**જીએનએ જામનગર: રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૫૬મો પદવીદાન સમારોહ યોજાયો હતો. સરકારશ્રીની કોરોના ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે યોજાયેલા પદવીદાન સમારોહમાં સૂવર્ણપદક મેળવનાર ૧૪ વિદ્યાશાખાના કુલ ૧૦૭ વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.મેડિકલમાં અભ્યાસ કરતી જામનગરની એમ. પી.શાહ ગવર્મેન્ટ કોલેજની યશસ્વી વિધાર્થીની ખુશી દેસાઈએ સૌથી વધારે કુલ ૮ સુવર્ણ પદક મેળવ્યા હતા. તેણે એમબીબીએસ.ના અભ્યાસમાં તમામ વિષયમાં સૌથી વધારે માર્કસ મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું હતું.જે પૈકી તેમણે મહત્તમ માર્કસ સર્જરી અને મેડીસીન વિષયમાં મેળવ્યા છે.હાલમાં તેઓએ પોતાનો એમ.બી.બી.એસ.નો અભ્યાસ પૂર્ણ કરીને જામનગર ખાતે જી.જી. હોસ્પિટલમાં ઈન્ટર્નશીપ કરી રહ્યા છે. તેમની ઈન્ટર્નશીપ કોરોનાની પ્રથમ લહેરથી શરૂ થઈ હતી જેમાં તેઓએ ડોક્ટર તરીકે પોતાની ફરજ બજાવી હોવાનું જણાવ્યું હતું.૮ પદક મેળવવા માટેની સફરમાં અને સર્વાધિક ગુણ મેળવવામાં માતા પિતા, શિક્ષકો, પરિવારજનોએ સહયોગ અને પ્રેરણા પૂરી પાડીને સિદ્ધિ હાંસલ કરવામાં મદદ કરી છે. તે બધાની હું ખુબ ઋણી છું, તેમ ખુશી દેસાઈએ જણાવ્યું હતું.
Related Posts
પીએમ કિસાન યોજનાનું સૂરસૂરિયું
લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોને આકર્ષવા માટે મોદી સરકારે નાના ખેડૂતોના ખાતામાં વર્ષમાં છ હજાર રૂપિયા જમા કરવાનું વચન આપ્યું હતું,…
વ્યથાના બદલે વ્યવસ્થા : અમદાવાદ સોલા સિવિલ ખાતે કોવીડગ્રસ્ત મૃતદેહના નિકાલ માટે નવી ૫ (પાંચ) શબવાહિનીની વ્યવસ્થા શરૂ કરાઈ
*વ્યથાના બદલે વ્યવસ્થા : અમદાવાદ સોલા સિવિલ ખાતે કોવીડગ્રસ્ત મૃતદેહના નિકાલ માટે નવી ૫ (પાંચ) શબવાહિનીની વ્યવસ્થા શરૂ કરાઈ* અમદાવાદ:…
અંબાજી પવિત્ર યાત્રાધામ અંબાજીમાં મેઘમહેર શહેરના રસ્તા થયા પાણી પાણી.
