ભેંસાણ મગફળી કૌભાંડમાં હવે રાજકારણ ગરમાયુ છે. કોંગી નેતા પાલભાઈ આંબલિયાએ ભાજપ સરકાર સામે મોરચો ખોલતા કહ્યુ છે કે સરકાર પોતાની જવાબદારીમાંથી છટકવા ઠીકરું બીજા પર ફોડી રહી છે. ભેસાણમાં કોંગ્રેસ શાસિત માર્કેટિંગ યાર્ડ છે પણ ખરીદી સરકાર કરતી હોવાનુ તેમણે જણાવ્યુ હતુ. સાથે જ કહ્યુ હતુ કે માર્કેટીંગ યાર્ડનો રોલ માત્ર અને માત્ર જગ્યા આપવા પૂરતો છે.બાકીની તમામ કામગીરી જીલ્લા ખરીદ સમિતિ કરે છે. પાલ આંબલિયાએ મગફળી કૌભાંડની તપાસ અને પોલીસ ફરિયાદ પર પણ સવાલ ઉઠાવ્યા છે.ખરીદી સમિતિમાં કલેક્ટર, ડીડીઓ, ખેતીવાડી અધિકારી પુરવઠા અધિકારી પ્રાંત ઓફિસર મામલતદાર ટીડીઓ વગેરે સામેલ છે તેની સામે શા માટે કોઇ કાર્યવાહી નથી કરાઇ તેવા સવાલ પણ ઉઠાવયા છે.જ્યારે ઉચ્ચ અધિકારીઓની ખરીદ સમિતિ બનાવી છે તો તેમની શા માટે કોઈ જવાબદારી નહિ? તેમની બેદરકારી બદલ કોઈ કાર્યવાહી કેમ નહિ? તેવો સવાલ પણ ઉઠાવ્યો છે જિલ્લા પુરવઠા અધિકારીની સીધી જવાબદારી બને છે તો તેમની સામે કોઈ કાર્યવાહી કેમ નથી કરાઇ તેવો સવાલ પણ ઉઠાવ્યો છે.તેમણે સરકારની દાનત સામે સવાલ ઉઠાવતા કહ્યુ કે માત્ર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ કરી સરકાર સંતોષ જાણે સંતોષ માની રહી છે
Related Posts
ભારતમાં કોરોના વાઈરસનો ત્રીજો કેસ સરકાર બની એલર્ટ મોદીએ આપ્યા આ આદેશો
ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ત્યારે ભારત સરકાર સતર્ક બની છે. ભારતીયોને ચીન ન…
જુગા૨નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભચાઉ પોલીસ પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા…
શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને સાંસદ શ્રી પૂનમબેન માડમના હસ્તે નવા છાત્રાલયોનાં કરાયા ઉદ્ઘાટન
*સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર ખાતે ‘હીરક મહોત્સવ’ની ઉજવણી કરાઈ. શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને સાંસદ શ્રી પૂનમબેન માડમના હસ્તે…
