જનતા કર્ફ્યુ 22 માર્ચે પીએમ મોદીએ દેશની જનતાને ઘરમાંથી બહાર ન નિકળવાની અપીલ કરી છે. ત્યારે આ બાબતની ગંભીરતા જાણી રેલ્વેએ પણ આ દિવસને લઈને મોટી જાહેરાત કરી છે. રેલ્વે 22 માર્ચે તમામ પેસેન્જર ટ્રેનોને રદ કરી દીધી છે. 21 માર્ચ સુધી એટલે કે શનિવારે રાત્રે 12 થી 22 માર્ચ રાત્રે 10 વાગ્યે કોઈ પેસેન્જર ટ્રેન દોડશે નહીં. મેલ અને એક્સપ્રેસ ટ્રેનના પૈડાં પણ રવિવારે સવારે 4 વાગ્યે અટકી જશે.જો કે, મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, કોલકાતામાં લોકલ ટ્રેનો દોડશે. પરંતુ તેમની સંખ્યા ખૂબ ઓછી હશે. રેલ્વે દ્વારા કહેવામાં આવ્યું છે કે, જનતા કર્ફ્યુ દરમિયાન જે ટ્રેનો રૂટ પર આવશે, તે તેમના નિયત સ્થળે પહોંચ્યા બાદ રોકી દેવામાં આવશે. જો મુસાફરો તેમની પાસેથી ઉતરતા હોય, તો તેઓ ફક્ત રેલ્વે સ્ટેશન પર જ રોકાઈ શકે છે.આ માટે થઈને રેલ્વે પણ તેમના માટે ખાસ વ્યવસ્થા કરશે.
Related Posts
*અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સો યુવતીના પ્રાઈવેટ પાર્ટમાં મરચાંનો પાવડર ભર્યો મરચાંનો પાઉડર નાખનારી ત્રણે મહિલાઓની ધરપકડ*
મહિલાએ પોતાની ફરિયાદમાં લખ્યું છે કે તે અમદાવાદના નારાણપુરામાં આવેલી કાપડની દુકાનમાં કામ કરતી હતી. જ્યાં તેની ગિરીશ ગોસ્વામી સાથે…
ધો. 10-12ની બોર્ડની પરીક્ષામાં વિધાર્થીને તાવ-શરદી હશે તો પરીક્ષા કેન્દ્ર પર કરાશે અલગ વ્યવસ્થા.
કોરોનાની આફત વચ્ચે ધોરણ-10 અને 12ની બોર્ડની. પરીક્ષા આગામી 4 મેએ શરૂ થવાની છે. ત્યારે મહામારીના કારણે તંત્ર દ્વારા પરીક્ષાને…
રાજકોટમાં તબીબે પોતાની જાતે વેક્સિન લીધી: રાજ્યનો પહેલો કિસ્સો
ગુજરાતમાં સ્વ-વેક્સિનેશનનો પહેલો કિસ્સો રાજકોટમાં નોંધાયો છે. જેમાં ખાનગી હોસ્પિટલના તબીબ ડો.મયુર વાઘેલાએ પોતાના જ હાથે 15 માર્ચના રોજ વેક્સિનનો…
