થિરૂવનાઈકલવમાં જમ્બુકેશ્નર મંદિર પાસે ખોદકામ દરમિયાન તાંબાના વાસણમાં 1.716 કિલોગ્રામ વજનના 505 સોનાના સિક્કા મળી આવ્યા છે. મંદિરના અધિકારીઓએ જણાવ્યું છે કે, જમીનની અંદર નાના મોટા એવા 504 અને 1 મોટો સિક્કો મળી આવ્યો છે. ખોદકામ દરમિયાન મળી આવેલા આ સિક્કા બાદ આજૂબાજૂના વિસ્તારોમાં હડકંપ મચી ગયો હતો. મંદિરાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ સિક્કાઓ 1 હજારથી 2 હજાર વર્ષ જૂના સિક્કાઓ છે. આ સિક્કાઓ સાત ફૂટ ઉંડા ખાડામાંથી મળી આવ્યા છે.ખોદકામ દરમિયાન મળી આવેલા આ તાંબાના વાસણને ખોલીને જોયું તો તેમાં સોનાના સિક્કા હતા. મંદિર પ્રશાસને આ સિક્કાઓ પોલીસને સોંપી દીધા છે. હાલમાં જો કે, આ સિક્કાઓ કેટલી કિંમતના છે, તેનો ખુલાસો થયો નથી.ખોદકામમાંથી મળી આવેલા સિક્કાની આગળ તપાસ ચાલી રહી છે. સિક્કાઓનો ચલણનો સમય જાણવા માટે આર્ક્યોલોજી વિભાહને જાણકારી આપવામાં આવી છે
Related Posts
સમગ્ર દેશમાં પરિભ્રમણ કર્યા બાદ 1971 ના વિજય યુદ્ધની યાદ અપાવતી સ્વર્ણિમ વિજય વર્ષ મશાલ INS વાલસુરા ખાતે પહોંચતા કરાયું ભવ્ય સ્વાગત.
અમદાવાદ: ‘સ્વર્ણિમ વિજય મશાલ’ની સમગ્ર દેશમાં એક છેડાથી બીજા છેડા સુધીની સફર પૂરી થયા બાદ, 04 ઑગસ્ટ 2021ના રોજ તે…
કર્ણાવતી મહાનગર એરપોર્ટ સર્કલ ખાતે ભીત સૂત્રો લખવાના કાર્યક્રમનો શુભારંભ કરાવતા સી આર પાટીલ
અમદાવાદ: પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે કર્ણાવતી મહાનગર એરપોર્ટ સર્કલ ખાતે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી અંતર્ગતની પ્રક્રિયા સંદર્ભે ભીત સૂત્રો લખવાના કાર્યક્રમનો…
રાજપીપળા જીલ્લા જેલ ખાતે કેદી બંધુઓ માટે યોગ શિબિરનું આયોજન કરાયું.
રાજપીપળા જીલ્લા જેલ ખાતે કેદી બંધુઓ માટે યોગ શિબિરનું આયોજન કરાયું. બંદિવાનો તેમજસ્ટાફ કર્મચારીમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય નહિ ત…
