લોકસભામાં વિપક્ષે સોમવારે નાગરિકતા સુધારો અધિનિયમ, એનઆરસી અને એનપીઆરને લઇને હોબાળો મચાવ્યો હતો. પરંતુ આ હોબાળો ત્યારે જ વધ્યો જ્યારે દિલ્હીના ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ બોલવાનું શરૂ કર્યુ હતુ. આ સમય દરમિયાન, લોકસભા અધ્યક્ષે વિરોધ કરી રહેલા સાંસદોને ખૂબ સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિપક્ષી નેતા, પ્રવેશ વર્માના સંબોધન દરમિયાન ગૃહની બહાર નીકળી ગયા.પોતાના નિવેદનના કારણે વિવાદમાં રહેલા ભાજપ સાંસદ પ્રવેશ વર્માએ જયશ્રી રામ બોલવાથી પાપ ધોવાઈ જશે તેવું લોકસભામાં નિવેદન આપ્યુ છે. તેઓએ કહ્યુ જય શ્રી રામ કોઈ ધર્મ નથી તે આપણી સંસ્કૃતિનુ પ્રતિક છે. જેથી વિપક્ષ એક થઈને જયશ્રી રામ બોલે.તેઓએ કહ્યુ કે જયશ્રીરામના નારા લગાવો તમામ પાપ ધોવાઈ જશે. પ્રવેશ વર્માએ કહ્યુ કે, જે બની ગયુ છે. તેને બદલી શકાતુ નથી. અને જે થવાનું છે. તેને પણ કોઈ બદલી શકવાનું નથી. વર્તમાનમાં જીવવું જોઈએ. અને ભારતમાં ભવ્ય રામ મંદિર બનવાનું છે..ત્યારે વિપક્ષ પણ જય શ્રી રામ બોલે તેવુ તેમણે લોકસભામાં આહ્વન કર્યુ.
Related Posts
*ગુજરાતના ટેબ્લોને ત્રીજું સ્થાન મેળવવા બદલ કલાકારોને ગાંધીનગર ખાતે અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી*
*ગુજરાતના ટેબ્લોને ત્રીજું સ્થાન મેળવવા બદલ કલાકારોને ગાંધીનગર ખાતે અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી* ગાંધીનગર, સંજીવ રાજપૂત: ૭૬માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં…
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની મહત્વની જાહેરાત
*મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની મહત્વની જાહેરાત*———————-*વેક્સિનેશનને વધુ વ્યાપક બનાવવા 21મી જૂનથી રાજ્યવ્યાપી કૉવિડ વેક્સિનેશન મહાઅભિયાન*___________________ *સૌને વિનામૂલ્યે વેક્સિન માટે પ્રધાનમંત્રી…
આજે નર્મદામા કોરોના કૂલ 07કેસ પોઝિટિવ નોંધાયા
આજે નર્મદામા કોરોના કૂલ 07કેસ પોઝિટિવ નોંધાયા આજે સાજા થયેલ01 દર્દી સાજોથતા રજા અપાઈ પોઝિટિ કૂલ કેસ નો આંકડો 1736પર…
