અમદાવાદ : ગુજરાતમાંથી નક્સલીઓની ધરપકડના મામલે અમદાવાદમાં ATSએ પ્રેસ કોન્ફરન્સ યોજી ઘણા ખુલાસા કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત ATSએ વ્યારામાંથી ઝડપેલા નક્સલીઓના ફોન ટ્રેસિંગ બાદ કેટલીક વિગતો સામે આવી છે. ATSએ કહ્યું હતું કે, નક્સલીઓ પાસેથી કબ્જે લેવાયેલા લેપટોપમાંથી નાણાકીય વ્યવહારના પુરાવા મળ્યા છે. પ્રતિબંધિત સંગઠનોની માહીતીની પુસ્તિકા મળી છે. આ લોકો ઝારખંડ રાજ્યના છે. વ્યારાથી મહિસાગર સુધી મુલાકાત લેતા હતા. આદિવાસી લોકોને ઉશ્કેરી રહ્યા હતા. છેલ્લા 6 મહિનાથી મુલાકાત લેતા હતા. લોકોને ઉશ્કેરી પોતાની વિચારધારામાં સામેલ કરતા હતા. તેઓ ગુજરાતમાં અદિવાસીઓને ઉશ્કેરણી કરતા હતા.
Related Posts
પેગોંગ લેક પર ચીન સાથે સમજૂતી થઈ, બંને દેશ તેમની સેના પરત બોલાવશે: સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ
પેગોંગ લેક પર ચીન સાથે સમજૂતી થઈ, બંને દેશ તેમની સેના પરત બોલાવશે: સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે…
આરોગ્ય વિભાગના અગ્ર સચિવને કોરોના મનોજ અગ્રવાલ થયા કોરોના સંક્રમિત.
બ્રેકિંગ ન્યૂઝ…….. આરોગ્ય વિભાગના અગ્ર સચિવને કોરોના મનોજ અગ્રવાલ થયા કોરોના સંક્રમિત રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલ ઘરે…
કડકડતી ઠંડીમાં ફૂટપાથ અને રોડ પર વસતા અને ઠંડીમાં ઠુંઠવતા લોકોના વહારે આવતી અમદાવાદ યુવસેના
કડકડતી ઠંડીમાં ફૂટપાથ અને રોડ પર વસતા અને ઠંડીમાં ઠુંઠવતા લોકોના વહારે આવતી અમદાવાદ યુવસેના જીએનએ અમદાવાદ: રાજ્યમાં કડાકા ની…
