જીએનએ અમદાવાદ: દેશની રક્ષા માટે પ્રાણ ન્યોચ્છાવર કરનારા વીર જવાનોના પરિવારોના કલ્યાણ માટે ફાળો આપી કૃતજ્ઞતા વ્યક્ત કરી.અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેએ 7 ડિસેમ્બર, સશસ્ત્ર સેના ધ્વજ દિવસ નિમિત્તે ફાળો અર્પણ કરીને માતૃભૂમિની રક્ષા કરતા વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આયોજિત કાર્યક્રમ બાદ જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રતિભાવ આપતા કહ્યું કે, “સશસ્ત્ર સેના ધ્વજ દિવસ એ આપણા રાષ્ટ્રના વીર જવાનો અને તેમના પરિવારજનો સ્વમાનભેર જીવી શકે એ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર છે.” જિલ્લા કલેક્ટરશ્રીએ સશસ્ત્ર સેના ધ્વજ દિવસે પ્રજાને અપીલ કરતાં કહ્યું કે, “આપણે સૌ ઉદાર હ્રદયે યોગદાન આપીને આપણે રાષ્ટ્ર પ્રત્યેનું ઋણ અદા કરવું જોઈએ”. આ અવસરે જિલ્લા સૈનિક કલ્યાણના અધિકારી શ્રી પલકેશ ચૌધરી,ઓફિસ સુપ્રિટેન્ડેટન્ટ શ્રી કે.કે.પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Related Posts
ઝઘડિયા તાલુકામાં માસ્કના દંડની ઉઘરાણી બંધ કરવા બાબતે મુખ્યમંત્રીને પત્ર લખતા ધારાસભ્ય છોટુ વસાવાના.
ઝઘડિયા તાલુકામાં માસ્કના દંડની ઉઘરાણી બંધ કરવા બાબતે મુખ્યમંત્રીને પત્ર લખતા ધારાસભ્ય છોટુ વસાવાના. રાજપીપળા, તા. 4 ઝઘડિયા તાલુકામાં માસ્કના…
બોટાદમાં ઉતરાયણના દિવસે જાહેરનામાનો ભંગ
બોટાદમાં ઉતરાયણના દિવસે જાહેરનામાનો ભંગ: ગઢડામાં વહેલી સવારે તુક્કલ ઉડતા જોવા મળ્યાં, જિલ્લા પોલીસવડાએ તુક્કલ ઉડાડવા પર લગાવ્યો છે પ્રતિબંધ
તટરક્ષક દળ દ્વારા પોરબંદર ખાતે પ્રદૂષણ પ્રતિક્રિયા વર્કશોપ અને મોક ડ્રીલ 2021નું આયોજન કરવામાં આવ્યું.
તટરક્ષક દળ દ્વારા પોરબંદર ખાતે પ્રદૂષણ પ્રતિક્રિયા વર્કશોપ અને મોક ડ્રીલ 2021નું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદ: રાષ્ટ્રીય ઓઇલ સ્પિલ ડિઝાસ્ટર…
