નવા 965 પોઝિટિવ કેસ નોંધાયા,20 લોકોનાં મોત ,877 લોકો ડિસ્ચાર્જ*
⭕ *24 કલાકમાં સુરત 285,અમદાવાદ 212,વડોદરા 79,રાજકોટ 49,ભાવનગર 35,ગાંધીનગર 30,મહેસાણા 22,બનાસકાંઠા 21,દાહોદ-કચ્છ 19,ભરૂચ 18,પંચમહાલ 16,જૂનાગઢ-સુરેન્દ્રનગર 15,પાટણ-વલસાડ 14,અમરેલી 13,ખેડા-તાપી 12,નવસારી 11,ભાવનગર-સાબરકાંઠા…
