33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

 

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: દર વર્ષે ભાદરવા સુદ એકમથી અંબાજી તરફ પગપાળા સંઘોના પ્રસ્થાનનો પ્રારંભ થાય છે. ત્યારે માં અંબાના સાનિધ્યમાં દર્શનનો લહાવો લેવા અનેક માઇભક્તો સંઘમાં જોડાઈ પગપાળા માં અંબાના દર્શને પહોંચતા હોય છે ત્યારે..

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના જુનામાં જુના પગપાળા સંઘોમાં સ્થાન ધરાવતા નવા વાડજના વ્યાસવાડી પગપાળા સંઘ દ્વારા આ વર્ષે સતત ૩૩મા વર્ષે ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને આ પગપાળા સંઘે 52 ગજની પવિત્ર ધજા સાથે અંબાજી જવા માટે પ્રયાણ કર્યું.

 

વ્યાસવાડી સંઘ દ્વારા અંબાજી પહોંચ્યા બાદ તા. 19 સપ્ટેમ્બર, 2026, શનિવારના રોજ સવારે 7 વાગ્યે અંબાજી ખાતે શિખર ઉપર બાવન ગજની ધજાનું આરોહણ કરવામાં આવશે.

 

પદયાત્રાના પ્રસ્થાન પૂર્વે સંઘ દ્વારા ધજાપૂજનનો કાર્યક્રમ તા. 10 સપ્ટેમ્બર, 2026, ગુરુવારના રોજ સાંજે 5.30 કલાકે યોજવામાં આવ્યો હતો. આ પાવન પ્રસંગે તમામ ભાવિક ભક્તોને ઉપસ્થિત રહી ધજાપૂજનનો લાભ લીધો હતો.

 

વહેલી સવારે 52 ગજની પવિત્ર ધજા ખોલવામાં આવી હતી અને વિધી મુજબ મહાઆરતી કરવામાં આવી હતી. ત્યાર બાદ આ રથ વિસ્તારમાં ફર્યો હતો અને ભક્તોના ઘોડાપૂરે માં અંબાના પવિત્રધામ અંબાજી જવા રવાના થયો હતો. અંબાજી ખાતે 20 સપ્ટેમ્બર થી 26 સપ્ટેમ્બર માં અંબાના મહાકુંભ ભાદરવી મેળાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે માં અંબાના આશીર્વાદ લેવા શરણે આવતા તમામ માઇ ભક્તોની મનોમમના માં અંબા પૂર્ણ કરે તેવી અમારી શુભકામનાઓ છે.. જય અંબે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *