**જીએનએ જામનગર: રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૫૬મો પદવીદાન સમારોહ યોજાયો હતો. સરકારશ્રીની કોરોના ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે યોજાયેલા પદવીદાન સમારોહમાં સૂવર્ણપદક મેળવનાર ૧૪ વિદ્યાશાખાના કુલ ૧૦૭ વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.મેડિકલમાં અભ્યાસ કરતી જામનગરની એમ. પી.શાહ ગવર્મેન્ટ કોલેજની યશસ્વી વિધાર્થીની ખુશી દેસાઈએ સૌથી વધારે કુલ ૮ સુવર્ણ પદક મેળવ્યા હતા. તેણે એમબીબીએસ.ના અભ્યાસમાં તમામ વિષયમાં સૌથી વધારે માર્કસ મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું હતું.જે પૈકી તેમણે મહત્તમ માર્કસ સર્જરી અને મેડીસીન વિષયમાં મેળવ્યા છે.હાલમાં તેઓએ પોતાનો એમ.બી.બી.એસ.નો અભ્યાસ પૂર્ણ કરીને જામનગર ખાતે જી.જી. હોસ્પિટલમાં ઈન્ટર્નશીપ કરી રહ્યા છે. તેમની ઈન્ટર્નશીપ કોરોનાની પ્રથમ લહેરથી શરૂ થઈ હતી જેમાં તેઓએ ડોક્ટર તરીકે પોતાની ફરજ બજાવી હોવાનું જણાવ્યું હતું.૮ પદક મેળવવા માટેની સફરમાં અને સર્વાધિક ગુણ મેળવવામાં માતા પિતા, શિક્ષકો, પરિવારજનોએ સહયોગ અને પ્રેરણા પૂરી પાડીને સિદ્ધિ હાંસલ કરવામાં મદદ કરી છે. તે બધાની હું ખુબ ઋણી છું, તેમ ખુશી દેસાઈએ જણાવ્યું હતું.
Related Posts
રૂપાણી સરકારનો નિર્ણય : જામનગરના સચાણામાં શિપ બ્રેકિંગ યાર્ડ આકાર પામશે.. સચાણા શિપિંગ યાર્ડ પુનઃ ધમધમશે…
જામનગર : રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જામનગરના સચાણામાં શિપ બ્રેકિંગ યાર્ડની મંજૂરી આપી દેવામાં આવી છે. હાલમાં સૌથી મોટામાં…
*લાખો માઈભક્તોની આસ્થાના અવસર ભાદરવી પૂનમ મહામેળાનો રંગેચંગે કલેકટરના હસ્તે પ્રારંભ*
*લાખો માઈભક્તોની આસ્થાના અવસર ભાદરવી પૂનમ મહામેળાનો રંગેચંગે કલેકટરના હસ્તે પ્રારંભ* અંબાજી, સંજીવ રાજપૂત: શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ…
🔴 કોરોના ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૧/૪/૨૦૨૧) *ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે પણ વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત….* નવા કેસ:- ૨,૪૧૦ ડીસ્ચાર્જ:-૨,૦૧૫ મૃત્યુ:- ૯
🔴 કોરોના ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૧/૪/૨૦૨૧) *ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે પણ વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત….* નવા…
