લોકસભામાં વિપક્ષે સોમવારે નાગરિકતા સુધારો અધિનિયમ, એનઆરસી અને એનપીઆરને લઇને હોબાળો મચાવ્યો હતો. પરંતુ આ હોબાળો ત્યારે જ વધ્યો જ્યારે દિલ્હીના ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ બોલવાનું શરૂ કર્યુ હતુ. આ સમય દરમિયાન, લોકસભા અધ્યક્ષે વિરોધ કરી રહેલા સાંસદોને ખૂબ સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિપક્ષી નેતા, પ્રવેશ વર્માના સંબોધન દરમિયાન ગૃહની બહાર નીકળી ગયા.પોતાના નિવેદનના કારણે વિવાદમાં રહેલા ભાજપ સાંસદ પ્રવેશ વર્માએ જયશ્રી રામ બોલવાથી પાપ ધોવાઈ જશે તેવું લોકસભામાં નિવેદન આપ્યુ છે. તેઓએ કહ્યુ જય શ્રી રામ કોઈ ધર્મ નથી તે આપણી સંસ્કૃતિનુ પ્રતિક છે. જેથી વિપક્ષ એક થઈને જયશ્રી રામ બોલે.તેઓએ કહ્યુ કે જયશ્રીરામના નારા લગાવો તમામ પાપ ધોવાઈ જશે. પ્રવેશ વર્માએ કહ્યુ કે, જે બની ગયુ છે. તેને બદલી શકાતુ નથી. અને જે થવાનું છે. તેને પણ કોઈ બદલી શકવાનું નથી. વર્તમાનમાં જીવવું જોઈએ. અને ભારતમાં ભવ્ય રામ મંદિર બનવાનું છે..ત્યારે વિપક્ષ પણ જય શ્રી રામ બોલે તેવુ તેમણે લોકસભામાં આહ્વન કર્યુ.
Related Posts
*જેસલમેરમાં 160 કિલોમીટરની અલ્ટ્રા મેરેથોન પૂરી કરતા યશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારી સચિન શર્મા*
*જેસલમેરમાં 160 કિલોમીટરની અલ્ટ્રા મેરેથોન પૂરી કરતા યશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારી સચિન શર્મા* અમદાવાદ, સંજીવ રાજપૂત: પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરના…
*VGGS2024: ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં NDB 500 મિલિયન ડોલર લોન આપશે*
*VGGS2024: ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં NDB 500 મિલિયન ડોલર લોન આપશે* ગાંધીનગર સંજીવ રાજપૂત: ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં…
કવિતા નું શિર્ષક : ” ૨૬ જાન્યુઆરી ” સ્વતંત્રતાનું આ નવલું નજરાણું, અમે સાચવીશું ગર્વથી મસ્તાનું.
કવિતા નું શિર્ષક : ” ૨૬ જાન્યુઆરી ” સ્વતંત્રતાનું આ નવલું નજરાણું, અમે સાચવીશું ગર્વથી મસ્તાનું. સ્વતંત્રતાનો આ સોનેરી પર્વ,…
