મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં કોરોના અને તેના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યાં છે. આવી સ્થિતિમાં બાળકોમાં સંક્રમણ ન ફેલાય તે હેતુસર બીએમસીએ એક મોટો નિર્ણય લીધો છે.31 જાન્યુઆરી સુધી ધોરણ 1થી8ની સ્કૂલ બંધ વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે બીએમસીના અધિકારીોએ આજે એક મોટી બેઠક કરી હતી. બેઠકમાં સ્કૂલ બંધ રાખવા પર બધા અધિકારીઓ સંમત થયા હતા જે પછી 1થી 9 અને 11મા ધોરણની સ્કૂલ 31 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.રાજ્ય સરકારે ફક્ત ધોરણ 10 અને 12ની સ્કૂલ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે કારણ આગામી થોડા સમયમાં બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે તેને લઈને ફક્ત ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માતાપિતાની સંમતિ સાથે સ્કૂલે આવવાની પરમિશન અપાઈ છે.કોરોનાના વધતા ચેપ વચ્ચે આજથી મુંબઈમાં18 વર્ષ સુધીના બાળકોનું રસીકરણ શરૂ થઈ ગયું છે. મુંબઈના ૯ રસીકરણ કેન્દ્રો પર બાળકોને રસી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. શરૂઆતમાં મુંબઈ મ્યુનિસિપલ સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકોને રસીકરણ માટે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા રસીકરણ માટે વિદ્યાર્થીઓને રોજગારી આપવામાં આવી છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારે ફરી એકવાર લોકડાઉનના સંકેત આપી દીધા છે. તેમણે શાળા અંગે નિર્ણય લેવાની પણ વાત કરી હતી. જે બાદ આજે ૧થી ૮ ધોરણ સુધી શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
Related Posts
ચેમ્બરની ચૂંટણીનો ધમધમાટ ફરીથી શરૂ, ઉમેદવારો ફરીથી સક્રિય બન્યા.
ઉમેદવારોએ ચેમ્બરના સભ્યો મતદારોને વોટ્સએપ અને ઇમેલ દ્વારા પોતાને મત આપવા માટેની અપીલ કરવાની શરૂઆત કરી ઘણા ઉમેદવારો એ પોતે…
*લગ્નમાં અનેકને કોરોનાનો ચેપ લાગ્યો.વરરાજાનું મૃત્યુ*
પટના: પટનાના ગ્રામીણ વિસ્તારમાં પંદર દિવસ અગાઉ ૧૫મી જૂને થયેલા લગ્નમાં ભાગ લેનાર વરરાજાનું લગ્નના બે દિવસ બાદ તાવ આવીને…
*આત્મહત્યા કરવા નીકળેલ પરિવારને બચાવતી ઇસનપુર પોલીસ ટીમનું શહેર કમિશ્નર દ્વારા કરાયું સન્માન*
*આત્મહત્યા કરવા નીકળેલ પરિવારને બચાવતી ઇસનપુર પોલીસ ટીમનું શહેર કમિશ્નર દ્વારા કરાયું સન્માન* અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેર પોલીસ કમિશનર…
