જામકંડોરણા-જયેશ રાદડિયાના મત વિસ્તાર જામકંડોરણામાં રિજેક્ટ થઈને પરત આવેલી મગફળી બદલાયાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. જેથી રોષે ભરાયેલા ખેડૂતોએ મામલતદારને માર્કેટ યાર્ડમાં બોલાવ્યા હતા. ખેડૂતોનું કહેવુ છે કે, યાર્ડની એક દિવસમાં મગફળી ખરીદીની ક્ષમતા 100 ખેડૂતોની છે.પરંતુ યાર્ડ દ્વારા 600 ખેડૂતોને સાથે બોલાવવામાં આવતા વાહનોની 5 કિલોમીટર સુધીની લાંબી લાઈન લાગી હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે, યાર્ડમાં કૌભાંડ ચાલી રહ્યું છે. જે મગફળીને નાફેડ દ્વારા ગુણવત્તા તપાસ કર્યા બાદ ખરીદી કરવામાં આવી છે. તે મગફળીને રિજેક્ટ કરવામાં આવી રહી છે.તો બીજી તરફ ખેડૂતો પાસેથી સારી મગફળી ખરીદવામાં આવે છે અને સડેલી અને બગડેલી સરકારને પરણાવી દેવાનું મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યુ છે
Related Posts
*યૌન શોષણ મામલે ચિન્મયાનંદને જામીન*
અલ્હાબાદઃ યૌન શોષણ મામલે અલ્હાબાદ હાઈકોર્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા સ્વામી ચિન્મયાનંદને જામીન આપ્યા છે. વકીલાતનો અભ્યાસ કરતી…
રાજુ મને ભેટી પડ્યો….અને બોલ્યો સોરી પપ્પા…હું મોડો નહિ.પણ સમયસર જાગ્યો છું…..
એક સમજવા જેવી વાત.. .. મમ્મી, પપ્પા ઘણા વખત થી ઓફિસે એક્ટિવા કેમ નથી લઈ જતા….? રાજુ બોલ્યો ખબર નહીં….બેટા…
માંડવી લોહાર યુવક મંડળ દ્વારા શસ્ત્ર પૂજન અને વેશભૂષા સાથે વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી માંડવી, તા.6: ઐતિહાસિક સમયથી માંડવીના લોહાર…
