કોરોના વાયરસ ને અટકાવવા માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના પગલે રામકૃષ્ણ આશ્રમ ,રાજકોટ દ્વારા તારીખ ૩૦ માર્ચ સોમવારના રોજ રાજકોટની ભાગોળે આવેલા પારેવડા ગામના ૧૮૦ વાદી પરિવારોને જીવન જરૂરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કિટમાં પાંચ કિલો ચોખા ,1 કિલો દાળ ,ત્રણ કિલો લોટ ,ખાદ્યતેલ એક બોટલ, ત્રણ કિલો બટેટા, બે કિલો ડુંગળી, 1 કિલો ખાંડ , મરીમસાલા નું પેકેટ, 1 કિલો ચા ની ભૂકી ,બિસ્કીટ અને સાબુનો સમાવેશ થાય છે. રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા આ વિકટ સમયમાં રાજકોટ અને સમગ્ર ગુજરાતના વિવિધ ભાગોમાં મોટા પાયે રાહત કામગીરી હાથ ધરાઇ હોવાનું રાજકોટ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું છે. જો કોઈ વ્યક્તિ આ કાર્યમાં આર્થિક સહયોગ આપવા ઈચ્છતા હોય તો રાજકોટ રામકૃષ્ણ આશ્રમની વેબસાઈટ rkmrajkot.org પર કોરોના રીલીફ ફંડમાં પોતાનો ફાળો આપી શકે છે.આશ્રમને અપાતું દાન કલમ ૮૦ જી હેઠળ કરમુક્ત છે. વધુ વિગત માટે આશ્રમના વ્હોટ્સએપ નંબર ૯૩૨૮૮ ૫૯૭૧૯ પર સંપર્ક કરી શકાશે.
*“રામકૃષ્ણ આશ્રમ દ્વારા કોરોના રાહત કામગીરીના પગલે પારેવડા ના ૧૮૦ વાદી પરિવારોને જીવનજરૂરી કીટનું વિતરણ”*
