જનતા કર્ફ્યુ 22 માર્ચે પીએમ મોદીએ દેશની જનતાને ઘરમાંથી બહાર ન નિકળવાની અપીલ કરી છે. ત્યારે આ બાબતની ગંભીરતા જાણી રેલ્વેએ પણ આ દિવસને લઈને મોટી જાહેરાત કરી છે. રેલ્વે 22 માર્ચે તમામ પેસેન્જર ટ્રેનોને રદ કરી દીધી છે. 21 માર્ચ સુધી એટલે કે શનિવારે રાત્રે 12 થી 22 માર્ચ રાત્રે 10 વાગ્યે કોઈ પેસેન્જર ટ્રેન દોડશે નહીં. મેલ અને એક્સપ્રેસ ટ્રેનના પૈડાં પણ રવિવારે સવારે 4 વાગ્યે અટકી જશે.જો કે, મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, કોલકાતામાં લોકલ ટ્રેનો દોડશે. પરંતુ તેમની સંખ્યા ખૂબ ઓછી હશે. રેલ્વે દ્વારા કહેવામાં આવ્યું છે કે, જનતા કર્ફ્યુ દરમિયાન જે ટ્રેનો રૂટ પર આવશે, તે તેમના નિયત સ્થળે પહોંચ્યા બાદ રોકી દેવામાં આવશે. જો મુસાફરો તેમની પાસેથી ઉતરતા હોય, તો તેઓ ફક્ત રેલ્વે સ્ટેશન પર જ રોકાઈ શકે છે.આ માટે થઈને રેલ્વે પણ તેમના માટે ખાસ વ્યવસ્થા કરશે.
Related Posts
*આપત્તિ સમયે અમદાવાદ ફાયર વિભાગની સરાહનીય બચાવ કામગીરીને એક સલામ* જીએનએ અમદાવાદ: સમગ્ર રાજ્યમાં ગત્ અઠવાડિયે ભારે વરસાદની પરિસ્થિતી સર્જાઇ…
સ્માશન ગૃહમાં એપ્રિલ માસમા 23 દિવસ મા 80 મૃતકોના અગ્નીસંસ્કાર થયા!
નર્મદાનું આરોગ્ય તંત્ર કોરોના થી મોત ના આંકડા કેમ છુપાવે છે ? રાજપીપલા સ્માશન ગૃહમાં એપ્રિલ માસમા 23 દિવસ મા…
મોદી અને ટ્રમ્પ બન્ને ફેકું છે આ ગોધરા કે પુલવામા નહીં અહિંસાનું ગુજરાત છેઃ શંકરસિંહ
શંકરસિંહ વાઘેલા ગાંધી આશ્રમની મુલાકાતે ગયા હતા જ્યાં તેમણે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વિઝિટ અને સંભવિત ગાંધી આશ્રમની મુલાકાત રદ…
