*ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગરના પદાધિકારીઓ ચૂંટાયા*

જામનગર, સંજીવ રાજપૂત: તા. 04/05/2025ના રોજ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગર શાખાની આગામી સમય માટે પદાઘિકારીઓની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ચેરમેન તરીકે ડો અવિનાશભાઈ ભટ્ટ, વાઈસ ચેરપર્શન તરીકે દિપાબેન સોની, ખજાનચી તરીકે કીરીટભાઈ શાહ, સેક્રેટરી તરીકે ડો. વિહારીભાઈ છાટબાર બિનહરીફ વિજેતા થયેલ છે. રેડ ક્રોસના તમામ સભ્યો દ્વારા સર્વેને અભિનંદન પાઠવ્યા છે. ચૂટણી અધિકારી તરીકે ડો. વિહારીભાઈ છાટબાર અને ભરતભાઇ દવેએ સુંદર કામગીરી કરેલ હતી.
