બનાસકાંઠા (રાકેશ શર્મા) પાલનપુર તાલુકાના જગાણા બી.આર.સી.ભવન ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જે.પી.પ્રજાપતિને વિદાય આપવા ભાવદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત બનાસકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી લક્ષ્મીબેન કરેણ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એન.બી.ચાવડા, ડાયટના પ્રાચાર્યશ્રી એમ.જે.નોગૉસ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી મુકેશભાઇ ચાવડા, જિલ્લા શિક્ષણ સમિતિનો સ્ટાફ, સમગ્ર શિક્ષાનો સ્ટાફ, જિલ્લાના તમામ કેળવણી નિરીક્ષકશ્રીઓ, બી.આર.સી.કૉ ઓર્ડીનેટરશ્રીઓ તેમજ સ્નેહીજનોની ઉપસ્થિતિમાં બદલી પામેલા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીને ભાવભરી વિદાય અપાઇ હતી. આ ભાવદર્શન કાર્યક્રમનું પાલનપુર તાલુકાના બી.આર.સી. કો.ઓર્ડીનેટરશ્રી આનંદભાઈ મોદી દ્વારા સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.
Related Posts
સૈનિક સ્કૂલ બાલાચડી,જામનગરમાં 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી જીએનએ જામનગર: સૈનિક સ્કૂલ બાલાચડીએ 15 ઑગસ્ટ 2022ના રોજ તેના સ્કૂલ…
45માં કુર્મી રાષ્ટ્રીય અધિવેશનમાં રાજ્યના સીએમની પ્રેરક ઉપસ્થિતી. સીતા સ્વયંવરનું કરાયું આયોજન જીએનએ વિસનગર: અખિલ ભારતીય કૂર્મિ ક્ષત્રિય મહાસભાના 45…
ડોક્ટર ન હોવા છતાં દવાખાનું ખોલી ગામડાની અભણ દર્દીઓ સાથે છેતરપિંડી.
દેડિયાપાડાના નાનીબેડવાણ ગામે પ્રાથમિક શાળા પાસે મેઈન બજારમાં પોતે ડોક્ટર ન હોવા છતાં દવાખાનું ખોલી ગામડાની અભણ દર્દીઓ સાથે છેતરપિંડી.…
