નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના વાયરસના સંકટને જોતા દિલ્હી સરકારે સાપ્તાહિક બજારને 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય દિલ્હીમાં તમામ જિમ, નાઈટ ક્લબ, અને સ્પા સેન્ટરને પણ 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે 50 થી વધારે લોકોને એક સ્થાન પર ભેગા થવા પર રોક લગાવી દેવામાં આવી છે. ભલે પછી તે લગ્ન સમારોહ જ કેમ ન હોય.અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકોને અપીલ કરતા કહ્યું કે, જો કોઈ કાર્યક્રમ જરુરી ન હોય તો તેને બંધ રાખો. લોકો ભીડમાં ન જાય અને ન તો ભીડને એકત્રિત થવા દે. તેમણે કહ્યું કે, કોરોનાને લઈને લોકો અફવા અને ડર ન ફેલાવે પરંતુ જાગૃત થાય. સરકાર કોરોના સામે લડવા માટે જરુરી તમામ પગલા ભરી રહી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે દિલ્હીમાં 7 કેસો આવ્યા છે અને 4 હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય લોકો સાજા થઈને પોતાના ઘરે ચાલ્યા ગયા છે.
Related Posts
ઉત્તરાખંડ હોનારતમાં મોતનો આંકડો 15 પર પહોંચ્યો, 170 લોકો લાપતા
ઉત્તરાખંડ હોનારતમાં મોતનો આંકડો 15 પર પહોંચ્યો, 170 લોકો લાપતા દેવભૂમિ ઉત્તરાખંડમાં થયેલ હોનારતમાં ચામોલીમાં મોટું નુકસાન થયું હતું. પાણીના…
વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં ઝડપાયેલ આરોપી માથાસર ગામનો આરોપી પાસામાં ધકેલાયો.
વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં ઝડપાયેલ આરોપી માથાસર ગામનો આરોપી પાસામાં ધકેલાયો. રાજપીપળા, તા.26 વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં માથાસર ગામનો ઝડપાયેલ…
ટીવી એન્કર પ્રિયા જુનેજાએ કરી આત્મહત્યા. એક રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલમાં એન્કર તરીકે કરતી હતી કામ. આત્મહત્યાનું કારણ હજુ અંકબંધ.
ટીવી એન્કરે કરી આત્મહત્યા* દિલ્હી: ટીવી એન્કર પ્રિયા જુનેજાએ કરી આત્મહત્યા. એક રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલમાં એન્કર તરીકે કરતી હતી કામ.…
