ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠકો ઉપર 26 માર્ચે મતદાન થવાનું છે એ અગાઉ જ કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને સાચવવા માટે રિસોર્ટ રાજકારણનો સહારો લેવો પડ્યો છે. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ત્રણ ઉમેદવાર અને કોંગ્રેસના બે ઉમેદવાર જાહેર થયા છે. આમ રાજ્યસભાની ચૂંટણી ભાજપે રસાકસીભરી બનાવી દીધી છે. વળી, ભાજપના ગુજરાતના મોટા ભાગના વરિષ્ઠ નેતાઓ રાજ્યસભામાં તેમના ત્રણેત્રણ ઉમેદવાર જીતશેના દાવા કરી રહ્યા છે એટલે ભાજપ દ્વારા ક્રોસ વોટિંગ કરાવાની પ્રબળ શક્યતા વચ્ચે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવવાની તજવીજમાં લાગી ગઈ છે. બીજી બાજુ કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે દાવો કર્યો છે કે ભાજપના છ નારાજ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે, જેમાંથી ઉત્તર ગુજરાતના ત્રણ ધારાસભ્યો હાલમાં રાજસ્થાનમાં કોંગ્રેસના ધારાસભ્યો સાથે રિસોર્ટમાં છે
Related Posts
એસીબી ટ્રેપ ના આરોપી પ્રકાશસિંહ વિરુદ્ધ નોંધાઇ વધુ એક ફરિયાદ
અમદાવાદ એસીબી ટ્રેપ ના આરોપી પ્રકાશસિંહ વિરુદ્ધ નોંધાઇ વધુ એક ફરિયાદ ફરીયાદીને સતાનો દુરઉપયોગ કરી ભાગીદારી કરવા મજબુર બનાવ્યા કરીશ્મા…
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાય યુનિવર્સિટીના ૬૦૭ વિદ્યાર્થીઓને પદવી એનાયત
ન્યૂઝ: રાય યુનિવર્સિટીના ૮માં પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેલા શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, આપણા…
આજ એક મહાન વ્યક્તિની પુણ્યતિથિ દિવસ છે……
1800 પાદરના ધણી એવા મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ જેમની ખાનદાની અને ખમીરની હુ શું વાત કરું પરંતુ મને એક…
