ચીન બાદ હવે ભારતમાં પણ કોરોના વાયરસની સંખ્યાઓ વધી રહી છે. કેરળમાં નોંધાયેલા ત્રણ કેસ બાદ હવે ગુજરાતમાં પણ કોરોના વાયરસનો સંદિગ્ધ કેસ નોંધાયો છે. ગુજરાતના સુરતમાં પણ એક દર્દીને અલગ રાખવામાં આવ્યો હતો. તેનો મેડિકલ ટેસ્ટ થઈ રહ્યો હતો. પણ 4 ફેબ્રુઆરીએ તે અચાનક ભાગી ગયો. સુરતના આ દર્દીની ઉંમર 41 વર્ષની છે અને તે વરાછા વિસ્તારનો રહેવાસી છે. 19 જાન્યુઆરીના રોજ તે ચીનથી પરત ફર્યો હતો. ત્રણ ચાર દિવસ બાદ શરદી, ઉધરસ અને તાવ આવ્યા બાદ તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. એ પછી તેને આઈસોલેટેડ વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં તક મળતા જ તે ભાગી છૂટ્યો હતો
Related Posts
હોટેલ જેવી નાન બનાવો હવે ઘરે… એ પણ ઘઉંના લોટનો ઉપયોગ કરીને અને રોટલી બનાવવાના લોખંડની તવી પર.
https://youtu.be/t1R0yoyGX84
કેરેબિયન કન્ટ્રી હૈતીના રાષ્ટ્રપતિની હત્યા, હત્યારાએ ઘરમાં ઘુસીને અંધાધૂંધ ગોળીબાર કર્યો, પત્ની ગંભીર
કેરેબિયન કન્ટ્રી હૈતીના રાષ્ટ્રપતિની હત્યા, હત્યારાએ ઘરમાં ઘુસીને અંધાધૂંધ ગોળીબાર કર્યો, પત્ની ગંભીર
કોરોના સંકટમાં ચંપક સુખડિયા ટ્રસ્ટ દ્વારા નર્મદામાં જરૂરિયાતમંદોને અનાજ વિતરણ તથા ફૂડ પેકેટનું વિતરણ કરાયું.
કોરોના સંકટમાં ચંપક સુખડિયા ટ્રસ્ટ દ્વારા નર્મદામાં જરૂરિયાતમંદોને અનાજ વિતરણ તથા ફૂડ પેકેટનું વિતરણ કરાયું. રાજપીપળા,તા. 4 નર્મદા જિલ્લામાં કોરોના…
