ભેંસાણ મગફળી કૌભાંડમાં હવે રાજકારણ ગરમાયુ છે. કોંગી નેતા પાલભાઈ આંબલિયાએ ભાજપ સરકાર સામે મોરચો ખોલતા કહ્યુ છે કે સરકાર પોતાની જવાબદારીમાંથી છટકવા ઠીકરું બીજા પર ફોડી રહી છે. ભેસાણમાં કોંગ્રેસ શાસિત માર્કેટિંગ યાર્ડ છે પણ ખરીદી સરકાર કરતી હોવાનુ તેમણે જણાવ્યુ હતુ. સાથે જ કહ્યુ હતુ કે માર્કેટીંગ યાર્ડનો રોલ માત્ર અને માત્ર જગ્યા આપવા પૂરતો છે.બાકીની તમામ કામગીરી જીલ્લા ખરીદ સમિતિ કરે છે. પાલ આંબલિયાએ મગફળી કૌભાંડની તપાસ અને પોલીસ ફરિયાદ પર પણ સવાલ ઉઠાવ્યા છે.ખરીદી સમિતિમાં કલેક્ટર, ડીડીઓ, ખેતીવાડી અધિકારી પુરવઠા અધિકારી પ્રાંત ઓફિસર મામલતદાર ટીડીઓ વગેરે સામેલ છે તેની સામે શા માટે કોઇ કાર્યવાહી નથી કરાઇ તેવા સવાલ પણ ઉઠાવયા છે.જ્યારે ઉચ્ચ અધિકારીઓની ખરીદ સમિતિ બનાવી છે તો તેમની શા માટે કોઈ જવાબદારી નહિ? તેમની બેદરકારી બદલ કોઈ કાર્યવાહી કેમ નહિ? તેવો સવાલ પણ ઉઠાવ્યો છે જિલ્લા પુરવઠા અધિકારીની સીધી જવાબદારી બને છે તો તેમની સામે કોઈ કાર્યવાહી કેમ નથી કરાઇ તેવો સવાલ પણ ઉઠાવ્યો છે.તેમણે સરકારની દાનત સામે સવાલ ઉઠાવતા કહ્યુ કે માત્ર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ કરી સરકાર સંતોષ જાણે સંતોષ માની રહી છે
Related Posts
લોકસભાના પેનલ સ્પીકર ડો. કિરીટભાઇ સોલંકીએ અમદાવાદના દાણીલીમડા અને વાસણા વિસ્તારમાં વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
લોકસભાના પેનલ સ્પીકર ડો. કિરીટભાઇ સોલંકીએ અમદાવાદના દાણીલીમડા અને વાસણા વિસ્તારમાં વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અમદાવાદ: ૧૭ મી…
જામનગર જિલ્લાની સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાયું*
*જામનગર જિલ્લાની સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાયું* જામનગર, સંજીવ રાજપૂત: મહાત્મા ગાંધીને તેમની 154મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ…
*બ્રેકિંગ ન્યુઝ..* ભાજપે જાહેર કરેલી યાદીમાં 38 સીટિંગ ધારાસભ્યોની ટિકિટ કપાઈ.. રાજેન્દ્ર ત્રિવેદી શશીકાંત પંડ્યા, મધુ શ્રીવાસ્તવ સહિત અનેક મોટા…
