ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં પાટીદારને ટિકિટ આપવામાં કોંગ્રેસના ધારાસભ્યોએ માંગણી કરી હતી. પરંતુ ટિકિટ ના આપતા કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોમાં અસંતોષની લાગણી હોવાનો સ્પષ્ટ નિર્દેશ કોંગ્રેસના ધારાસભ્યો વ્યક્ત કરવા લાગ્યા છે. રાજ્યસભામાં પાટીદારને ટિકિટ આપવા કોંગ્રેસના ધારાસભ્યોએ બંધબારણે મિટિંગ કરી હતી પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને ટિકિટ આપવાને ચક્કરરમાં પાટીદાર નેતાની બાદબાકી થઈ છે. આ બધાની વચ્ચે આજે પાટીદાર ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું કે, અમારી માંગ હતી કે આ વખતે પાટીદારને ટિકિટ મળે. અમે બધા પાટીદાર ધારાસભ્ય ભેગા થયા હતા અને પક્ષમાં પાટીદારને રાજ્યસભાની ટિકિટ મળે તે માટેનો પ્રયાસ કરાયો હતો. નરહરીભાઈને ભાજપે ઊંટીયું બનાવ્યા છે પરંતુ અમે દરેક ધારાસભ્ય એક જ છીએ તેમજ કોંગ્રેસના દરેક ધારાસભ્ય કોંગ્રેસ ને જ વોટ આપશે.
Related Posts
ક્વાટરીયા બોટલ નંગ.૭૯૦ કિ.રૂપિયા.૭૯,૦૦૦/-ના પ્રોહી મુદ્દામાલ સાથે એક ઇસમની ધરપકડ
નેવડીઆંબા ગામે આરોપીના કબજા ભોગવટાના ઘરમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ ઝડપાયો ક્વાટરીયા બોટલ નંગ.૭૯૦ કિ.રૂપિયા.૭૯,૦૦૦/-ના પ્રોહી મુદ્દામાલ સાથે એક ઇસમની…
*સુરક્ષાના ભાગ રૂપે જામનગર પોલીસ દ્વારા સૌપ્રથમ વખત ડ્રોન કેમેરા નો ઉપયોગ કરાયો*
*સુરક્ષાના ભાગ રૂપે જામનગર પોલીસ દ્વારા સૌપ્રથમ વખત ડ્રોન કેમેરા નો ઉપયોગ કરાયો* જામનગર, સંજીવ રાજપૂત: શહેરમાં તળાવની પાળે બાલા…
*દિલ્હી ખાતે ગુજરાતને પ્રાપ્ત થયો સ્વતંત્રતા કા મંત્રઃ વંદે માતરમ’ થીમ આધારિત ટેબ્લોને “પોપ્યુલર ચોઈસ” શ્રેણીનો પ્રથમ ક્રમનો એવોર્ડ*
*દિલ્હી ખાતે ગુજરાતને પ્રાપ્ત થયો સ્વતંત્રતા કા મંત્રઃ વંદે માતરમ’ થીમ આધારિત ટેબ્લોને “પોપ્યુલર ચોઈસ” શ્રેણીનો પ્રથમ ક્રમનો એવોર્ડ* …
