થિરૂવનાઈકલવમાં જમ્બુકેશ્નર મંદિર પાસે ખોદકામ દરમિયાન તાંબાના વાસણમાં 1.716 કિલોગ્રામ વજનના 505 સોનાના સિક્કા મળી આવ્યા છે. મંદિરના અધિકારીઓએ જણાવ્યું છે કે, જમીનની અંદર નાના મોટા એવા 504 અને 1 મોટો સિક્કો મળી આવ્યો છે. ખોદકામ દરમિયાન મળી આવેલા આ સિક્કા બાદ આજૂબાજૂના વિસ્તારોમાં હડકંપ મચી ગયો હતો. મંદિરાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ સિક્કાઓ 1 હજારથી 2 હજાર વર્ષ જૂના સિક્કાઓ છે. આ સિક્કાઓ સાત ફૂટ ઉંડા ખાડામાંથી મળી આવ્યા છે.ખોદકામ દરમિયાન મળી આવેલા આ તાંબાના વાસણને ખોલીને જોયું તો તેમાં સોનાના સિક્કા હતા. મંદિર પ્રશાસને આ સિક્કાઓ પોલીસને સોંપી દીધા છે. હાલમાં જો કે, આ સિક્કાઓ કેટલી કિંમતના છે, તેનો ખુલાસો થયો નથી.ખોદકામમાંથી મળી આવેલા સિક્કાની આગળ તપાસ ચાલી રહી છે. સિક્કાઓનો ચલણનો સમય જાણવા માટે આર્ક્યોલોજી વિભાહને જાણકારી આપવામાં આવી છે
Related Posts
*જામનગર ખાતે 33 માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત આર.ટી.ઓ. કચેરી ખાતે રક્તદાન કેમ્પનું કરાયું આયોજન.* જીએનએ જામનગર :…
અમદાવાદ ના ખોખરા મા આતંક મચાવનાર વાનર ને અંતે વન ખાતા ની ટીમે ઝડપી પાડ્યો
અમદાવાદ ના ખોખરા હાટકેસવર ભાઈપુરા વોડઁ મા વાનરો નો બીજા દિવસે પણ ઉત્પાત ડાઘિયા વાનરે આજે બીજા દિવસે ૪૫ વષઁ…
સરદાર સરોવર ખાતેના પાવર હાઉસમાં બમ્પર વીજ ઉત્પાદન
સરદાર સરોવર ખાતેના પાવર હાઉસમાં બમ્પર વીજ ઉત્પાદન દરરોજ 1 કરોડ 40 લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન વીજ ઉત્પાદન માટે પાણી…
