કોરોના સંકટ સામે સુરતનો કિન્નર સમાજ માસ્ક સાથે જોવા મળ્યો. તેમજ કિન્નર સમાજ દ્વારા બાઇક સવારોને માસ્ક વિતરણ કરવામાં આવ્યું. અને સાથે જ કોરોના વાઈરસથી બચવા માટે સતર્ક રહેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ લોકોને કોરોના વાઈરસથી સતર્ક રહેવા અપીલ કરવામાં આવી.સુરતમાં કોરોનાનો પોઝીટીવ કેસ સામે આવ્યા બાદ કલેકટરે પ્રેસ સંબોધી જેમાં સુરતમાં કુલ 459 લોકોને હોમ કોરેન્ટાઈન કરાયા હોવાની માહિતી આપી હતી. તો ચાર લોકોને હોમ કોરેન્ટાઇનના નિયમોનો ભંગ કરવા બદલ કાર્યવાહી કરવાની પણ માહિતી આપી હતી. આ સાથે સરકારી કચેરીઓ બંધ રહેવાની તેમજ રેશનિંગનું અનાજ ચાલુ રહેવાની તેમજ આવશ્યક સેવાની ચીજ -વસ્તુઓ તેમજ મેડિકલ સ્ટોર યથાવત રહેશે તે અંગે માહિતી આપી હતી.
Related Posts
ગાંધીનગરમાં સ્થળાંતર કરનાર પ્રજાતિઓ વિશેના UN શિખર સમેલન યોજાશે
પીએમ મોદી ઉદ્ઘાટન કરશેસંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણીય કાર્યક્રમના નેજા હેઠળ પર્યાવરણીય સંધિના સંરક્ષણ પર સ્થળાંતર પ્રજાતિઓ સીએમએસના સંમેલનની 13મી કોન્ફરન્સ ઓફ…
વિશ્વપ્રસિધ્ધ સોમનાથ ટ્રસ્ટની સાંજે 6 વાગે બેઠક
બ્રેકીંગ ન્યૂઝ વિશ્વપ્રસિધ્ધ સોમનાથ ટ્રસ્ટની સાંજે 6 વાગે બેઠક સાંજે 6 વાગે વર્ચ્યુઅલ સોમનાથ ટ્રસ્ટની બેઠક નવા ચેરમેનની નિયુક્તિ માટે…
*ગુજરાત સાયન્સ સિટીમાં સચિવના હસ્તે ભવ્ય સાયન્સ કાર્નિવલ 2026 નો પ્રારંભ*
*ગુજરાત સાયન્સ સિટીમાં સચિવના હસ્તે ભવ્ય સાયન્સ કાર્નિવલ 2026 નો પ્રારંભ* ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગાંધીનગર સ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં…
