જીએનએ અમદાવાદ: દેશની રક્ષા માટે પ્રાણ ન્યોચ્છાવર કરનારા વીર જવાનોના પરિવારોના કલ્યાણ માટે ફાળો આપી કૃતજ્ઞતા વ્યક્ત કરી.અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેએ 7 ડિસેમ્બર, સશસ્ત્ર સેના ધ્વજ દિવસ નિમિત્તે ફાળો અર્પણ કરીને માતૃભૂમિની રક્ષા કરતા વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આયોજિત કાર્યક્રમ બાદ જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રતિભાવ આપતા કહ્યું કે, “સશસ્ત્ર સેના ધ્વજ દિવસ એ આપણા રાષ્ટ્રના વીર જવાનો અને તેમના પરિવારજનો સ્વમાનભેર જીવી શકે એ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર છે.” જિલ્લા કલેક્ટરશ્રીએ સશસ્ત્ર સેના ધ્વજ દિવસે પ્રજાને અપીલ કરતાં કહ્યું કે, “આપણે સૌ ઉદાર હ્રદયે યોગદાન આપીને આપણે રાષ્ટ્ર પ્રત્યેનું ઋણ અદા કરવું જોઈએ”. આ અવસરે જિલ્લા સૈનિક કલ્યાણના અધિકારી શ્રી પલકેશ ચૌધરી,ઓફિસ સુપ્રિટેન્ડેટન્ટ શ્રી કે.કે.પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Related Posts
તા-૧૩/૧૨/૨૦૨૦ અંજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તાર માંથી ઈગ્લીશ દારૂ નો જથ્થો શોધી કાઢતી સરહદી બોર્ડર રેન્જ ભુજ ની ટીમ*
તા-૧૩/૧૨/૨૦૨૦ અંજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તાર માંથી ઈગ્લીશ દારૂ નો જથ્થો શોધી કાઢતી સરહદી બોર્ડર રેન્જ ભુજ ની ટીમ* મે.…
દ્વારકા ગોમતીઘાટ ખાતે દરિયામાં જોવા મળ્યો કરંટ. 10 ફૂટ ઊંચા ઉછળયા મોજા.
આજના મુખ્ય સમાચારો વિસ્તારથી*તા. 22/08/2020- *શનિવાર*
*રાજ્ય સરકારનો નિર્ણય* 50 હજાર સુધીની લોન મેળવનારા નાના ઊદ્યોગો-સ્ટાર્ટઅપને 31 ઓક્ટો. સુધી સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ, બે લાખ ફેરિયાઓને 300ની…
