નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના વાયરસના સંકટને જોતા દિલ્હી સરકારે સાપ્તાહિક બજારને 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય દિલ્હીમાં તમામ જિમ, નાઈટ ક્લબ, અને સ્પા સેન્ટરને પણ 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે 50 થી વધારે લોકોને એક સ્થાન પર ભેગા થવા પર રોક લગાવી દેવામાં આવી છે. ભલે પછી તે લગ્ન સમારોહ જ કેમ ન હોય.અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકોને અપીલ કરતા કહ્યું કે, જો કોઈ કાર્યક્રમ જરુરી ન હોય તો તેને બંધ રાખો. લોકો ભીડમાં ન જાય અને ન તો ભીડને એકત્રિત થવા દે. તેમણે કહ્યું કે, કોરોનાને લઈને લોકો અફવા અને ડર ન ફેલાવે પરંતુ જાગૃત થાય. સરકાર કોરોના સામે લડવા માટે જરુરી તમામ પગલા ભરી રહી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે દિલ્હીમાં 7 કેસો આવ્યા છે અને 4 હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય લોકો સાજા થઈને પોતાના ઘરે ચાલ્યા ગયા છે.
Related Posts
ભાજપના પ્રદેશ પ્રમુખ ચંન્દ્રકાંત પાટીલે પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનાર ભાજપના હોદેદારોને સસ્પેન્ડ કર્યા. નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમા પાટીલના મેન્ડેટનો અનાદર કરનારા સસ્પેન્ડ. મેન્ડેડનો અનાદર કરનાર 38 લોકોને સસ્પેન્ડ. હારીજમાંથી 4, ખેડબ્રહ્મામાંથી 2, થરાદમાંથી 3 લોકો કર્યા સસ્પેન્ડ. રાજકોટ જિલ્લાના ઉપલેટામાંથી 14, રાપરમાંથી 13 અને તળાજામાંથી 2 લોકો કર્યા સસ્પેન્ડ.
ભાજપના પ્રદેશ પ્રમુખ ચંન્દ્રકાંત પાટીલે પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનાર ભાજપના હોદેદારોને સસ્પેન્ડ કર્યા. નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમા પાટીલના મેન્ડેટનો અનાદર…
કોરોનાની સંભવત: આગામી ત્રીજી લહેરને અનુલક્ષીનેનર્મદા જિલ્લાઆરોગ્યની શ્રેષ્ઠત્તમ સુવિધાઓ માટે 2 કરોડ મંજૂર
કોરોનાની સંભવત: આગામી ત્રીજી લહેરને અનુલક્ષીનેનર્મદા જિલ્લાઆરોગ્યની શ્રેષ્ઠત્તમ સુવિધાઓ માટે 2 કરોડ મંજૂર દેડિયાપાડા તાલુકાના આદિવાસી વિસ્તારમાં ઘર આંગણે જ…
જામનગર શહેર ભાજપ દ્વારા ડૉ બાબાસાહેબ આંબેડકર જયંતિની કરવામાં આવી ઉજવણી
*જામનગર શહેર ભાજપ દ્વારા ડૉ બાબાસાહેબ આંબેડકર જયંતિની કરવામાં આવી ઉજવણી* જામનગર: ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકર દ્વારા…
