ભેંસાણ મગફળી કૌભાંડમાં હવે રાજકારણ ગરમાયુ છે. કોંગી નેતા પાલભાઈ આંબલિયાએ ભાજપ સરકાર સામે મોરચો ખોલતા કહ્યુ છે કે સરકાર પોતાની જવાબદારીમાંથી છટકવા ઠીકરું બીજા પર ફોડી રહી છે. ભેસાણમાં કોંગ્રેસ શાસિત માર્કેટિંગ યાર્ડ છે પણ ખરીદી સરકાર કરતી હોવાનુ તેમણે જણાવ્યુ હતુ. સાથે જ કહ્યુ હતુ કે માર્કેટીંગ યાર્ડનો રોલ માત્ર અને માત્ર જગ્યા આપવા પૂરતો છે.બાકીની તમામ કામગીરી જીલ્લા ખરીદ સમિતિ કરે છે. પાલ આંબલિયાએ મગફળી કૌભાંડની તપાસ અને પોલીસ ફરિયાદ પર પણ સવાલ ઉઠાવ્યા છે.ખરીદી સમિતિમાં કલેક્ટર, ડીડીઓ, ખેતીવાડી અધિકારી પુરવઠા અધિકારી પ્રાંત ઓફિસર મામલતદાર ટીડીઓ વગેરે સામેલ છે તેની સામે શા માટે કોઇ કાર્યવાહી નથી કરાઇ તેવા સવાલ પણ ઉઠાવયા છે.જ્યારે ઉચ્ચ અધિકારીઓની ખરીદ સમિતિ બનાવી છે તો તેમની શા માટે કોઈ જવાબદારી નહિ? તેમની બેદરકારી બદલ કોઈ કાર્યવાહી કેમ નહિ? તેવો સવાલ પણ ઉઠાવ્યો છે જિલ્લા પુરવઠા અધિકારીની સીધી જવાબદારી બને છે તો તેમની સામે કોઈ કાર્યવાહી કેમ નથી કરાઇ તેવો સવાલ પણ ઉઠાવ્યો છે.તેમણે સરકારની દાનત સામે સવાલ ઉઠાવતા કહ્યુ કે માત્ર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ કરી સરકાર સંતોષ જાણે સંતોષ માની રહી છે
Related Posts
અમદાવાદ મહેસાણા હાઇવે ઉપર અકસ્માત નો સિલસિલો યથાવત
અમદાવાદ મહેસાણા હાઇવે ઉપર અકસ્માત નો સિલસિલો યથાવત ટ્રેલર અને એક્ટિવા નો અકસ્માત નંદાસણ નજીક સવારે થયેલા અકસ્માત માં 35વર્ષીય…
ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા અગ્રેસર ગુજરાત કાર્યક્રમનો થયો શુભારંભ. જીએનએ જામનગર: ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી વિધાનસભા ના…
સમાજવાદી પાર્ટીના નેતા અમરસિંહનું નિધન
સમાજવાદી પાર્ટીના નેતા અમરસિંહનું નિધન
