ગુજરાતમાં પંચાયતી ચૂંટણી આવી રહી હોવાથી ભાજપ મને જેલમાં બંધ કરવા માગે છે. હું ભાજપની સામે જનતાની લડાઈ લડતો રહીશ, એવું અમદાવાદના વસ્ત્રાપુર રાયોટિંગ કેસમાં ધરપકડ થાય તે પહેલા ભૂગર્ભમાં ઊતરી ગયેલા પાટીદાર કૉંગ્રેસી નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું. હાર્દિક પટેલે સોશિયલ મીડિયાના સહારે ગુજરાત સરકાર અને પોલીસ પર આક્ષેપ સાથે ટ્વીટ કરી લખ્યું કે, ચાર વર્ષ પહેલા ગુજરાત પોલીસે મારા પર ખોટો કેસ કર્યો હતો. લોકસભા ચૂંટણી સમયે મારા થયેલા કેસની યાદી અમદાવાદ પોલીસ કમિશનર પાસે માગી હતી, પરંતુ આ કેસ આ યાદીમાં નહોતા. ૧૫ દિવસ પહેલા મને હિરાસતમાં લેવા અચાનક પોલીસ મારા ઘરે આવી હતી, પરંતુ હું ઘરે નહોતો. જ્યારે બીજા ટ્વીટમાં લખ્યું કે, ખોટા કેસમાં મારા આગોતરા જામીનની પ્રક્રિયા હાઈ કોર્ટમાં ચાલી રહી છે. મારી સામે અનેક બિનજામીનપાત્ર વોરન્ટ પણ કાઢવામાં આવ્યા છે. ગુજરાતમાં પંચાયતી ચૂંટણી આવી રહી હોવાથી ભાજપ મને જેલમાં બંધ કરવા માગે છે.
Related Posts
*📌30 ફૂટ ઊંડી ડ્રેનેજ લાઈન નાં ધસમસતા પાણીમાં યુવક ગરકાવ* 🔸 અમદાવાદમાં 7 કલાકથી આધુનિક સાધનો અને લાઇટની મદદથી…
दिल्ली आज अमित शाह लखनऊ में बीजेपी का संकल्प पत्र जारी करेंगे।
दिल्ली* आज अमित शाह लखनऊ में बीजेपी का संकल्प पत्र जारी करेंगे।
ગુજરાતનાં પૂર્વ IAS અરવિંદ શર્મા જોડાશે ભાજપમાં કેન્દ્ર સરકારમાં બની શકે છે મંત્રી
બ્રેકિંગ ન્યૂઝ: ગુજરાતનાં પૂર્વ IAS અરવિંદ શર્મા જોડાશે ભાજપમાં કેન્દ્ર સરકારમાં બની શકે છે મંત્રી કેન્દ્રમાં મળી શકે છે મહત્વની…
