નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના વાયરસના સંકટને જોતા દિલ્હી સરકારે સાપ્તાહિક બજારને 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય દિલ્હીમાં તમામ જિમ, નાઈટ ક્લબ, અને સ્પા સેન્ટરને પણ 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે 50 થી વધારે લોકોને એક સ્થાન પર ભેગા થવા પર રોક લગાવી દેવામાં આવી છે. ભલે પછી તે લગ્ન સમારોહ જ કેમ ન હોય.અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકોને અપીલ કરતા કહ્યું કે, જો કોઈ કાર્યક્રમ જરુરી ન હોય તો તેને બંધ રાખો. લોકો ભીડમાં ન જાય અને ન તો ભીડને એકત્રિત થવા દે. તેમણે કહ્યું કે, કોરોનાને લઈને લોકો અફવા અને ડર ન ફેલાવે પરંતુ જાગૃત થાય. સરકાર કોરોના સામે લડવા માટે જરુરી તમામ પગલા ભરી રહી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે દિલ્હીમાં 7 કેસો આવ્યા છે અને 4 હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય લોકો સાજા થઈને પોતાના ઘરે ચાલ્યા ગયા છે.
Related Posts
ફરી એક વાર બીટીપી ભાજપ આમને સામને ઓવૈસીની બેફામ વાણી વિલાસ સામે સાંસદ મનસુખ વસાવા ભડક્યા
BJP સાંસદ મનસુખ વસાવાએ કહ્યું, BTP-AIMIM બન્નેવ ગાંડા, ઓવૈસી બોલવામાં મર્યાદા રાખે BTP-AIMIMનું સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ અસ્તિત્વ ખતમ: મનસુખ…
*શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા વર્ષ ૨૦૨૫નું કેલેન્ડર પ્રસારિત કરાયું*
*શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા વર્ષ ૨૦૨૫નું કેલેન્ડર પ્રસારિત કરાયું* અંબાજી, સંજીવ રાજપૂત: લોકોને વિવિધ મેળાઓ,…
અમેરિકા જવા માગતા ગુજરાતીઓએહવે વિઝા લેવા માટે નહીં જવું પડે મુંબઈ..
*બ્રેકિંગ ન્યુઝ..* ભારતની લાંબા સમયથી પેન્ડિંગ રહેલી માગણી અમેરિકાએ સ્વીકારી.. અમેરિકા જવા માગતા ગુજરાતીઓએહવે વિઝા લેવા માટે નહીં જવું પડે…
