બેંક ખાતા ધારકોને જેની ખાસ આશા હતી એ આશા ઉમ્મીદ સે જ્યાદા ફળી છે. થોડા વખત પહેલાની પીએમસી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓ.બેંક બેંકની કટોકટી બાદ અનેક ખાતા ધારકોના નાણાં અટવાયા ત્યારે બેંકમાં મૂકાયેલા નાણાં કેટલા સુરક્ષિત છે એ સવાલ ઊઠયા હતા અને એ સમયે બેંકમાં મૂકાયેલી-જમા કરાયેલી રકમ કેટલી પણ હોય તેનું વીમા રક્ષણ માત્ર એક લાખ રૂપિયા જેટલું જ છે. અર્થાત બેંક ડૂબે કે નાદાર થાય તો ધારકને માત્ર એક લાખ રૂપિયા સુધીની રકમ વીમા પેટે પાછી મળતી. આ રકમ લગભગ અઢી દાયકાથી એની એ જ રહી હતી. આ વખતના બજેટમાં આ વીમા રક્ષણની રકમ વધારીને પાંચ લાખ રૂપિયા કરી દેવાઈ છે. જે અત્યારસુધી માત્ર એક લાખ રૂપિયા હતી. આ મર્યાદા રૂ. બે લાખ સુધી વધવાની ધારણા કે આશા હતી, જેની સામે નાણાં પ્રધાને પાંચ લાખ કરીને બેંક ખાતા ધારકોને મોટી રાહત આપી છે.
Related Posts
*સિંધિયા માટે કોંગ્રેસના 22 ધારાસભ્યોએ આપી કુરબાની જોડાઈ ગયા ભાજપમાં*
પોતાના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા માટે જે 6 મંત્રીઓ અને 16 ધારાસભ્યોએ કુરબાની આપી હતી, તેમના ભવિષ્યનો ફેંસલો હવે થઈ ગયો…
રાજપીપળા વેલેન્ટાઈન ડે ઉજવવામાં યુવતીઓમાં ભારે ઉત્સાહ.
પ્રેમી હૈયા દ્વારા એકબીજાને ગુલાબનું ફૂલ આપીને પ્રેમનો એકરાર કરી બી માય વેલેન્ટાઇન કહેવાનો દિવસ એટલે વેલેન્ટાઈન ડે. 14મીએ પ્રેમીપંખીડાઓ…
*વિશ્વ મહિલા દિવસ નિમ્મીતે અમદાવાદ શહેર પોલીસ દ્વારા પોલીસ મહિલાઓનું સન્માન કરાયું*
*વિશ્વ મહિલા દિવસ નિમ્મીતે અમદાવાદ શહેર પોલીસ દ્વારા પોલીસ મહિલાઓનું સન્માન કરાયું* અમદાવાદ, સંજીવ રાજપૂત: વિશ્વ મહિલા દિવસે અમદાવાદ શહેર…
