જીએનએ અમદાવાદ: દેશની રક્ષા માટે પ્રાણ ન્યોચ્છાવર કરનારા વીર જવાનોના પરિવારોના કલ્યાણ માટે ફાળો આપી કૃતજ્ઞતા વ્યક્ત કરી.અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેએ 7 ડિસેમ્બર, સશસ્ત્ર સેના ધ્વજ દિવસ નિમિત્તે ફાળો અર્પણ કરીને માતૃભૂમિની રક્ષા કરતા વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આયોજિત કાર્યક્રમ બાદ જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રતિભાવ આપતા કહ્યું કે, “સશસ્ત્ર સેના ધ્વજ દિવસ એ આપણા રાષ્ટ્રના વીર જવાનો અને તેમના પરિવારજનો સ્વમાનભેર જીવી શકે એ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર છે.” જિલ્લા કલેક્ટરશ્રીએ સશસ્ત્ર સેના ધ્વજ દિવસે પ્રજાને અપીલ કરતાં કહ્યું કે, “આપણે સૌ ઉદાર હ્રદયે યોગદાન આપીને આપણે રાષ્ટ્ર પ્રત્યેનું ઋણ અદા કરવું જોઈએ”. આ અવસરે જિલ્લા સૈનિક કલ્યાણના અધિકારી શ્રી પલકેશ ચૌધરી,ઓફિસ સુપ્રિટેન્ડેટન્ટ શ્રી કે.કે.પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Related Posts
બ્રેક્રિગ મુખ્યમંત્રીના શહેરમાં ભાજપની બલ્લે બલ્લે રાજકોટમાં ભાજપનો 24 બેઠક પર વિજય પ્રથમ રાઉન્ડની તમામ બેઠકો ભાજપના ફાળે કોંગ્રેસનો ફરી કડુસલો 6 વોર્ડની તમામ બેઠકો પર કમળ ખીલ્યું
બ્રેક્રિગ મુખ્યમંત્રીના શહેરમાં ભાજપની બલ્લે બલ્લે રાજકોટમાં ભાજપનો 24 બેઠક પર વિજય પ્રથમ રાઉન્ડની તમામ બેઠકો ભાજપના ફાળે કોંગ્રેસનો ફરી…
*શાહીનબાગમાં ફાયરિંગ કરનાર વ્યક્તિ “આપ” સાથે જોડાયેલો છેઃ દિલ્હી પોલીસ*
નવી દિલ્હીઃ શાહીનબાગમાં ફાયરિંગ કરનારા આરોપી કપિલ ગુર્જરને લઈને દિલ્હી પોલીસે દાવો કર્યો છે કે, આ વ્યક્તિ આમ આદમી પાર્ટી…
ગાંધીનગર આજે ભુપેન્દ્ર પટેલ સરકારનું પ્રથમ બજેટ થશે રજૂ.
ગાંધીનગર આજે ભુપેન્દ્ર પટેલ સરકારનું પ્રથમ બજેટ થશે રજૂ. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરશે બજેટ.
