જીએનએ અમદાવાદ: દેશની રક્ષા માટે પ્રાણ ન્યોચ્છાવર કરનારા વીર જવાનોના પરિવારોના કલ્યાણ માટે ફાળો આપી કૃતજ્ઞતા વ્યક્ત કરી.અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેએ 7 ડિસેમ્બર, સશસ્ત્ર સેના ધ્વજ દિવસ નિમિત્તે ફાળો અર્પણ કરીને માતૃભૂમિની રક્ષા કરતા વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આયોજિત કાર્યક્રમ બાદ જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રતિભાવ આપતા કહ્યું કે, “સશસ્ત્ર સેના ધ્વજ દિવસ એ આપણા રાષ્ટ્રના વીર જવાનો અને તેમના પરિવારજનો સ્વમાનભેર જીવી શકે એ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર છે.” જિલ્લા કલેક્ટરશ્રીએ સશસ્ત્ર સેના ધ્વજ દિવસે પ્રજાને અપીલ કરતાં કહ્યું કે, “આપણે સૌ ઉદાર હ્રદયે યોગદાન આપીને આપણે રાષ્ટ્ર પ્રત્યેનું ઋણ અદા કરવું જોઈએ”. આ અવસરે જિલ્લા સૈનિક કલ્યાણના અધિકારી શ્રી પલકેશ ચૌધરી,ઓફિસ સુપ્રિટેન્ડેટન્ટ શ્રી કે.કે.પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Related Posts
મહાનગરોમાં મતદારોને સ્લીપ ન આપવાનો ECનો નિર્ણય, મતદાર કેન્દ્ર અને બુથ નંબરની માહિતી મળશે ઓનલાઈન
મહાનગરોમાં મતદારોને સ્લીપ ન આપવાનો ECનો નિર્ણય, મતદાર કેન્દ્ર અને બુથ નંબરની માહિતી મળશે ઓનલાઈન રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ…
રાજ્યના ૨૯ શહેરોમાં રાત્રિ કરફ્યુ ઉપરાંત વધારાના નિયંત્રણો મૂકવાની રાજ્ય સરકારની જાહેરાત.
• રાજ્યના ૨૯ શહેરોમાં રાત્રિ કરફ્યુ ઉપરાંત વધારાના નિયંત્રણો મૂકવાની રાજ્ય સરકારની જાહેરાત. • આ નિયંત્રણ તા. ૨૮મી એપ્રિલ-૨૦૨૧ બુધવારથી…
અમદાવાદમાં AMC ના તંત્ર એ વષોઁ પહેલા ડાકોરના પદયાત્રીઓના વિસામા માટે વાવેલા ઘાટદાર વૃક્ષોની માર્ગ પહોળો કરવાના બહાને કાપવાની વણથંભી શરુઆત કરી.
અમદાવાદ: જય રણછોડ ભકિતપથ તરીકે સાતેક કરોડના ખચેઁ તૈયાર કરેલા માર્ગ પરથી ડાકોર જતા પદયાત્રીઓ વૃક્ષોના શીતળ છાંયડામાં વિશ્રામ કરવા…
