રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગના માહિતી નિયામક તરીકે શ્રી આર.કે.મહેતાની નિમણૂક થતા આજે તેઓએ તેમનો પદભાર સંભાળી લીધો છે. 2011ની બેચના IAS ઓફિસર શ્રી મહેતા આ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે કાર્યરત હતા. શ્રી મહેતા આ અગાઉ વર્લ્ડ બેન્ક દ્વારા ફાયનાન્સ કરેલ ગુજરાત રેઝિલિયન્ટ સિટીઝ પ્રોગ્રામમાં પ્રોગ્રામ ઓફિસર તરીકે, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર તરીકે, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં મુખ્ય વહીવટી અધિકારી તરીકે, ભારત સરકારના ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર કોર્પોરેશન લિમિટેડમાં ડેપ્યુટી ચિફ પ્રોજેક્ટ મેનેજર તરીકે તથા અમદાવાદ શહેરમાં સિટી ડેપ્યુટી કલેક્ટર સહિત વિવિધ જિલ્લાઓમાં સેવાઓ આપી ચૂક્યા છે.
Related Posts
*અમદાવાદના વસ્ત્રાપુર તળાવના વૉક-વેની દિવાલ તૂટી* સદનસીબે કોઈ જાનહાની નહીં.
મતદાનના આગલે દિવસે તમામ મતદાન મથકો સેનીટાઇઝ્ડ કરાશે.
નર્મદા જિલ્લામાં મતદાનના આગલે દિવસે તમામ મતદાન મથકો સેનીટાઇઝ્ડ કરાશે. તમામ મતદાન મથકો ખાતે મતદારો માટે સેનીટાઇઝર, માસ્ક, હેન્ડગ્લોઝ અને…
વિશ્વ ફોટોગ્રાફી દિવસ: એક સલામ પ્રેસ ફોટોગ્રાફીની સાહસિક અને યાદગાર તસ્વીર સાથે તેઓના અનુભવના વર્ણનનો ચિતાર આપતા ગુજરાતના વરિષ્ઠ ફોટોગ્રાફર કે એમ શર્માજીને
વિશ્વ ફોટોગ્રાફી દિવસ: એક સલામ પ્રેસ ફોટોગ્રાફીની સાહસિક અને યાદગાર તસ્વીર સાથે તેઓના અનુભવના વર્ણનનો ચિતાર આપતા ગુજરાતના વરિષ્ઠ ફોટોગ્રાફર…
