સોનાના ભાવમાં આવેલા વધારાને પગલે તેની દાણચારોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ખાસ કરીને અમદાવાદ અને સુરત એરપોર્ટ પર વિદેશથી ગેરકાયદે રીતે સોનું લાવવાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદ ઍરપોર્ટ પર ૮ ફેબ્રુઆરીએ ગલ્ફમાંથી આવતી ફલાઇટમાં ૧૩ પેસેન્જર પાસેથી અંદાજે ૩.૦૬ કરોડનું સોનું ઝડપી પાડવામાં આવ્યું છે, જેમાંથી છ પેસેન્જરની ધરપકડ કરવામાં આવી છે. પેસેન્જરોએ અલગ અલગ રીતે સોનાની દાણચોરીની પદ્ધતિ અપનાવીને ૭ કિલો ૨૪ કેરેટ સોનું ઝડપી પાડવામાં આવ્યું હતું. કુવેત, શારજાહ, દુબઇ, દોહા અને બેંગકોકથી ફલાઇટમાં આવેલા ૧૩ પેસેન્જરો સોનાની દાણચોરી કરતા ઝડપાઇ લીધા હતા. દાણચોરી કરતાં કેરિયરો કેરળ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના હોવાનું બહાર આવ્યું છે. આ લોકોએ સોનું વિવિધ રીતે જેમ કે, કપડાંમાં, મોજાં, ટ્રાઉઝર, જેકેટ્સ, જિન્સ, અન્ડરગાર્મેન્ટ, ટ્રોલી સપોર્ટ તરીકે છુપાયેલું હતું. પકડાયેલું ૨૪ કેરેટનું શુદ્ધ સોનું ૭ કિલો છે જેની માર્કેટ કિંમત રૂ.૩.૦૬ કરોડની આસપાસ થાય છે.
Related Posts
*કાકડીયાની પત્નીના આક્ષેપો નેતાઓનું સૂચક મૌન*
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જેવી કાકડીયાની પત્નીએ કરેલા આક્ષેપો બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ત્યારે આ મામલે ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા…
અમરેલીની 4 વર્ષની વૈભવીએ શાળા આરોગ્ય કાર્યક્રમની મદદથી સિવિલમાં સારવાર મેળવી મોતને હંફાવ્યું
. સિવિલ હોસ્પિટલમાં ૬ વર્ષમાં ૨૧૪૫ બાળકોએ શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ સારવાર મેળવી : સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડો.રાકેશ જોષી જીએનએ અમદાવાદ:…
એક સલામ તટરક્ષકો કે નામ: મુશ્કેલીમાં મૂકાયેલા માછીમારનો ભારતીય તટરક્ષક દળના જહાજ ‘અરિંજય’ એ જીવ બચાવ્યો.
એક સલામ તટરક્ષકો કે નામ: મુશ્કેલીમાં મૂકાયેલા માછીમારનો ભારતીય તટરક્ષક દળના જહાજ ‘અરિંજય‘ એ જીવ બચાવ્યો. અમદાવાદ: ભારતીય તટરક્ષક દળનું…
