ચીન બાદ હવે ભારતમાં પણ કોરોના વાયરસની સંખ્યાઓ વધી રહી છે. કેરળમાં નોંધાયેલા ત્રણ કેસ બાદ હવે ગુજરાતમાં પણ કોરોના વાયરસનો સંદિગ્ધ કેસ નોંધાયો છે. ગુજરાતના સુરતમાં પણ એક દર્દીને અલગ રાખવામાં આવ્યો હતો. તેનો મેડિકલ ટેસ્ટ થઈ રહ્યો હતો. પણ 4 ફેબ્રુઆરીએ તે અચાનક ભાગી ગયો. સુરતના આ દર્દીની ઉંમર 41 વર્ષની છે અને તે વરાછા વિસ્તારનો રહેવાસી છે. 19 જાન્યુઆરીના રોજ તે ચીનથી પરત ફર્યો હતો. ત્રણ ચાર દિવસ બાદ શરદી, ઉધરસ અને તાવ આવ્યા બાદ તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. એ પછી તેને આઈસોલેટેડ વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં તક મળતા જ તે ભાગી છૂટ્યો હતો
Related Posts
હવે તમારી ગાડી પર આ સ્ટીકર હોવું ફરજીયાત જો નહીં હોય તો આવી બનશે.રશ્મિન ગાંધી
ભારત BS-6 ઉત્સર્જન માનકો ધરાવતા વિહ્કલો ઉપર હવે ૧ સેમી લંબાઈની ગ્રીન સ્ટ્રીપ- સ્ટીકર લગાવવી પડશે સરકારે એવા વાહનો પર…
*પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજમાં કાપની તૈયારી?*
નવી દિલ્હીઃ આ વર્ષે પગારદાર વ્યક્તિઓને સરકાર મોટો ઝટકો આપવાની તૈયારી કરી રહી છે. એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનએ નાણાકીય વર્ષ…
કોરોના ભાગશે.- મન જયેશ શ્રીમાળી.
સુનાં રસ્તાને સુની શેરીયું રે લોલ, સુનું પડ્યું આખું જગ જો, કોરોનાએ કેરે તો બહુ કીધો રે લોલ. માનવ પુરાયો…
