મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સરદાર પટેલ રીંગ રોડ ઉપર મેમદપૂરા રોડ ક્રોસીંગ પરના બ્રીજના બોપલ સનાથલ તરફ જતા એક બોક્ષ ગર્ડરના અચાનક તૂટી પડવા અંગેની દુર્ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ ઘટનાની તપાસ માટે ઉચ્ચ કક્ષાની તપાસ સમિતીની રચનાની જાહેરાત કરી છે.શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ સચિવ લોચન સહેરાની અધ્યક્ષતામાં આ તપાસ સમિતીમાં અન્ય ૪ સભ્યોની પણ સેવાઓ જરૂરીયાત મુજબ લઇ શકાશે.આ તપાસ સમિતી દુર્ઘટના થવાના કારણો, નુકશાનીની વિગતો તથા નિર્માણ કાર્યને લગતી કામગીરીની ક્ષતિ-બેદરકારીની તપાસ કરશે. એટલું જ નહિ, ભવિષ્યમાં આવા બનાવો ના બને તે માટેના સુધારાત્મક પગલાં ઓ સૂચવશે. તપાસ સમિતિએ પોતાનો પ્રાથમિક અહેવાલ ૩૦ દિવસમાં રાજ્ય સરકારને સુપરત કરવાનો રહેશે. આ તપાસ સમિતિમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મુખ્ય ઇજનેર, માર્ગ અને મકાન વિભાગના ડિઝાઇન સર્કલના મુખ્ય અથવા અધિક્ષક ઇજનેર, GERI વડોદરાના એક પ્રતિનિધિ તેમજ ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના એક પ્રતિનિધિની સેવાઓ જરૂર જણાયે લેવામાં આવશે તેમ પણ ઠરાવવામાં આવ્યું છે.અમદાવાદના બોપલ વિસ્તારમાં મંગળવારે રાત્રે નિર્માણધીન ઓવર બ્રિજ તૂટી પડ્યો હતો. આ બ્રિજનો કોન્ટ્રાક્ટ જે કંપની પાસે છે, તે રણજિત બિલ્ડકોનને બુલેટ ટ્રેનના 16 બ્રિજ, મેટ્રોના એલિવેટેડ કોરિડોર, સાઇડ રોડનો 1200 કરોડનો કોન્ટ્રાક્ટ સોંપાયો છે. અમદાવાદ મ્યુનિ.ના ઓઢવ બ્રિજનું કામ પણ સોંપાયું છે. તૂટી પડેલા બ્રિજનું કામ ઔડાએ અટકાવી દીધું છે, પણ બાકીનાં કામો હજી ચાલુ છે. બ્રિજ કેમ તૂટ્યો તેની તપાસ માટે ઔડાએ ટેકનિકલ ચકાસણી કરવા સરકારને પત્ર લખ્યો છે.
Related Posts
*કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી ની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ચાંગોદર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો*
*કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી ની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ચાંગોદર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો* અમદાવાદ, સંજીવ રાજપૂત: વિકસિત…
અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં ખુલાસો – 142.5 કિમી પ્રતિ કલાકની ઝડપે ચલાવતો હતો.
અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં ખુલાસો – 142.5 કિમી પ્રતિ કલાકની ઝડપે ચલાવતો હતો કાર, ગાંધીનગર FSL રિપોર્ટમાં ખુલાસો
વડોદરા મકરપુરા GIDCમાં આગની ઘટના
બ્રેકિંગ ન્યૂઝ: 15 ફાયર ફાઇટરે કરી બચાવ કામગીરી અગરબત્તી બનાવતી કંપનીમાં આગ ઘટનાને પગલે મેજર કોલ જાહેર કરાયો
