ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સ દ્વારા એચ.એ.ગાંધીઅન સોસાયટી ચાલે છે. દેશના ૭૪માં આઝાદ દિન નિમિત્તે કોલેજનાં ૨૦૦ ગાંધીઅન સૈનિકોને ગાંધીજીની આત્મકથા “સત્યના પ્રયોગો” આપવામાં આવશે. ૨જી ઓક્ટોબરે ગાંધીજીની જન્મજયંતિ પ્રસંગે Essay competition નું આયોજન કરવામાં આવ્યું છે. કોલેજના વિદ્યાર્થીઓ ગાંધીજીની આત્મકથા વાંચીને પોતાના વિચારો રજૂ કરશે. ૭૪માં આઝાદ દિન પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કોલેજનાં વિદ્યાર્થીઓને ઓનલાઈન સંબોધન કર્યું હતું. પ્રિ.સંજય વકીલે દેશને આઝાદી આપવામાં જે સ્વાતંત્ર્ય સેનાનીઓનો ફાળો હતો તેની વાત કરી હતી. લોકશાહી, સમાજવાદ તથા બીનસાંપ્રદાયિકતાને વરેલું આપણું ભારતીય બંધારણ વિશ્વમાં શ્રેષ્ઠ બંધારણ છે. જેવી રીતે જીવન જીવવા માટે શ્વાસોશ્વાસની જરૂર પડે છે તેવી રીતે દેશની પ્રગતિ તથા તરક્કી માટે આઝાદીની જરૂર છે. તેની સાથે કોઈ સમાધાન થઇ શકે નહિ. ભારતની ૧૩૦ કરોડની જનતા આઝાદીથી જીવી શકે છે તેનો શ્રેય આપણા ભારતીય બંધારણને જાય છે. પ્રિ. સંજય વકીલે કહ્યું હતુ કે સ્કૂલો તથા કોલેજોમાં વિદ્યાર્થીઓને સ્વતંત્રતા ચળવળ, ભારતનો ઇતિહાસ તથા સંસ્કૃતી વિશે જાણકારી આપવી જોઈએ. ગાંધીજીની આત્મકથા “સત્યના પ્રયોગો” ની ૨૦૦ પુસ્તકો તરલ બકેરી તરફથી આપવામાં આવી છે.
Related Posts
OYO pays ode to the spirit of India with its touching digital campaign – Fir Badhega India!
● Launches its digital campaign – Fir Badhega India across social media including Facebook, Instagram, Twitter, LinkedIn, YouTube & OTT…
અમદાવાદમાં સીએમની ઉપસ્થિતિમાં પ્રજાપતિ બિઝનેશ એક્સપો યોજાશે. જીએનએ અમદાવાદ: અમદાવાદ શહેરના વલ્લભસદન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તારીખ 24 થી 26 ફેબ્રુઆરી…
ભારતીય સેનાના ૫ પરિવહન હવાઈ જહાજો ની મદદ થી આ ટીમોને બચાવ અને રાહતના જરૂરી અદ્યતન ઉપકરણો અને સાધન સુવિધા સાથે પૂરપીડીત ક્ષેત્રમાં પહોંચાડવામાં આવી રહે છે
વડોદરા થી હવાઈ માર્ગે એન.ડી.આર.એફ ની ચાર ટીમો મહારાષ્ટ્ર મોકલવામાં આવી: પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત અભિયાનમાં જોડાશે….. મહારાષ્ટ્રના વિવિધ…
