*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ ખાતે આવેલ વેરીટાસ બિલ્ડિંગ ખાતે રહીશોની કૌમી એકતા, સંકલન અને સંગઠન સાથે ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

દેશભરમાં ગણપતિ બપ્પા બિરાજમાન થયા છે ત્યારે નાનો હોય કે મોટો વ્યકતિ સૌ કોઈ બપ્પાના તહેવાર ગણેશ મહોત્સવને ધામધૂમથી ઉજવે છે. અમદાવાદ હાઇકોર્ટ પાસે આવેલ વેરીટાસ બિલ્ડીંગમાં સતત કાર્યરત રહેતા રહીશોએ પણ ત્રણ દિવસીય ગણેશ સ્થાપન સાથે વિસર્જન કરી તારક મહેતાના ઉલ્ટા ચશ્મા સિરિયલની ગોકુલધામ સોસાયટીના લોકોની યાદ તાજા કરી છે.

 

આ બિલ્ડીંગ ખાતે વકીલ, એન્જીનીયર, ડોકટર્સ અને અન્ય ધંધાકીય, નૌકરી સાથે સતત વ્યસ્ત રહેતા લોકો વસવાટ કરે છે પરંતુ બપ્પાના આ તહેવારને એકસાથે ઉજવવા સૌ કોઈ પોતાનો બનતો સમય ફાળવી ઉત્સવમાં સહભાગી બન્યા હતા. બિલ્ડીંગના લોકો દ્વારા ગણેશ સ્થાપન કરાયું હતું અને નિયમિત આરતી કરવામાં આવી હતી. પુરુષો સાથે સાથે મહિલાઓ અને બાળકો પણ શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા અને ત્રણ દિવસ બાદ ઢોલના નગારે વાજતે ગાજતે આવતા વર્ષે ફરી પધારવાના આમંત્રણ સાથે પર્યાવરણ સુરક્ષિત રહે તે ઉમદા હેતુથી ગણપતિ બપ્પાની માટીની બનાવેલ મૂર્તિનું વિસર્જન પણ સ્વયં બનાવેલ કુંડમાં કરાયું હતું.

 

શ્રદ્ધા જ્યાં હોય ત્યાં સજાવટ પણ ભવ્ય હોવી જોઈએ આ ઉત્સવમાં સબરી મલય ટીમ અને બિલ્ડીંગની મહિલાઓ દ્વારા પણ શુશોભનમાં પૂર્ણ સહયોગ અને સિંહ ફાળો આપતા આ આખા ઉત્સવને ભક્તિમય બનાવ્યો હતો. ગણપતિ બપ્પાની આરાધનાના આ ઉત્સવમાં અહીંના રહીશોની એકતા, સંગઠન અને સંચાલને સાબિત કર્યું હતું કે બપ્પાના ઉત્સવને ઉજવવા કોઈ ઉચ્ચ પદ કે કામને ન જોતા માત્ર તેને ભાવપૂર્વક ઉજવવાની હૃદયભાવના હોવી જોઈએ. જ્યાં નાત જાત ભેદભાવ ઉચ નીચ બધું ભૂલી એક થવાય ત્યાં અનેક ઉત્સવ સફળ જ થાય છે અને એક મજબૂત પરિવારનો સંચય થાય તે અહીંના રહીશોએ સાબિત કર્યું છે.

 

આ ઉત્સવ અંગે માહિતી આપતા કીર્તિ ભાઈ બ્રહ્નભટ્ટએ જણાવ્યું હતું કે તમામ રહીશોના સહિયારે કોઈ પણ જગ્યાએથી ફાળો એકત્ર કર્યા વગર સૌ સાથે મળી પોતાની જવાબદારી સમજી સ્વયં સમય આપી આ ગણેશ ઉત્સવમાં સાથે જોડાયા છે. કુદરતી વાતાવરણને કોઈ આડ અસર ન થાય તેનું ધ્યાન રાખી સ્થાપન સાથે બપ્પાનું વિસર્જન કરાયું છે. માત્ર 3 દિવસના ગણેશ ઉત્સવમાં 1 મહિના અગાઉ તૈયારી કરતા ગણેશના મંડપના શણગાર, રંગોળી, ગરબાના સંચાલનની તમામ જવાબદારીનો સિંહફાળો અહીંની મહિલાઓના શિરે જાય છે જે એક પ્રેરણાદાયક વાત કહી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *