વાયુ પ્રદૂષણને જોતાં સરકારે તાત્કાલિક શાળાઓ બંધ કરવાના આદેશ આપ્યા છે જે શુક્રવારથી જ લાગુ થશે. છેલ્લા એક મહિનાથી દિલ્હીમાં સતત પ્રદૂષણ વધી રહ્યું છે ત્યારે આજે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેજરીવાલ સરકારને ફટકાર લગાવી હતી અને પગલાં ભરવા માટે આદેશ આપ્યા હતા. કોર્ટે પૂછ્યું હતું કે જૉ રાજધાનીમાં મોટા લોકોને વર્ક ફ્રોમ હોમ કરવામાં આવતું હોય તો પછી બાળકોને શાળાએ કેમ મોકલવામાં આવી રહ્યા છે?સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ એનવી રમન્નાએ દિલ્હી સરકાર તરફથી હાજર વકીલ અભિષેક મનુ સિંઘવીને કહ્યું,દિલ્હી તરફથી કોણ હાજર થઈ રહ્યું છે? સિંધવી અમે તમારા નિવેદનોને ગંભીરતાથી લીધા છે. તમે અનેક દાવા કર્યા છે. તમે કહ્યું છે કે તમે સ્કૂલ બંધ કરી દીધા છે. પરંતુ તમામ સ્કૂલ બંધ નથી. 3થી 4 વર્ષના બાળકો સ્કૂલે જઈ રહ્યા છે.’
Related Posts
900 બેડની કેપેસીટી હોવા છત્તા લોકોને એડમિશન નથી મળી રહ્યું
GMDC ખાતે 900 બેડની ધનવંતરી કોરોના હોસ્પિટલમાં દર્દીને એડમિટ કરવા બાબતે હોસ્પિટલમાં બહાર અફરા તફરી 900 બેડની કેપેસીટી હોવા છત્તા…
જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જન ચેતના આંદોલનનો કાર્યક્રમનું કરાયું આયોજન.
જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જન ચેતના આંદોલનનો કાર્યક્રમનું કરાયું આયોજન. જામનગર: જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જન ચેતના આંદોલનનો…
ઇન્ડિયા ક્રાઇમ મિરર સર્વે રિવ્યુ.
વિશ્વકર્મા બહોળો વાચક વર્ગ ધરાવતાઇન્ડિયા ક્રાઇમ મિરર તરફથી એક સર્વે કરવામાં આવી રહ્યો છે તો આપણા રીવ્યુ અમને લખી જણાવશો.
