જનતા કર્ફ્યુ 22 માર્ચે પીએમ મોદીએ દેશની જનતાને ઘરમાંથી બહાર ન નિકળવાની અપીલ કરી છે. ત્યારે આ બાબતની ગંભીરતા જાણી રેલ્વેએ પણ આ દિવસને લઈને મોટી જાહેરાત કરી છે. રેલ્વે 22 માર્ચે તમામ પેસેન્જર ટ્રેનોને રદ કરી દીધી છે. 21 માર્ચ સુધી એટલે કે શનિવારે રાત્રે 12 થી 22 માર્ચ રાત્રે 10 વાગ્યે કોઈ પેસેન્જર ટ્રેન દોડશે નહીં. મેલ અને એક્સપ્રેસ ટ્રેનના પૈડાં પણ રવિવારે સવારે 4 વાગ્યે અટકી જશે.જો કે, મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, કોલકાતામાં લોકલ ટ્રેનો દોડશે. પરંતુ તેમની સંખ્યા ખૂબ ઓછી હશે. રેલ્વે દ્વારા કહેવામાં આવ્યું છે કે, જનતા કર્ફ્યુ દરમિયાન જે ટ્રેનો રૂટ પર આવશે, તે તેમના નિયત સ્થળે પહોંચ્યા બાદ રોકી દેવામાં આવશે. જો મુસાફરો તેમની પાસેથી ઉતરતા હોય, તો તેઓ ફક્ત રેલ્વે સ્ટેશન પર જ રોકાઈ શકે છે.આ માટે થઈને રેલ્વે પણ તેમના માટે ખાસ વ્યવસ્થા કરશે.
Related Posts
નેશનલ કોન્ક્લેવ ઓન નેચરલ ફાર્મિગ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે વર્ચ્યુઅલ માર્ગદર્શન મેળવતા જામનગર જિલ્લાના ખેડૂતો
જામનગર: આણંદના સરદાર પટેલ ઓડિટોરિયમ ખાતે પ્રિ- વાયબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૧ અંતર્ગત યોજાયેલા નેશનલ કોન્ક્લેવ ઓન નેચરલ ફાર્મિગ વિષયક કાર્યશાળામાં દેશભરના…
ફોરેન પોસ્ટ ઓફિસ પરથી વિદેશી પાર્ટી ડ્રગ્સ ઝડપાયું.
અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસ પર આવેલું વિલાયતી પાર્ટી ડ્રગ્સ કસ્ટમ ની ટીમે ઝડપી લીધું હતું. તપાસ દરમિયાન અગાઉ પણ બારેક…
ભારતીય બનાવટનાં પરપ્રાંતીય વિદેશી દારૂની નાની-મોટી અલગ-અલગ બ્રાન્ડની કંપનીની શીલ બંધ બોટલ તથા કંપનીની શીલ બંધ બીયરના ટીન મળી કુલ્લે નંગ- ૧૦૦૭ કિં.રૂ. ૧,૪૪,૪૭૫/- ની મત્તાનો જથ્થો પકડી પાડતી સરદારનગર પોલીસ
ભારતીય બનાવટનાં પરપ્રાંતીય વિદેશી દારૂની નાની-મોટી અલગ-અલગ બ્રાન્ડની કંપનીની શીલ બંધ બોટલ તથા કંપનીની શીલ બંધ બીયરના ટીન મળી કુલ્લે…
