નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના વાયરસના સંકટને જોતા દિલ્હી સરકારે સાપ્તાહિક બજારને 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય દિલ્હીમાં તમામ જિમ, નાઈટ ક્લબ, અને સ્પા સેન્ટરને પણ 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે 50 થી વધારે લોકોને એક સ્થાન પર ભેગા થવા પર રોક લગાવી દેવામાં આવી છે. ભલે પછી તે લગ્ન સમારોહ જ કેમ ન હોય.અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકોને અપીલ કરતા કહ્યું કે, જો કોઈ કાર્યક્રમ જરુરી ન હોય તો તેને બંધ રાખો. લોકો ભીડમાં ન જાય અને ન તો ભીડને એકત્રિત થવા દે. તેમણે કહ્યું કે, કોરોનાને લઈને લોકો અફવા અને ડર ન ફેલાવે પરંતુ જાગૃત થાય. સરકાર કોરોના સામે લડવા માટે જરુરી તમામ પગલા ભરી રહી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે દિલ્હીમાં 7 કેસો આવ્યા છે અને 4 હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય લોકો સાજા થઈને પોતાના ઘરે ચાલ્યા ગયા છે.
Related Posts
नर्मदा* बोगस डिग्री मामला: 2 लोगो की दिल्ली और अहमदाबाद से गिरफ्तार किया गया।
नर्मदा* बोगस डिग्री मामला: 2 लोगो की दिल्ली और अहमदाबाद से गिरफ्तार किया गया।
ભારતીય અર્થતંત્ર ધીમે ધીમે આવી રહ્યુ છે પાટા પર
ભારતીય અર્થતંત્ર ધીમે ધીમે આવી રહ્યુ છે પાટા પર…. ડિસેમ્બરમાં GSTનું રેકોર્ડ 1.15 લાખ કરોડનું કલેક્શન સતત ત્રીજા મહિને વસૂલાત…
ભારતીય તટરક્ષક દળે “સિંગલ યુઝ પ્લાસ્ટિક”નો ઉપયોગ ટાળવાનો સંદેશો ફેલાવવા માટે લોકજાગૃતિ કૂચનું કર્યું આયોજન.
જીએનએ દ્વારકા: આદરણીય પ્રધાનમંત્રીએ વર્ષ 2022 સુધીમાં ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક’નો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવા માટે કરેલા આહ્વાનને અનુરૂપ ભારતીય તટરક્ષક…
