ગુજરાતમાં પંચાયતી ચૂંટણી આવી રહી હોવાથી ભાજપ મને જેલમાં બંધ કરવા માગે છે. હું ભાજપની સામે જનતાની લડાઈ લડતો રહીશ, એવું અમદાવાદના વસ્ત્રાપુર રાયોટિંગ કેસમાં ધરપકડ થાય તે પહેલા ભૂગર્ભમાં ઊતરી ગયેલા પાટીદાર કૉંગ્રેસી નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું. હાર્દિક પટેલે સોશિયલ મીડિયાના સહારે ગુજરાત સરકાર અને પોલીસ પર આક્ષેપ સાથે ટ્વીટ કરી લખ્યું કે, ચાર વર્ષ પહેલા ગુજરાત પોલીસે મારા પર ખોટો કેસ કર્યો હતો. લોકસભા ચૂંટણી સમયે મારા થયેલા કેસની યાદી અમદાવાદ પોલીસ કમિશનર પાસે માગી હતી, પરંતુ આ કેસ આ યાદીમાં નહોતા. ૧૫ દિવસ પહેલા મને હિરાસતમાં લેવા અચાનક પોલીસ મારા ઘરે આવી હતી, પરંતુ હું ઘરે નહોતો. જ્યારે બીજા ટ્વીટમાં લખ્યું કે, ખોટા કેસમાં મારા આગોતરા જામીનની પ્રક્રિયા હાઈ કોર્ટમાં ચાલી રહી છે. મારી સામે અનેક બિનજામીનપાત્ર વોરન્ટ પણ કાઢવામાં આવ્યા છે. ગુજરાતમાં પંચાયતી ચૂંટણી આવી રહી હોવાથી ભાજપ મને જેલમાં બંધ કરવા માગે છે.
Related Posts
ઈકો સેન્સેટિવ ઝોન-SOU સત્તા મંડળ રદ કરવા આદિવાસીઓના અચોક્કસ મુદત સુધીનાં ધરણા
ઈકો સેન્સેટિવ ઝોન-SOU સત્તા મંડળ રદ કરવા આદિવાસીઓના અચોક્કસ મુદત સુધીનાં ધરણા આરપાર ની લડાઈ લડી લેવાં આદિવાસીઓ આંદોલન નાં…
*પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુકમા દ્વારા કોટડા ઉગમણા ખાતે સર્ગભા મહિલા તપાસ કેમ્પ યોજાયો*
*પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુકમા દ્વારા કોટડા ઉગમણા ખાતે સર્ગભા મહિલા તપાસ કેમ્પ યોજાયો* ૦૦૦૦ *ભુજ, બુધવાર:* જિલ્લા આરોગ્ય…
આરોપી દીઠ ભોગબનનારનાં માતા-પિતાને રૂ.૧૦,૦૦,૦૦૦/- વળતર ચૂકવવાનો હુકમ કરેલ.
નામદાર એડી. સેશન્સ(સ્પેશ્યલ કોર્ટ) રાજુલા દ્વારા નાગેશ્રી પો.સ્ટે. ગુ.નં.ફ.૦૩/૧૭ તપાસ અધિકારી તથા પી.પી.ની દલીલ આધારે સગીર વયની બાળકી ઉપર ગેંગ…
