બેંક ખાતા ધારકોને જેની ખાસ આશા હતી એ આશા ઉમ્મીદ સે જ્યાદા ફળી છે. થોડા વખત પહેલાની પીએમસી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓ.બેંક બેંકની કટોકટી બાદ અનેક ખાતા ધારકોના નાણાં અટવાયા ત્યારે બેંકમાં મૂકાયેલા નાણાં કેટલા સુરક્ષિત છે એ સવાલ ઊઠયા હતા અને એ સમયે બેંકમાં મૂકાયેલી-જમા કરાયેલી રકમ કેટલી પણ હોય તેનું વીમા રક્ષણ માત્ર એક લાખ રૂપિયા જેટલું જ છે. અર્થાત બેંક ડૂબે કે નાદાર થાય તો ધારકને માત્ર એક લાખ રૂપિયા સુધીની રકમ વીમા પેટે પાછી મળતી. આ રકમ લગભગ અઢી દાયકાથી એની એ જ રહી હતી. આ વખતના બજેટમાં આ વીમા રક્ષણની રકમ વધારીને પાંચ લાખ રૂપિયા કરી દેવાઈ છે. જે અત્યારસુધી માત્ર એક લાખ રૂપિયા હતી. આ મર્યાદા રૂ. બે લાખ સુધી વધવાની ધારણા કે આશા હતી, જેની સામે નાણાં પ્રધાને પાંચ લાખ કરીને બેંક ખાતા ધારકોને મોટી રાહત આપી છે.
Related Posts
મુખ્યમંત્રી રૂપાણીનું મોટું નિવેદન
બ્રેકિંગ ન્યૂઝ:ધો.12ની પરીક્ષા લેવાશેમુખ્યમંત્રી રૂપાણીનું મોટું નિવેદનપરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા પછી લેવાશે
⭕ *ગુજરાતમાં નવા 1153 પોઝિટિવ કેસ નોંધાયા,23 લોકોનાં મોત ,833 લોકો ડિસ્ચાર્જ*
⭕ *ગુજરાતમાં નવા 1153 પોઝિટિવ કેસ નોંધાયા,23 લોકોનાં મોત ,833 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 284,અમદાવાદ 176,વડોદરા 94,રાજકોટ 79,ભાવનગર…
રાજપીપળા જૈન મંદિરમાં સુમતિનાથ દાદાની સાલગીરીની ઉજવણી.
રાજપીપળા જૈન મંદિરમાં સુમતિનાથ દાદાની સાલગીરીની ઉજવણી. મંદિરને 9 ફુટ ઊંચી ધજા ચડાવી ધ્વજારોહણ કાર્યક્રમ નું આયોજન. રાજપીપળા,તા. 31 રાજપીપળા…
