*​દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત*

*​દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત*

​ ​પાટણ: સંજીવ રાજપૂત, એબીએનએસ: દલિત અધિકાર સંઘ ગુજરાતના આધ્ય સ્થાપક દિવંગત શ્રી ફકીરભાઈ વાઘેલાના સુપુત્ર અને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી/અધ્યક્ષ જીતેશભાઈ ફકીરભાઈ વાઘેલા પોતાના પરિવાર સાથે પાટણની વિશેષ મુલાકાતે પધાર્યા હતા. તેમણે અમર બલિદાની મહાપુરુષ વીર મેઘમાયાના મંદિરે શીશ નમાવી દર્શન કર્યા હતા.

વીર મેઘમાયા મંદિર ખાતે પધારેલ ​વાઘેલા પરિવારના આ આગમન પ્રસંગે પાટણ શહેર ભાજપ મહામંત્રી જીગ્નેશ ભાઈ સોની તેમજ પાટણ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ નરેશભાઈ પરમાર, કોર્પોરેટર શ્રીમતિ મીના બેન સોલંકી, શ્રીમતી સાધના બેન પરમાર, સહિત ના વિવિધ સામાજિક અને રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત અગ્રણીઓએ વીર મેઘમાયા મંદિર ખાતે વાઘેલા પરિવારનું શાલ ઓઢાડી, ફૂલહાર અને પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

​ જીતેશભાઈ વાઘેલાએ પોતાના પાટણ પ્રવાસની શરૂઆત શહેરના લીલી વાડી વિસ્તારમાં આવેલી સંત શિરોમણી શ્રી રોહિદાસ બાપુની પ્રતિમાને ફુલહાર પહેરાવીને કરી હતી. ત્યારબાદ વીર મેઘમાયા મંદિરના દર્શન કરી તેમણે જણાવ્યું હતું કે, “ગુજરાતના જાણીતા દલિત નેતા અને વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટરના ચેરમેન ડૉ. કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીના અથાગ પ્રયત્નો તથા રાજ્યના મક્કમ અને મૃદુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શાસનમાં રૂ. ૧૧ કરોડના ખર્ચે આ આસ્થા કેન્દ્રનું નિર્માણ થઈ રહ્યું છે, જે દલિત સમાજના ગૌરવવંતા ઇતિહાસને ઉજાગર કરે છે.”

 

​ વીર મેઘમાયા મંદિર ખાતે પૂજન-અર્ચન કર્યા બાદ જીતેશભાઈ વાઘેલાએ પરિવાર સાથે પાટણના નગરદેવી શ્રી મહાકાળી મંદિરના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ સાથે જ તેમણે પાટણના વિશ્વપ્રસિદ્ધ ઐતિહાસિક વારસા સમાન રાણકી વાવ, સહસ્ત્રલિંગ સરોવર અને જગવિખ્યાત ‘પાટણના પટોળા’ના કારીગરી વણાટકામને નિહાળીને ધન્યતાની અનુભૂતિ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *