થિરૂવનાઈકલવમાં જમ્બુકેશ્નર મંદિર પાસે ખોદકામ દરમિયાન તાંબાના વાસણમાં 1.716 કિલોગ્રામ વજનના 505 સોનાના સિક્કા મળી આવ્યા છે. મંદિરના અધિકારીઓએ જણાવ્યું છે કે, જમીનની અંદર નાના મોટા એવા 504 અને 1 મોટો સિક્કો મળી આવ્યો છે. ખોદકામ દરમિયાન મળી આવેલા આ સિક્કા બાદ આજૂબાજૂના વિસ્તારોમાં હડકંપ મચી ગયો હતો. મંદિરાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ સિક્કાઓ 1 હજારથી 2 હજાર વર્ષ જૂના સિક્કાઓ છે. આ સિક્કાઓ સાત ફૂટ ઉંડા ખાડામાંથી મળી આવ્યા છે.ખોદકામ દરમિયાન મળી આવેલા આ તાંબાના વાસણને ખોલીને જોયું તો તેમાં સોનાના સિક્કા હતા. મંદિર પ્રશાસને આ સિક્કાઓ પોલીસને સોંપી દીધા છે. હાલમાં જો કે, આ સિક્કાઓ કેટલી કિંમતના છે, તેનો ખુલાસો થયો નથી.ખોદકામમાંથી મળી આવેલા સિક્કાની આગળ તપાસ ચાલી રહી છે. સિક્કાઓનો ચલણનો સમય જાણવા માટે આર્ક્યોલોજી વિભાહને જાણકારી આપવામાં આવી છે
Related Posts
NIMA નેશનલ ઈન્ટીગેટેડ મેડિકલ એશોશિયેશન. ગુજરાત દ્વારા એકેડેમીક મેગા વર્કશોપ. વર્કશોપમા ભાગ લઈ આકર્ષક ઇનામ મેળવો.
Res.Dr, Nima Gujara, Comming up with a very interesting and informative workshop from 1st Feb to 6th Feb, 2021. The…
महामारी के बावजूद के.आई.आई.टी. में रिकॉर्ड प्लेसमेंट
कोविड-19 महामारी ने देश और पूरे विश्व में गतिरोध पैदा कर दिया है। यहां तक कि छात्र समुदाय सबसे अधिक…
*નાણા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે રાજ્ય કર વિભાગના નવા લોગોનું અનાવરણ કરાયું*
*નાણા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે રાજ્ય કર વિભાગના નવા લોગોનું અનાવરણ કરાયું* ગાંધીનગર, સંજીવ રાજપૂત: તા. ૧ જુલાઈ – GST…
