ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં પાટીદારને ટિકિટ આપવામાં કોંગ્રેસના ધારાસભ્યોએ માંગણી કરી હતી. પરંતુ ટિકિટ ના આપતા કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોમાં અસંતોષની લાગણી હોવાનો સ્પષ્ટ નિર્દેશ કોંગ્રેસના ધારાસભ્યો વ્યક્ત કરવા લાગ્યા છે. રાજ્યસભામાં પાટીદારને ટિકિટ આપવા કોંગ્રેસના ધારાસભ્યોએ બંધબારણે મિટિંગ કરી હતી પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને ટિકિટ આપવાને ચક્કરરમાં પાટીદાર નેતાની બાદબાકી થઈ છે. આ બધાની વચ્ચે આજે પાટીદાર ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું કે, અમારી માંગ હતી કે આ વખતે પાટીદારને ટિકિટ મળે. અમે બધા પાટીદાર ધારાસભ્ય ભેગા થયા હતા અને પક્ષમાં પાટીદારને રાજ્યસભાની ટિકિટ મળે તે માટેનો પ્રયાસ કરાયો હતો. નરહરીભાઈને ભાજપે ઊંટીયું બનાવ્યા છે પરંતુ અમે દરેક ધારાસભ્ય એક જ છીએ તેમજ કોંગ્રેસના દરેક ધારાસભ્ય કોંગ્રેસ ને જ વોટ આપશે.
Related Posts
અમદાવાદ શ્રેય હોસ્પિટલમાં લાગેલ આગમાં પીપીઈ કીટ પહેર્યા વગર જીવના જોખમે 41 લોકોનો જીવ બચાવતા મહિલા PSI પરમારને એક સલામ.
અમદાવાદ: અમદાવાદના નવરંગપુરામાં આવેલ શ્રેય હોસ્પિટલમાં લાગેલા ભયંકર આગમાં 8 લોકોએ જાન ગુમાવ્યા હતા ત્યારે અન્ય 41 લોકોના જીવ બચી…
રથયાત્રાની મોડી રાત્રે અંગત અદાવતમાં થયેલ નીરજ ઉર્ફે ઇલુ વર્માની હત્યાના મુખ્ય આરોપી રમેશ ઉર્ફે
શહેરકોટાડા પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ પ્રેમનગરના ભક્તિનગરમા રથયાત્રાની મોડી રાત્રે અંગત અદાવતમાં થયેલ નીરજ ઉર્ફે ઇલુ વર્માની હત્યાના મુખ્ય આરોપી…
ગુજરાત સરકાર શ્રી અને ખાંડ નિયામક શ્રી ના તઘલખી નિણઁયો સામે દક્ષિણ ગુજરાત ના ખાંડ ઉધોઁગ માંથી લોકશાહી ખતમ થાય તેની સામે નામદાર ગુજરાત હાઈકોર્ટે મા ભૂતપૂર્વ સાંસદ કનકસિંહ માંગરોલા ના પુત્ર વિક્રમસિંહ માંગરોલા દ્વારા પિટિશન દાખલ.
ગુજરાત ૧૭/ ૦૩ / ૨૦૨૦ – [ ] ગુજરાત વિધાનસભા ગુજરાત સહકારી મંડળીઓ ના અધિનિયમ-1961-62ની કલમ 74સી મા ફેરફારો કરી…
