અમદાવાદ શહેરનું વર્ષ 2020-21નું બજેટ શાસક પક્ષે રજૂ કર્યું હતું.777 કરોડનો વધારો કરી 9685 કરોડનું બજેટ શાસક પક્ષે મંજૂર કર્યું છે. સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન અમુલ ભટ્ટે સુધારા સાથે બજેટ રજૂ કર્યું છે. રૂ. 443 કરોડ વિકાસના કામ માટે ફાળવ્યા છે.ચૂંટણીને ધ્યાને લઈને કરવેરા વિનાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. શાસક પક્ષે બજેટમાં વાહન વેરો મંજૂર કર્યો છે. જ્યારે સ્ટેન્ડિગ કમિટીએ મ્યુનિસિપલ કમિશનરે સૂચવેલો રૂ. 228 કરોડનો પ્રોપર્ટી ટેક્સ ફગાવ્યો છે. જો કે રૂ.16 કરોડનો વાહન વેરો યથાવત છે. જ્યારે કોર્પોરેટરોને વિકાસ કામ માટે રૂ.13 લાખ ફાળવવામાં આવતા હતાં, જેમાં 17 લાખનો વધારો કરી રૂ. 30 લાખ ફાળવવાની દરખાસ્ત કરવામાં આવી છે. તેમજ સિનિયર સિટીઝન માટે કોર્પોરેશનની હોસ્પિ.માં ફ્રીમાં મોતિયાનું ઓપરેશન કરવા માટે પણ જોગવાઈ કરી છે.અમદાવાદ કોર્પો. 777 કરોડના વધારા સાથે મંજૂર, સિનિયર સિટીઝન માટે કોર્પો.ની હોસ્પિ.માં ફ્રીમાં મોતિયાનું ઓપરેશન થશે
Related Posts
*GNA બિગ બ્રેકીંગ..* રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા નું નિવેદન… આગામી મહિનામાં ધાર્મિક તહેવારો આવે છે… કોઈ પણ સંજોગોમાં લોકો ધાર્મિક સ્થળે ભેગા ન થાય… લોકો ઘરમાંથી જ પૂજા – બંદગી કરે તેવી અપીલ-:DGP ઝા… તહેવારો દરમ્યાન લોકોને એકત્રિત ન થવા અપીલ….
*GNA બિગ બ્રેકીંગ..* રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા નું નિવેદન… આગામી મહિનામાં ધાર્મિક તહેવારો આવે છે… કોઈ પણ સંજોગોમાં લોકો…
*ખોદકામ દરમિયાન તાંબાના વાસણમાં સોનાના સિક્કા મળ્યા*
થિરૂવનાઈકલવ માં જમ્બુકેશ્નર મંદિર પાસે ખોદકામ દરમિયાન તાંબાના વાસણમાં 1.716 કિલોગ્રામ વજનના 505 સોનાના સિક્કા મળી આવ્યા છે. મંદિરના અધિકારીઓએ…
અમદાવાદ ખાતે રાજ્યના પુરવઠા અને શ્રમ વિભાગ ના સહયોગથી ઈ-શ્રમ ઓળખકાર્ડની નોંધણી અને કાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યા.
જીએનએ અમદાવાદ: અમદાવાદ ખાતે પુરવઠા વિભાગ ની વટવા ઝોનલ કચેરી મા રાજ્યના શ્રમ વિભાગ ના સહયોગ થી ઈશ્રમ ઓળખકાડઁ ની…
