હવે ભાજપ સંગઠનમાં પ્રતિ ઘરદીઠ એક જ મળવાના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નિર્દેશથી નર્મદા જિલ્લામાં ભાજપના હોદ્દેદારો અને ટિકિટ વાંછુઓની ઊંઘ હરામ થઈ ગઈ.

હવે ભાજપ સંગઠનમાં પ્રતિ ઘરદીઠ એક જ મળવાના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નિર્દેશથી નર્મદા જિલ્લામાં ભાજપના હોદ્દેદારો અને ટિકિટ વાંછુઓની ઊંઘ હરામ થઈ ગઈ.
કોઈ પણ પ્રકારનો સાગવાદ કે પરિવારવાદ ચલાવી લેવાશે નહીં.
આગામી દિવસોમાં નર્મદા ભાજપમાં નવા રાજકીય સમીકરણો રચાઈ છે કે નહીં તેની પર સૌની મીટ મંડાઈ છે.
રાજપીપળા,તા. 21
હવે ભાજપ સંગઠનમાં પ્રતિ ઘરદીઠ એક જ મળવાના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નિર્દેશથી નર્મદા જિલ્લામાં ભાજપના હોદ્દેદારો અને ટિકિટ વાંછુઓની ઊંઘ હરામ થઈ જવા પામી છે. બજાજ કરીને આગામી દિવસોમાં રાજપીપળા નગરપાલિકા અને નર્મદા જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણી આવી રહી છે, ત્યારે મોટાભાગના નગરપાલિકાઓમાં વોર્ડવાઇઝ ટિકિટો માટે દોડધામ શરૂ થઈ ગઈ હતી.નવા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલે પણ જિલ્લા ભાજપની નવી રચના પણ જાહેર કરી હોદ્દા પણ ફાળવી દીધા છે, ત્યારે હવે પ્રદેશ પ્રમુખના ઘરદીઠ એક જ મુદ્દો મળવાના નિર્દેશથી ટિકિટવાંછુંઓ અને હોદ્દેદારોની ઊંઘ હરામ થઈ જવા પામી છે. જેને કારણે નર્મદા ના ભાજપના રાજકારણમાં ભરશિયાળે રાજકીય ગરમાવો આવી ગયો છે.હવે એ જોવું રહ્યું કે આગામી દિવસોમાં નર્મદા ભાજપામાં નવા રાજકીય સમીકરણો રચાયા છે કે નહીં તેની પર સૌની મીટ મંડાઈ છે.
કોઈ પણ પ્રકારનો સાગવાદ કે પરિવારવાદ ચલાવી લેવાશે નહીં.
પક્ષ માં કડક શિક્ષક તરીકે અને સખત નિર્ણય લેવાની છાપ ધરાવતા સી.આર.પાટીલ ગુજરાત ભાજપની કમાન સંભાળ્યા બાદ સતત ચર્ચામાં રહે છે. પોતાના વિવિધ નિવેદનો અને નિર્ણયો થી સી.આર.પાટીલ ભાજપના નેતાઓ અને કાર્યકરોને પણ અચરજ પમાડતા રહ્યા છે ત્યારે ગુજરાતના વિવિધ જિલ્લાઓના પ્રવાસ દરમિયાન વડોદરા ખાતે સી.આર. પટેલ નું વધુ એક નિવેદન સામે આવ્યું જેને હાલ કોંગ્રેસની સાથોસાથ ભાજપના હોદ્દેદારો અને નેતાઓને પણ ઊંઘ ઉડાડી દીધી છે. ખાસ કરીને આગામી દિવસોમાં આવનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની રણનીતિ અને તે અંગેના આગામી એજન્ડા અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે કાર્યકરોને કહી દીધું કે હવે ભાજપમાં એક પરિવારમાં એક જ હોદ્દો અપાશે. સી.આર.પાટીલે કાર્યકરોને જણાવ્યું કે હવે ભાજપ સંગઠનમાં પ્રતિ ઘર દીઠ એક જ મુદ્દો મળશે. જે સંગઠનો હોદ્દો ધરાવતા હશે,તેમને ચૂંટણીમાં ટિકિટ નહીં મળે. વડોદરા ભાજપ સંગઠનમાં જે લોકોને સ્થાન મળ્યું છે.તેઓ ટિકિટ માટે મહેનત ના કરે પાટીલના આ નિવેદનથી ભાજપના ટિકિટ વાંચ્છુઓનો નેતાઓ અને હોદ્દેદારોનું સપનું રોળાયુ છે.પાટીલે આ એક નિવેદનમાં થી એક કાંકરે બે નિશાન તાક્યું છે. એક તરફ પાટીલે પરિવારવાદ અને ભાઈ ભત્રીજાબાદ ના નિવેદનનો મુદ્દો કોંગ્રેસને બોલતી બંધ કરી દીધી છે.

રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા