ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સ દ્વારા એચ.એ.ગાંધીઅન સોસાયટી ચાલે છે. દેશના ૭૪માં આઝાદ દિન નિમિત્તે કોલેજનાં ૨૦૦ ગાંધીઅન સૈનિકોને ગાંધીજીની આત્મકથા “સત્યના પ્રયોગો” આપવામાં આવશે. ૨જી ઓક્ટોબરે ગાંધીજીની જન્મજયંતિ પ્રસંગે Essay competition નું આયોજન કરવામાં આવ્યું છે. કોલેજના વિદ્યાર્થીઓ ગાંધીજીની આત્મકથા વાંચીને પોતાના વિચારો રજૂ કરશે. ૭૪માં આઝાદ દિન પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કોલેજનાં વિદ્યાર્થીઓને ઓનલાઈન સંબોધન કર્યું હતું. પ્રિ.સંજય વકીલે દેશને આઝાદી આપવામાં જે સ્વાતંત્ર્ય સેનાનીઓનો ફાળો હતો તેની વાત કરી હતી. લોકશાહી, સમાજવાદ તથા બીનસાંપ્રદાયિકતાને વરેલું આપણું ભારતીય બંધારણ વિશ્વમાં શ્રેષ્ઠ બંધારણ છે. જેવી રીતે જીવન જીવવા માટે શ્વાસોશ્વાસની જરૂર પડે છે તેવી રીતે દેશની પ્રગતિ તથા તરક્કી માટે આઝાદીની જરૂર છે. તેની સાથે કોઈ સમાધાન થઇ શકે નહિ. ભારતની ૧૩૦ કરોડની જનતા આઝાદીથી જીવી શકે છે તેનો શ્રેય આપણા ભારતીય બંધારણને જાય છે. પ્રિ. સંજય વકીલે કહ્યું હતુ કે સ્કૂલો તથા કોલેજોમાં વિદ્યાર્થીઓને સ્વતંત્રતા ચળવળ, ભારતનો ઇતિહાસ તથા સંસ્કૃતી વિશે જાણકારી આપવી જોઈએ. ગાંધીજીની આત્મકથા “સત્યના પ્રયોગો” ની ૨૦૦ પુસ્તકો તરલ બકેરી તરફથી આપવામાં આવી છે.
Related Posts
પ્રવાસન વિકાસ નિગમ લિમિટેડ તરફથી એવોર્ડ સ્ટેચ્યુ ઓફ યુનિટીને બેસ્ટ લેન્ડ સ્કેપ ટુરિસ્ટ પ્લેસનો એવોર્ડ.
સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ ના અધ્યક્ષ અને ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી એ એવોર્ડ સ્વીકાર્યો. કોરોનાની મહામારી ને ધ્યાને રાખીને…
દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં કોરોના રસીકરણ મહોત્સવની કરાઈ ઉજવણી
દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં કોરોના રસીકરણ મહોત્સવની કરાઈ ઉજવણી દ્વારકા: ભાણવડ તાલુકાના પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ એક અર્બન હેલ્થ સેન્ટર…
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનાં ભાઇ ભાજપમાં જોડાયા
આણંદ : કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનાં ભાઇ ભાજપમાં જોડાયા ચાવડાનાં કૌટુંબિક ભાઇ પ્રશાંત ચાવડા ભાજપમાં જોડાયા પૂર્વ સાંસદ લાલસિંહ…
