**જીએનએ જામનગર: રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૫૬મો પદવીદાન સમારોહ યોજાયો હતો. સરકારશ્રીની કોરોના ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે યોજાયેલા પદવીદાન સમારોહમાં સૂવર્ણપદક મેળવનાર ૧૪ વિદ્યાશાખાના કુલ ૧૦૭ વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.મેડિકલમાં અભ્યાસ કરતી જામનગરની એમ. પી.શાહ ગવર્મેન્ટ કોલેજની યશસ્વી વિધાર્થીની ખુશી દેસાઈએ સૌથી વધારે કુલ ૮ સુવર્ણ પદક મેળવ્યા હતા. તેણે એમબીબીએસ.ના અભ્યાસમાં તમામ વિષયમાં સૌથી વધારે માર્કસ મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું હતું.જે પૈકી તેમણે મહત્તમ માર્કસ સર્જરી અને મેડીસીન વિષયમાં મેળવ્યા છે.હાલમાં તેઓએ પોતાનો એમ.બી.બી.એસ.નો અભ્યાસ પૂર્ણ કરીને જામનગર ખાતે જી.જી. હોસ્પિટલમાં ઈન્ટર્નશીપ કરી રહ્યા છે. તેમની ઈન્ટર્નશીપ કોરોનાની પ્રથમ લહેરથી શરૂ થઈ હતી જેમાં તેઓએ ડોક્ટર તરીકે પોતાની ફરજ બજાવી હોવાનું જણાવ્યું હતું.૮ પદક મેળવવા માટેની સફરમાં અને સર્વાધિક ગુણ મેળવવામાં માતા પિતા, શિક્ષકો, પરિવારજનોએ સહયોગ અને પ્રેરણા પૂરી પાડીને સિદ્ધિ હાંસલ કરવામાં મદદ કરી છે. તે બધાની હું ખુબ ઋણી છું, તેમ ખુશી દેસાઈએ જણાવ્યું હતું.
Related Posts
અમરેલી બાબરામાં બુધવારી બજારમાં PSI દ્વારા પાથરણા પાથરીને બેસતી મહિલા પર લાઠીચાર્જ
અમરેલી બાબરામાં બુધવારી બજારમાં PSI દ્વારા પાથરણા પાથરીને બેસતી મહિલા પર લાઠીચાર્જ…. PSI દિપિકા ચૌધરીને અમરેલી SP દ્વારા સસ્પેન્ડ કરાયા…..
ચલાલા પો.સ્ટે., વિસ્તારમાં એક ઈસમને ગાંજાનાં જથ્થા સાથે ઝડપી પાડતી ચલાલા પો.સ્ટે., તથા અમરેલી એસ.ઓ.જી.ટીમ.
💫 *ચલાલા પો.સ્ટે., વિસ્તારમાં એક ઈસમને ગાંજાનાં જથ્થા સાથે ઝડપી પાડતી ચલાલા પો.સ્ટે., તથા અમરેલી એસ.ઓ.જી.ટીમ.* 💫 *પોલીસ મહાનિદેશક અને…
ગાયના છાણમાંથી બનાવેલ પ્રાકૃતિક ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ ગણેશભક્ત રાજેન્દ્ર પટેલે બનાવી
રાજપીપલામા ગાયના છાણમાંથી બનાવેલ પ્રાકૃતિક ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ ગણેશભક્ત રાજેન્દ્ર પટેલે બનાવી રાજપીપલા, તા 11 સામાન્ય રીતે ગણેશજીની મૂર્તિ…
