ઝઘડિયા તાલુકાનાં રાણીપુરા ખાતે પસાર થતી નર્મદા નદીના પટ્ટી વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરાઇ.

ઝઘડિયા તાલુકાનાં રાણીપુરા ખાતે પસાર થતી નર્મદા નદીના પટ્ટી વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરાઇ

તપાસ દરમિયાન નર્મદા નદીના પટ્ટી વિસ્તારમાં ૦૧(એક) યાંત્રિક નાવડી તથા ૦૧(એક) ટાટા હિટાચી મશીન દ્વારા સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ કરી વાહન ટ્રક નંબર-(૧) GJ-05-BT-4752 (૨) GJ-05-AT-3201 માં સાદી રેતી ખનીજ ભરીને બિનઅધિકૃત વહન કરવામાં આવતું હોવાથી ૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત

મનિષ કંસારા

ભરૂચઃ ભુસ્તરશાસ્ત્રી ભરૂચની સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તારીખ.૨૨/૦૧/૨૦૨૫ નાં રાત્રે ૧૨:૩૦ કલાકે મોજે-રાણીપુરા તા. ઝઘડિયા જિ.ભરૂચ ખાતેથી પસાર થતી નર્મદા નદીના પટ્ટી વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવેલ. તપાસ દરમિયાન નર્મદા નદીના પટ્ટી વિસ્તારમાં ૦૧(એક) યાંત્રિક નાવડી તથા ૦૧(એક) ટાટા હિટાચી મશીન દ્વારા સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ કરી વાહન ટ્રક નંબર-(૧) GJ-05-BT-4752 (૨) GJ-05-AT-3201 માં સાદી રેતી ખનીજ ભરીને બિનઅધિકૃત વહન કરવામાં આવતું હોવાથી કુલ-૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ સ્ટેશન ઝઘડિયા ખાતે રાખવામાં આવેલ છે. તેમજ તપાસ ટીમનાં સર્વેયર દ્વારા જગ્યા પર બનાવેલ ચટામાં સંગ્રહ કરેલ સાદી રેતી ખનીજ નાં જથ્થાની માપણી GPS મશીનથી કરી આગળની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આ ઉપરાંત અગાઉ ગત તારીખ.૨૦/૦૧/૨૦૨૫ નાં રોજ મામલતદાર ઝઘડિયા તથા ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા સંયુક્ત ટીમ બનાવી મોજે-ટોઠીદરા તા.ઝગડિયા જિ.ભરૂચ ખાતેથી પસાર થતી નર્મદા નદીના પટ્ટી વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવેલ; તપાસ દરમિયાન ૦૧(એક) હોન્ડાઈ મશીન તથા ૦૨(બે) યાંત્રિક નાવડીઓ દ્વારા સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ કરતા હોવાનું જણાઈ આવતાં કુલ-૫૦ લાખ નો મુદ્દામાલ જપ્ત કરેલ. તેમજ સ્થળે સાદી રેતી ખનીજનો સંગ્રહ કરેલ જથ્થાની માપણી કરી આગળની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.