*પશુદવાખાના દ્વારા તાત્કાલિક સારવાર મળતા સંજેલીના પિછોડા ગામે પશુઓનો બચાવ થયો*હિતેશ કલાલ સુખસર: રાજ્ય સરકારના દસ ગામ દીઠ પશુદવાખાનાની યોજના અંતર્ગત છેવાડાના ગામોના પશુપાલકોને પણ પોતાના પશુઓ માટે સમયસર સારવાર મળી રહી છે. પશુપાલકો ૧૯૬૨ નંબર ડાયલ કરીને આ સેવા મેળવી શકે છે. દાહોદનાં સંજેલીના પિછોડા ગામના પશુપાલકે ફોન દ્વારા મદદ માગતાં ભયંકર આગમાં દાઝી ગયેલા તેમના પશુઓને સમયસર સારવાર મળતાં બચાવ થયો છે. દાહોદના સંજેલી તાલુકાના પિછોડા ગામમા મોહનભાઇ સુરસિંગભાઇના વાડામાં અચાનક આગ લાગતા તેમણે ૧૯૬૨ નંબર ઉપર ફોન કરીને મદદ માંગી હતી. પિછોડા ગામામાં દસ ગામદીઠ એક પશુદવાખાના અંતર્ગત એમ્બ્યુલન્સ ફાળવાયેલી છે જયાં નજીકના દસ ગામ આવરી લેવામાં આવ્યા છે. આ ફરતા પશુ દવાખાનામાં કાર્યરત ડો. કેયુર સોલંકી અને પાયલોટ અજય વણઝારા બપોરે તેમના શિડ્યુલ મુજબ કલ્યાણપુરા ગામે વિઝિટ લીધી હતી. જયાં મોહનભાઇનો ફોન આવતાં વાડામાં આગથી ઘવાયેલા ઢોરની સારવાર માટે તેઓ તાત્કાલિક પહોંચી ગયા હતા. આ આગમાં એક ગાય તુરત જ મૃત્યુ પામી હતી. જયારે વાછરડું તથા એક ભેંસને સમયસર સારવાર આપતાં બચાવી લેવામાં આવી હતી.૦૦૦
Related Posts
રાજપીપળામાં નેશનલ ચિલ્ડ્રન સાયન્સ સ્પર્ધામાં કોરોના રોગ પ્રતિકારક શક્તિ વધારતી કૃતિ રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી.
રાજપીપળામાં નેશનલ ચિલ્ડ્રન સાયન્સ સ્પર્ધામાં કોરોના રોગ પ્રતિકારક શક્તિ વધારતી કૃતિ રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી. બોરિંદ્રા પ્રાથમિક શાળાનું કોરોનામાં આયુર્વેદિક ઉકાળાનું…
*આપત્તિ સમયે અમદાવાદ ફાયર વિભાગની સરાહનીય બચાવ કામગીરીને એક સલામ* જીએનએ અમદાવાદ: સમગ્ર રાજ્યમાં ગત્ અઠવાડિયે ભારે વરસાદની પરિસ્થિતી સર્જાઇ…
ગાંધીનગરમાં ખેડૂતોની જમીન હડપવાનું કરાયું કાવતરું
ગાંધીનગરમાં ખેડૂતોની જમીન હડપવાનું કરાયું કાવતરું. ખોટી ઓળખ આપી નિમેષ પટેલ નામના શખ્સે ‘તાત’ની પચાવી જમીન. ખેડૂતોનો હુંકાર – જો…
