અમદાવાદ : અમદાવાદમાં ઓમિક્રોન પ્રથમ કેસ નોંધાયો છે. પોઝીટીવ આવનાર 48 વર્ષીય પુરૂષ લંડનથી દુબઇ થઈ અમદાવાદ આવેલ હતા. દર્દીને સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોન વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવેલ છે. જેઓ મૂળ આણંદના વતની છે. હાલ દર્દીની હાલત સંપૂર્ણ સ્વસ્થ બતાવવામાં આવી રહી છે.રાજ્યના આરોગ્ય વિભાગ માટે ઓમિક્રોનના કેસમાં વધારો થવો તે મોટો પડકાર બની રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ઓમિક્રોનના કેસ નોંધાતા હડકંપ મચી જવા પામ્યો છે. એક તરફ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અને બીજી તરફ વાયબ્રન્ટ સમિટ આંગણે આવીને ઉભી છે, ત્યારે જીનોમ સિક્વોન્સિંગમાં મોકલેલા સેમ્પલ માંથી વધુ એક રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી છે.
Related Posts
*હારીજ ખાતે ફાંટાવાળા જોગણીમાતાજીના સાનિધ્યમાં નવચંડી યજ્ઞ યોજાયો*
*હારીજ ખાતે ફાંટાવાળા જોગણીમાતાજીના સાનિધ્યમાં નવચંડી યજ્ઞ યોજાયો* પાટણ : એ.આર. એબીએનએસ : પાટણ જિલ્લાનાં હારીજ ખાતે 13 એપ્રિલનાં…
પહેલી મેં થી 37 કેન્ટોન્મેન્ટ હોસ્પિટલોમાં આયુર્વેદ ક્લિનિકનો પ્રારંભ કરવામાં આવશે.
અમદાવાદ: ચિકિત્સા માટે ભારતીય પરંપરાગત આયુર્વેદ પ્રણાલીના લાભો વ્યાપક સંખ્યામાં લોકો સુધી પહોંચાડવાના દૃષ્ટિકોણ સાથે, સંરક્ષણ મંત્રાલયે 01 મે 2022ના…
અમદાવાદ: ભારત સરકારના મત્સ્યપાલન, પશુ સંવર્ધન અને ડેરી ઉદ્યોગ મંત્રી આદરણીય શ્રી પરશોત્તમ રૂપાલાએ 09 મે 2022ના રોજ પોરબંદરમાં આવેલી…
